SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ દાર્શનિક પરંપરાએ પ્રબોધેલા સત્યને રહસ્યને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિએ જગત સમક્ષ મેં મારા પુસ્તક “scientific Foundation of Jainism' (1990, Motilal Banarasidass, Publishers, Delhi)માં જૈન દાર્શનિક સિદ્ધાંતો અને જૈન નીતિ-નિયમોને આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં મૂકવા માટે પ્રયત્ન કર્યો છે. વર્તમાન આધુનિક જૈન-જૈનેતર શ્રોતાઓ સમક્ષ જૈનદર્શનને રજૂ કરવા માટે આવા પ્રયત્નો ખાસ જરૂરી છે. હું ‘Jainism as it is' વિશે લખી કાંઈક મહત્ત્વપૂર્ણ પ્રયત્ન કરવા માગું છું પરંતું 20મી અને 21મી સદીના ખ્યાલોના સંદર્ભમાં પ્રસ્તુત કરવું એ, અલબત્ત ખૂબ કઠિન કાર્ય છે, જે તાત્કાલિક વિચારણા માંગી લે છે. કાર્પણ વર્ગણા સ્વરૂપ કર્મના પુદ્ગલ સ્કંધો / કણો સંબંધી જૈન વિભાવના ખ્યાલ, દ્રવ્ય-શક્તિ તરીકે પુદ્ગલ વગેરે સારી રીતે સરળતાથી સમજી ને સમજાવી શકાતાં નથી. થોડા સમય પહેલાં જ વિજ્ઞાને “ઇલેકટ્રોન” અને “ફોટૉન' શોધ્યાં, જ્યારે જૈનદર્શને પ્રાથમિક કણો તરીકે કાર્પણ વર્ગણાના કણો દર્શાવ્યા છે. કાશ્મણ વર્ગણાનો ખ્યાલ | વિભાવના, એ જૈન દર્શનની અદ્વિતીય અજોડ વિભાવના છે, કારણ કે ફક્ત આ કણો જ આત્મા સાથે સંયોજિત થઈ શકે છે. જૈન વિજ્ઞાન જ એક એવું વિજ્ઞાન છે કે જે કુદરતી ભૌતિક ઘટનાઓની સાથે સાથે આધિભૌતિક (Super natural) ઘટનાઓ, સજીવ અને નિર્જીવનાં સંયોજન, ચૈતન્ય અને ભૌતિક વિજ્ઞાનને સમજાવી શકે છે. જો કે હું ભૌતિક વિજ્ઞાની નથી અને પ્રસ્તુત પુસ્તકમાં રજૂ કરવામાં આવેલ વિવિધ દલીલોનું મૂલ્ય પણ આંકી શકું તેમ નથી. આમ છતાં, મારા અભિપ્રાય પ્રમાણે, જૈન દાર્શનિક વિચારોની સાથે આધુનિક વિજ્ઞાનના ખ્યાલોનો સંબંધ જોડવો એ એક ઉમદા કાર્ય છે. અલબત્ત, આ પરીક્ષણ સ્વયં એનેકાંતવાદ અને સાદ્વાદ અર્થાત્ નિરપેક્ષત્વ અને પવિત્રતાના સિદ્ધાંતો દ્વારા થવું જોઈએ. મેં આ જ પુસ્તકની પ્રથમવૃત્તિની પ્રસ્તાવનામાં સૂચન કર્યું હતું કે મુનિશ્રીના ગુજરાતી અને હિન્દી ભાષામાં લખાયેલા બધા જ નિબંધોનો, વિશાળ વાચક વર્ગને માટે અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવો જોઈએ, એ પ્રમાણે તેઓના બધા જ (નવા અને જૂના) લેખોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે અને તે “scientific secrets of Jainism' નામે એક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે. મને એ વાતનો પણ આનંદ છે કે આ જ પુસ્તકની સંપૂર્ણ ગુજરાતી આવૃત્તિ પણ ટૂંક સમયમાં જ પ્રકાશિત થઈ રહી છે. હું તેઓને તેમના આ અગત્યના અને સમયોચિત પ્રદાન બદલ અભિનંદન આપું છું અને જૈન-જૈનેતર વૈજ્ઞાનિક સમાજને સમાન રીતે આ પુસ્તકની ભલામણ કરું છું. 12th September, 1999 Department of Statistics University of Leeds LEEDS LS2 9JT England Prof. Kanti V. Mardia Holder of the Chair of Applied Statistics and Director of Centre of Medical Imaging Research 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy