SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ 211 પૂર્વભારત અને પશ્ચિમ ભારતના બે મહાન વિજ્ઞાનીઓ એવું બનતું નથી. પ્રો. પી. એમ. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે એક જ આકાશ પ્રદેશમાં અનંત પરમાણુઓનું અવસ્થાન તથા તે જ રીતે મોક્ષમાં એક સમાન આકાશ પ્રદેશોમાં અનંત આત્માઓનું અવસ્થાન બોઝ-આઈન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ દ્વારા સમજાવી શકાય છે. ડો. પ્ર.ચુ. વૈદ્ય સાહેબનું સંશોધન પણ જૈનદર્શનના પુદ્ગલ પરમાણુ સિદ્ધાંતનું સમર્થન કરે છે. તેઓના સંશોધન પ્રમાણે કિરણોત્સારી તારા અથવા સૂર્યનું ગુરુત્વાકર્ષણબળ, તેટલા જ દ્રવ્યમાન તથા કદવાળા સામાન્ય અર્થાત્ કિરણોત્સર્ગ નહિ કરતા તારા કરતાં ઓછું હોય છે. આની ગણતરી તેઓએ ગાણિતિક સમીકરણો દ્વારા આપી છે. જૈનદર્શન પ્રમાણે શક્તિ એ ગુણ છે અને પર્યાયવ દ્રવ્યમ્ (ગુણ તથા પર્યાયવાળું હોય તે દ્રવ્ય) (તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૫. સૂ. 37) અનુસાર તે દ્રવ્યમાં રહે છે. અને જે પુદ્ગલ મૂર્તરૂપી દ્રવ્ય છે, તેને દ્રવ્યમાન (mass) અવશ્ય હોય છે. પ્રકાશનાં કિરણો પણ દ્રવ્ય છે, ગુણ નથી. “રિપI WR, ' એ દ્રવ્યમાં જ શક્તિ સ્વરૂપ ગુણ રહેલો છે. એટલે કિરણોત્સારી તારા કે સૂર્ય, પ્રકાશ ફેંકે છે ત્યારે વસ્તુતઃ તેમાંથી સૂક્ષ્મ કણો જ બહાર ફેંકાય છે. આ સૂક્ષ્મ કણોને પણ દ્રવ્યમાન (mass) હોય છે અને તે, જેમાંથી બહાર ફેંકાતા હોય છે, તેના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં આવેલ પદાર્થ ઉપર તે અથડાય છે. અને તેની ગતિમાં અથવા જે તે તારા કે સૂર્ય તરફના આકર્ષણમાં ઘટાડો કરે છે. અલબત આ ઘટાડો પ્રકાશના નજીવા વેગમાન (momentum p=mv=mc) અનુસાર સાવ નજીવો હોય છે. આવા સાવ નગણ્ય કહી શકાય તેવા ઘટાડાનું ગણિત ડો. પ્ર.ચુ. વૈદ્ય સાહેબે આપણને આપ્યું છે. આમ છતાં હજુ આજે પણ આધુનિક ભૌતિકશાસ્ત્ર ફોટોનને શૂન્ય દ્રવ્યમાનવાળા (mass) માને છે. આધુનિક ભૌતિકશાસ્ત્ર એમ માને છે કે સૂર્ય વગેરે કે તેથી અધિક દ્રવ્યમાન ધરાવતા તારાઓના વધુ પડતા ગુરુત્વાકર્ષણ બળના કારણે તેની આસપાસનું આકાશ સંકોચાય છે અને તેમાંથી પસાર થતા પદાર્થનો માર્ગ થોડો વક્રાકાર બને છે. વસ્તુતઃ જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે આકાશ એક અખંડ દ્રવ્ય છે, તે અપૌગલિક છે તથા નિષ્ક્રિય અને નિર્ગુણ છે. અલબત્ત, નૈયાયિકો શબ્દને આકાશનો ગુણ માને છે, પરંતુ નદર્શન શબ્દને સંપૂર્ણતઃ પૌદ્ગલિક માને છે અને તે આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા પણ સિદ્ધ થઈ શકે તેમ છે, એટલે જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે નિર્ગુણ અને નિષ્ક્રિય એવા આકાશ (Space) ઉપર કોઈ પણ પદાર્થના ગુરુત્વાકર્ષણબળની જરા પણ અસર થતી નથી પરંતુ તેના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં આવતા પૌગલિક પદાર્થો ઉપર તેના ગુરુત્વાકર્ષણબળની અસર થાય છે અને તે પદાર્થ-સૂર્ય કે તારો-કિરણોત્સર્ગ કરતો હોય તો, તે કિરણોત્સર્ગ, તે જ પદાર્થના ગુરુત્વાકર્ષણબળમાં ઘટાડો કરે છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy