SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 36 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો એકમોમાં રહેલ પરમાણુઓ કરતાં, ઘણા વધુ પરમાણુઓ રહેલા હોય છે. એટલે સ્વાભાવિક રીતે જ તેના પરિણામ વધુ સૂક્ષ્મ બને છે. એક નાની કીડીના ઔદારિક શરીરમાં રહેલ પરમાણુઓ કરતા, તેટલા જ કદની વૈક્રિય શરીરવાળી કીડીમાં રહેલ પરમાણુઓની સંખ્યા અસંખ્યાતગુણી હોય છે તથા ઉપર જણાવ્યું તેમ ઔદારિક વર્ગણાના પરમાણુ-એકમમાં અનંત પરમાણુઓ હોય છે. પરંતુ એ અનંતના પણ ઘણા પ્રકાર હોય છે. તે બધા પ્રકારની સંખ્યાના પરમાણુઓવાળા એકમ દારિક વર્ગણા તરીકે ઉપયોગમાં લઈ શકાતા નથી. અમુક ચોક્કસ સંખ્યા સુધીના પરમાણુવાળા એકમો જ ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી વધુ સંખ્યામાં પરમાણુઓ તે પરમાણુ-એકમમાં હોય તો તે ઔદારિક શરીર માટે અયોગ્ય બની જાય છે. કારણ કે ઔદારિક શરીરની રચના કરવામાં અમુક મર્યાદા સુધીની સૂક્ષ્મતા ચાલી શકે છે. તેથી વધુ સૂક્ષ્મતા હોય તો ન ચાલે. ઔદારિક વર્ગણા અને વૈક્રિય વર્ગણા વચ્ચેની કેટલીય વર્ગણાઓ અને વર્ગણા સ્વરૂપ પરમાણુ-એકમો, બિનઉપયોગી હોય છે કારણ કે વૈક્રિય વર્ગણાના પરમાણુએકમોમાં જોઈતી સૂક્ષ્મતા તેમાં હોતી નથી બલકે, તે કરતાં વધુ પૂલ હોય છે. જ્યારે ઔદારિક વર્ગણાના પરમાણુ-એકમોમાં જોઈતી સૂક્ષ્મતા કરતાં તે વધુ સૂક્ષ્મ હોય છે. તેથી તેવી વર્ગણાના પરમાણુ-એકમો, કોઈપણ જાતના (ઔદારિક કે વૈક્રિય) શરીર માટે બિનકાર્યક્ષમ થઈ જાય છે. ' દેવો અને નારકોના શરીર વૈક્રિય વર્ગણાના પરમાણુ-એકમોમાંથી બનેલાં છે. તેથી વધુ સૂક્ષ્મ પરિણામી હોવાથી પ્રકાશ કરતાં પણ વધુ ગતિ પ્રાપ્ત કરી શકે છે. આ વર્ગણાના પરમાણુ-એકમોનો ઉપયોગ મનુષ્ય કરી શકે છે. પરંતુ તેના માટે વિશિષ્ટ આધ્યાત્મિક શક્તિની જરૂરિયાત પડે છે અને વર્તમાનમાં કોઈ પણ મનુષ્ય પાસે એવી આધ્યાત્મિક શક્તિ હોય તેવું જણાતું નથી, તેથી એમ માનવું પડે છે કે મનુષ્યની ગતિ પ્રકાશ કરતાં વધુ ન હોઈ શકે. ત્રીજા નંબરે આવેલ આહારક વર્ગણાના પરમાણુ-એકમોમાં, વૈક્રિય વર્ગણાના પરમાણુ-એકમ કરતાં ઘણા વધુ પરમાણુઓ હોય છે. તેથી તે વધુ સૂક્ષ્મ અને ઘન હોય છે. આ આહારક વર્ગણાના પરમાણુ-એકમોનો ઉપયોગ વિશિષ્ટ પ્રકારના જ્ઞાની સાધુ(સંત પુરુષ) કરી શકે છે. વર્તમાન સમયમાં આ પૃથ્વી ઉપર આવા કોઈ વિશિષ્ટ જ્ઞાની સંતપુરષ છે નહિ તેથી આ વર્ગણાના પરમાણુ-એકમોનો પણ કોઈ ઉપયોગ નથી. ત્યાર પછી ચોથા નંબરે આવેલી તેજસ્વર્ગણાના પરમાણુ-એકમોમાં રહેલ પરમાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy