SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ જાપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય કણની શક્તિનો આધાર તેની આવૃત્તિ (frequency)ઉપર છે અને આવૃત્તિ (કંપસંખ્યા) (frequency)તરંગલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં વધે છે અને ઘટે છે એટલે કે તરંગલંબાઈ વધે તો આવૃત્તિ ઘટે અને તરંગલંબાઈ ઘટે તો આવૃત્તિ વધે. વળી તે તરંગલંબાઈ (2) પણ દ્રવ્યકણના દ્રવ્યમાન (દળ)(mass) અને વેગ (v)ના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં વધે છે અને ઘટે છે. એટલે કે કોઈપણ સૂક્ષ્મ દ્રવ્યણનું દ્રવ્યમાન અથવા વેગ અથવા તો તે બંને વધારવામાં આવે તો તેના પ્રમાણમાં તે દ્રવ્યકણની તરંગલંબાઈ ઘટે છે. પરિણામે આવૃત્તિની સંખ્યા વધી જાય છે અને તેથી જ તેની શક્તિ પણ વધી જાય છે. આ જ વાત આપણાં ઋષિ-મુનિઓએ દર્શાવેલ જાપના પ્રકારોને લાગુ પાડી શકાય છે. જૈનધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે મુખ્યત્વે વર્ગણાઓના આઠ પ્રકાર છે ઃ વર્ગણા એ જૈનગ્રંથોનો પારિભાષિક શબ્દ છે. વર્ગણા એટલે એક્સરખા અથવા સમાન સંખ્યામાં પરમાણુઓને ધારણ કરનાર પરમાણુ-એકમોનો પ્રકાર. પ્રથમ વર્ગણા એટલે સમગ્ર બ્રહ્માંડમાં વિખરાયેલા છૂટા છૂટા એક એક પરમાણુઓ. દ્વિતીય વર્ગણા એટલે બબ્બે પરમાણુઓના સમૂહરૂપ એકમો, તૃતીય વર્ગણા એટલે ત્રણ ત્રણ પરમાણુઓના સમૂહરૂપ એકમો. ચતુર્થ વર્ગણા એટલે ચાર ચાર પરમાણુઓના સમૂહરૂપ એકમો. આ રીતે પરમાણુ-એકમોના અનંતાનંત પ્રકારો છે. પરંતુ તેમાંથી નીચે જણાવેલ આઠ પ્રકાર જીવો માટે ઉપયોગી છે : 221 1. ઔદારિક વર્ગણા, 2. વૈક્રિય વર્ગણા, 3. આહારક વર્ગણા, 4. તૈજસ્ વર્ગણા, 5. ભાષા વર્ગણા, 6. શ્વાસોચ્છ્વાસ વર્ગણા, 7. મનો વર્ગણા, 8. કાર્પણ વર્ગણા આ બધી જ વર્ગણાઓના પ્રત્યેક પરમાણુ-એક્મમાં અનંત પરમાણુઓ હોય છે. છતાં ઔદારિક વર્ગણાના પરમાણુ-એકમ કરતાં વૈક્રિય વર્ગણાના પરમાણુ - એકમમાં વધુ પરમાણુઓ હોય છે. તેના કરતાં આહારક વર્ગણાના પરમાણુ-એકમમાં વધુ પરમાણુઓ હોય છે. તે રીતે ઉત્તરોત્તર વર્ગણાઓના ૫૨માણુ-એકમમાં વધુ ને વધુ પરમાણુઓ હોય છે અને તેનું પરિણામ વધુ ને વધુ સૂક્ષ્મ થતું જાય છે. તેથી ભાષાવર્ગણાના પરમાણુ-એકમ કરતાં મનોવર્ગણાના પરમાણુ-એકમમાં વધુ પરમાણુઓ હોય છે.” અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જૈન આગમો વિક્રમની પાંચમી-છઠ્ઠી સદીમાં લિપિબદ્ધ કરવામાં આવ્યા ત્યાં સુધી જૈન શ્રમણ પરંપરાના સાધુ-સાધ્વીઓમાં આગમોને કંઠસ્થ રાખવાની પરંપરા હતી. જ્યારે આધુનિક ભૌતિકશાસ્ત્રના - quantum mechanics ની શોધ છેક વિક્રમની 20 મી સદીના અંતમાં થયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy