SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ 210 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો યોગાનુયોગ ડૉ. સત્યેન્દ્રનાથ બોઝનું બોઝ-આઈન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ અને ડૉ. પ્ર.ચુ. વૈદ્યનું કિરણોત્સરી તારાના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને લગતું સંશોધન જૈનદર્શનના ભૌતિકશાસ્ત્રના ખ્યાલોને સમર્થન આપે છે. ફેબ્રુઆરી, 1991માં, અમદાવાદના જૈન સેન્ટર દ્વારા જૈનદર્શન અને આધુનિક વિજ્ઞાન અંગે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જૈનદર્શન અને ભૌતિક વિજ્ઞાનને લગતા બે મહત્ત્વના સંશોધન પત્રો રજૂ થયા હતા. 1. “જૈનદર્શનની દૃષ્ટિએ આઈન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતની મર્યાદાઓ જેના લેખક હતા. મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજ. રજૂ કર્યું હતું. અમદાવાદની સુવિખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રાધ્યાપક પ્રો. એચ. એફ. શાહે. 2. “જૈનદર્શન અને બોઝ-આઈન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ' લેખક અને પ્રસ્તુત કર્તા પ્રો. પારસમલ અગ્રવાલ (મધ્ય પ્રદેશ) બોઝ-આઈન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ આદર્શવાયુઓના કણ તેમજ ફોટૉન કણો અંગેની સમજ આપે છે. જૈનદર્શન પ્રમાણે આ સમગ્ર બ્રહ્માંડમાં આકાશપ્રદેશો - Space units - મર્યાદિત પ્રમાણમાં છે. જ્યારે પુદ્ગલ-પરમાણુની સંખ્યા અનંત છે. એક આકાશ પ્રદેશ (Space-unit) એટલે એક સ્વતંત્ર પુદ્ગલ પરમાણુને રહેવા માટે જોઈતી જગ્યા અવકાશ. આવા મર્યાદિત આકાશ પ્રદેશોમાં અનંત પુદ્ગલ પરમાણુ કઈ રીતે રહી શકે ? એક આકાશ પ્રદેશમાં સ્વતંત્ર એક જ પરમાણુ રહી શકે છે, પરંતુ તે જ આકાશ પ્રદેશમાં અનંત પરમાણુઓના સમૂહ સ્વરૂપ પુદ્ગલ સ્કંધ અર્થાત્ અનંત પુદ્ગલ - પરમાણુઓ પણ રહી શકે છે. જૈનદર્શને બતાવેલ ભૌતિકશાસ્ત્રનો આ સિદ્ધાંત આઠે પ્રકારના કર્મથી મુક્ત શરીર રહિત આત્માના સંબંધમાં પણ લાગુ પડે છે. મોક્ષમાં મુક્ત આત્માઓનું સ્થાન છે. આ મુક્ત આત્માઓ અરૂપી અને અશરીરી છે. તે દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને જૈન સિદ્ધાંત પ્રમાણે મુક્ત થતી વખતે અર્થાત્ નિર્વાણ સમયે શરીરની જે ઊંચાઈ હોય છે, તેની બે તૃતીયાંશ ઊંચાઈ મોક્ષમાં તે આત્માની હોય છે. આમ છતાં જે સ્થાને એક મુક્ત આત્મા હોય છે તે જ સ્થાનમાં બીજા અનંત મુક્તાત્માઓ પણ હોય છે. આની સાદી-સીધી અને સરળ સમજૂતી આપતાં જૈન ધર્મગ્રંથોમાં તેના વૃત્તિકાર આચાર્ય ભગવંતો - દીવાના પ્રકાશનું ઉદાહરણ આપે છે. જેમ કે એક ઓરડામાં એક નાનકડો દીવો પ્રગટાવવામાં આવે તો સમગ્ર ઓરડામાં તે પ્રકાશ ફેલાઈ જાય છે. હવે તે જ ઓરડામાં એવા 20-25 કે સેંકડો દીવા પ્રગટાવવામાં આવે તો ઓરડાની દિવાલો ઉપર અને ઓરડામાં દરેક જગ્યાએ બધા જ દીવાનો પ્રકાશ હોય છે, પરંતુ કોઈ એક જગ્યાએ કેવળ એક જ દીવાનો પ્રકાશ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy