SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ વિગઈ અને મહાવિગઈ विदलं जिमिउं पच्छा पत्त मुहं च दो वि धोवेज्जा । अहवा अन्न य पत्ते भुंजिज्जा गोरसं नियमा ॥ 3 ॥ અહીં બીજી ગાથામાં સ્પષ્ટ બતાવી દીધું છે કે ત્રીજે દિવસે દહીં અભક્ષ્ય થઈ જાય છે. ત્રીજી ગાથામાં દહીં સંબંધી ભોજન વિધિ બતાવી છે. તેમાં કહ્યું છે કે દ્વિદળનું ભોજન કર્યા પછી માત્ર વાસણ અને મોં બંને સાફ કર્યા પછી દહીંનું ભોજન કરવું અથવા તો બીજા પાત્રમાં દહીંનું ભોજન કરવું અન્યત્ર વિદળના સંબંધમાં ગાથા નીચે પ્રમાણે મળે છે. -: मुग्गमासपभिइ आमगोरसे जो भलइ 1 उवइ तसरासी असंखजीवा मुणेयव्वा ।। 1 । विदले भोयणे चेव कंठे जीवा अनंतसो होइ । उयरंमि गये चेव जीवाण न होइ उप्पति ॥ 2 ॥ 273 વનસ્પતિ શાસ્ત્ર પ્રમાણે વિદળ અર્થાત્ દ્વિદળમાં કઠોળ, દાળો, તલ, મગફળી, ચારોળી, બદામ, તુરિયા, ભિંડા વગેરે બધી જ દ્વિદળ વનસ્પતિનો સમાવેશ થઈ જાય છે પરંતુ જૈન શાસ્ત્ર પ્રમાણે તથા પંરપરા પ્રમાણે વિદળનો રૂઢ અર્થ એ છે કે કઠોળ અથવા દ્વિદળ વનસ્પતિ, જેમાંથી તેલ નીકળી શકતું નથી. અહીં બીજી શંકા એ ઉત્પન્ન થાય છે કે દહીંવડા/ઘોલવડા ભક્ષ્ય કે અભક્ષ્ય ? કારણ કે શ્રાવકોના અતિચારમાં ઘોલવડાને અભક્ષ્ય બતાવ્યા છે પરંતુ ‘પચ્ચક્ખાણ ભાષ્ય’ માં છ વિગઇના 30 નિવિયાતાં ભોજન બતાવ્યા છે તેમાં ઘોલવડાને ભક્ષ્ય બતાવ્યા છે. મારું અનુમાન છે કે ઉપર બતાવેલી ગાથા પ્રમાણે ઘોલવડા/દહીંવડા જો કાચા દહીંમાં બનાવ્યા હોય તો અભક્ષ્ય છે અને પાકા/ગરમ કરેલ દહીંમાં બનાવ્યા હોય તો ભક્ષ્ય છે. પરંતુ કાચુ દહીં કોને કહેવું ? કાચા અર્થાત્ ગરમ કર્યા વગરના દૂધમાંથી બનાવેલ દહીં ? કે દૂધ ગરમ કર્યું હોય તોપણ દહીં બનાવ્યા બાદ તેને પુનઃ ગરમ ન કર્યું હોય તેવું દહીં ? કે દૂધ ગરમ કર્યું હોય તોપણ દહીં બનાવ્યા બાદ તેને પુનઃ ગરમ ન કર્યું હોય તેવું દહીં ? આ પ્રશ્ન અને આવા જ બીજા ઘણાં પ્રશ્નોના જવાબ પ્રયોગ વગર મળવા શક્ય નથી, તેથી આના માટે એક જૈન વિજ્ઞાન પ્રયોગશાળા હોવી જરૂરી છે. Jain Education International છાશ અંગે શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુઓનો આચાર એ છે કે છાશ વલોવતી વખતે જ જો તેમાં કાચું પાણી અર્થાત્ ઉકાળ્યા વગરનું પાણી નાખવામાં આવ્યું હોય તો છાશ વલોવ્યા પછી તેમાંથી સંપૂર્ણપણે માખણ કાઢી લીધું હોય તો તે છાશ અચિત્ત/પ્રાસુક/નિર્જીવ થઈ જાય છે, તેથી તે તરત જ લઈ શકાય છે. આવી છાશ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy