SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ 220 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ઉપર્યુક્ત શ્લોક પ્રમાણે પૂજા, સ્તુતિ (સ્તોત્ર) પાઠ, જપ, ધ્યાન અને લય ઉત્તરોત્તર વધુ શક્તિશાળી છે. તેમાં જપ(જાપ)ના મુખ્ય ત્રણ પ્રકારો છે : 1. ભાષ્ય અથવા વાચિક અને 2. ઉપાંશુ અને 3. માનસ. 1. જાપ કરનાર સિવાય અન્ય વ્યક્તિ સાંભળી શકે તે રીતે ઉચ્ચારપૂર્વક જાપ કરવો તે ભાષ્ય અથવા વાચિક જાપ કહેવાય છે. 2. અન્ય વ્યક્તિ સાંભળી ન શકે તે રીતે મનમાં હોઠ ફફડાવીને જાપ કરવો તે ઉપાંશુ જાપ કહેવાય છે. 3. જે જાપમાં હોઠ, જીભ વગેરેના ઉપયોગ વગર મનથી જાપ કરવામાં આવે તે જાપને માનસ જાપ કહેવાય છે. ધર્મસંગ્રહ' નામના ગ્રંથમાં ઉપાધ્યાયજી શ્રીમાનવિજયજી ગણિએ કહ્યું છેઃ સશક્તાનીનવી ગુમ: મૌનના નસ: શ્રેષ્ઠ:, પ, સ્નાટ્ય: પર: પર: " સિશબ્દ (ભાષ્ય) જાપ કરતાં મૌન (ઉપાંશુ) જાપ શુભ છે અને ઉપાંશુ (મૌન) જાપ કરતાં માનસ જાપ શ્રેષ્ઠ છે. આ ત્રણે જાપ ઉત્તરોત્તર પ્રશંસનીય છે.]. - શ્રીપાદલિપ્તસૂરિ કૃત પ્રતિષ્ઠા પદ્ધતિ (કલ્પ)માં કહ્યું છે કે જાપના માનસ, ઉપાંશુ અને ભાષ્ય એ ત્રણ પ્રકારો છે જેમાં અન્તર્જલ્પ પણ ન હોય, કેવળ મનથી થતો જાપ, જેને પોતે જ જાણી શકે તે માનસ જાપ. જેમાં અંતર્જલ્પ હોવા છતાં બીજાઓ ન સાંભળે તે ઉપાંશુ અને બીજા સાંભળે તેને ભાષ્ય સમજવો. પહેલો માનસ જાપ કષ્ટસાધ્ય છે અને તેનાથી શાન્તિકાર્યો કરાય છે માટે તે ઉત્તમ છે. બીજો ‘ઉપાંશુ સામાન્ય અને પૌષ્ટિક કાર્યો માટે કરાતો હોવાથી મધ્યમ છે અને ત્રીજો “ભાષ્ય જાપ સુકર છે અને બીજાઓનો પરાભવ (વશીકરણ) વગેરે દુષ્ટ કાર્યો માટે કરાતો હોવાથી અધમ કહ્યો છે.” - આધુનિક ભૌતિકશાસ્ત્ર(physics)માં ડી.બ્રોગ્લી (de-Broglie) નામના વિજ્ઞાનીએ દ્રવ્યકણ-તરંગવાદ દ્વારા જણાવ્યું છે કે કોઈ પણ સૂક્ષ્મ કણો તરંગ સ્વરૂપે વર્તે છે અને તે કણોને લગતા તરંગની તરંગલંબાઈ માટેનું એક સૂત્ર તેને આપ્યું છે. = h/m, જ્યાં તરંગ લંબાઈ, h = પ્લાંકનો અચળાંક, m = કણનું દ્રવ્યમાન (mass) અને v= કણનો વેગ છે. આ જ સૂત્રમાં mv =p લેતાં, A = hyp થાય છે. જ્યાં n = વેગમાન (momentum) છે અને એ દ્રવ્યકણની શક્તિ માટેનું સૂત્ર છે : E = nhf. જ્યાં E શક્તિ છે. કે પ્લાંકનો અચળાંક છે અને આવૃત્તિ (કંપસંખ્યા) (frequency) છે અને n=1,2, 3, 4, 5... વગેરે integer numbers (પૂર્ણાક) છે. એટલે કે કોઈપણ તરંગ સ્વરૂપ દ્રવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy