SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશ તરંગો કે કણો ? 37 વધુ સૂક્ષ્મ હોય છે અને દરેક સજીવ પદાર્થમાં આ વર્ગણાના ૫૨માણુ-એકમો હોય છે જ. આ વર્ગણાના પરમાણુ-એકમોનું મુખ્યકાર્ય જે તે સજીવ પદાર્થના શરીરમાં ખોરાકનું પાચન કરવાનું છે અને તે ભૂખ લાગવાના મુખ્ય કારણ સ્વરૂપ છે. ત્યારપછી તેના કરતાં વધુ સૂક્ષ્મ પરિણામવાળા પરમાણુઓનો એકમ સ્વરૂપ ભાષા વર્ગણા આવે છે. આ પરમાણુ-એકમોનો ઉપયોગ ફક્ત પ્રાણી વિભાગ(animal kingdom)ના જીવો જ કરી શકે છે પરંતુ વનસ્પતિ વગેરે જેઓને ફક્ત એક જ ઇન્દ્રિય(સ્પર્શનેન્દ્રિય) છે તેઓ આ ભાષા વર્ગણાનો ઉપયોગ કરી શક્તા નથી. ટૂંકમાં, અવાજ પણ પૌદ્ગલિક એટલે કે (matter) પુદ્ગલ સંબંધી પરમાણુઓથી નિષ્પન્ન છે. શ્વાસોચ્છ્વાસ વર્ગણાના પરમાણુ-એકમોના પરમાણુઓ ભાષા વર્ગણાના પરમાણુઓ કરતાં પણ વધુ સૂક્ષ્મ હોય છે. આનો ઉપયોગ સજીવસૃષ્ટિના દરેક જીવે કરવો પડે છે અને શ્વાસોચ્છવાસ વગર કોઈ પણ જીવ, જીવી શક્તો નથી એમ આજનું વિજ્ઞાન પણ કહે છે, અને જૈનધર્મશાસ્ત્રો પ્રમાણે વનસ્પતિ સિવાયના પૃથ્વી એટલે પત્થર, માટી વગેરે તથા પાણી, અગ્નિ અને વાયુઓમાં પણ જીવ છે. તે જીવોને પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરવી પડે છે ત્યારે આ શ્વાસોચ્છ્વાસ વર્ગણાના ૫૨માણુઓનો ઉપયોગ અનિવાર્યપણે કરે છે. મનોવર્ગણાના પરમાણુ-એકમના પરમાણુઓની સંખ્યા શ્વાસોચ્છવાસ વર્ગણાના ૫૨માણુ એકમમાં રહેલ ૫૨માણુની સંખ્યા કરતાં વધુ હોય છે. આ વર્ગણાના પરમાણુએકમોનો ઉપયોગ મનવાળા મનુષ્યો તથા પ્રાણીઓ જ કરી શકે છે. આનો સવિશેષ ઉપયોગ વિચાર કરવામાં જ થાય છે. અત્યારના વિજ્ઞાનીઓ પણ મનને તીવ્ર ગતિવાળું માને છે કારણ કે આપણું મન એક સેકંડમાં અથવા તેના કરતાં પણ સૂક્ષ્મ સમયમાં લાખો અને કરોડો માઇલ દૂર જઇ શકે છે, અને તેના સંબંધી વિચાર કરી શકે છે. આ બધી કરામત મન અને મનોવર્ગણાના પરમાણુઓની જ છે. અને છેલ્લે અત્યંત સૂક્ષ્મ પરમાણુઓના એકમો સ્વરૂપ કાર્મણ વર્ગણાની વાત કરીએ. આ વર્ગણાના ૫૨માણુ-એકમોમાં સૌથી વધુ ૫૨માણુઓ હોય છે. આ વર્ગણાનો ઉપયોગ દરેકે દરેક સજીવ પદાર્થ કરે છે. દરેક સજીવ પદાર્થના આત્માને લાગેલાં કર્મો, આ કાર્યણ વર્ગણાના પરમાણુ-એકમ સ્વરૂપે જ હોય છે. જો કોઈ વિજ્ઞાની, આ વર્ગણાના પરમાણુઓને કોઈ પણ સાધન વડે જોઈ શક્વા સમર્થ બને તો, તે જે તે વ્યક્તિ કે સજીવ પદાર્થના ભૂત-ભવિષ્ય અને વર્તમાન જાણવા સમર્થ બની શકે પરંતુ આ વર્ગણાના પરમાણુ કોઈ સાધન વડે જોઈ શકાય તેમ નથી. તે માટે તો આધ્યાત્મિક શક્તિ અને અતીન્દ્રિય જ્ઞાન જોઈએ. જે અત્યારના સમયમાં પ્રાપ્ત થવું અશક્ય નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy