SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ 276 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો (કિડની) અને મૂત્રોત્સર્જન તંત્રને સાફસ્વચ્છ રાખે છે. 6. તળેલા પદાર્થ તેલમાં તળેલા અને ઘીમાં તળેલા એમ બે પ્રકારના પદાર્થ વિગઈમાં આવે છે. ઘી અથવા તેલ ગરમ થયા પછી પહેલો, બીજો એને ત્રીજો ઘાણ તળીને કાઢવામાં આવે છે, તેને વિગઈ કહેવામાં આવે છે. તેનું બીજું નામ અવગાહિક પણ છે. ત્યારબાદ તળવામાં આવતા ચોથ, પાંચમો, છઠ્ઠો અને સાતમો વગેરે ઘાણ નિર્વિકૃતિ કહેવાય છે, કારણ કે તે ખાનારના શરીરમાં, મનમાં વિકૃતિ લાવતું નથી. છ પ્રકારની વિગઈના 30 પ્રકારનાં નિર્વિકૃતિક ભોજન તૈયાર કરવામાં આવે છે અને આવું ભોજન, શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની પરંપરા પ્રમાણે જ્યારે સાધુ-સાધ્વી આગમસૂત્રોના અધ્યયનની અનુજ્ઞા પ્રાપ્ત કરવા માટે યોગોદ્ધહનનું વિશિષ્ટ અનુષ્ઠાન કરે છે ત્યારે અને શ્રાવકો નમસ્કાર મહામંત્રના અધ્યયનની અનજ્ઞા પ્રાપ્ત કરવા માટે ઉપધાન તપ કરે છે ત્યારે નીવી અર્થાત્ એકાસણું કરતી વખતે લેવામાં આવે છે. ચાર મહાવિગઈમાં માંસ અને મધ વિશે કોઈ વિશેષ પિષ્ટપેષણ કરવાની આવશ્યક્તા નથી કારણ કે તેના માટે અન્યત્ર ઘણું લખાઈ ગયું છે. છતાં પણ અહીં ફક્ત તેના પ્રકાર બતાવવામાં આવશે. 1. માંસ જૈન ગ્રંથોમાં માંસના ત્રણ પ્રકાર બતાવ્યા છે : 1. જલચર જીવોનું દા.ત. માછલી વગેરેનું 2. સ્થલચર જીવોનું, દા.ત. ડુક્કર, ગાય, ભેંસ, બકરી વગેરેનું 3. ખેચર જીવોનું દા.ત. હંસ, કાગડો, ચકલી વગેરે પક્ષીઓનું , જૈન પરંપરા પ્રમાણે સજીવ પ્રાણીઓના મૃત્યુ બાદ તુરત જ તેના માંસ, લોહી વગેરેમાં તેના જ વર્ણવાળા અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, માટે અહિંસાના પાલન માટે તેનો ત્યાગ કરવો આવશ્યક જ છે.? 2. મદ્ય જૈન ગ્રંથો પ્રમાણે મદ્યના બે પ્રકાર છે. 1. કાષ્ઠ મધ અર્થાત ફળ ફૂલ વગેરે વનસ્પતિ માંથી બનાવેલ દારૂ/મદ્ય. 2. પિષ્ટ મદ્ય અથાત્ લોટમાં સડો લાવી બનાવેલ દારૂ. જૈન ગ્રંથકારોએ મદ્યને પ્રમાદનું કારણ બતાવ્યો છે. મદ્યપાન કરવાથી ચિત્તનાશ અર્થાત્ ચિત્તભ્રમ ઉત્પન્ન થાય છે. નીચે બતાવેલ સંસ્કૃત શ્લોકમાં મદ્યપાનના સોળ દોષ બતાવ્યા છે. વૈષ્ય, વ્યાધિ , સ્વાનપરિવ: કાર્યવાસાતિપાતો, વિજો, જ્ઞાનનાશ: “મૃતિમતિહvi,78 વિપ્રયોગશ્ચ સમિ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy