SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ 176 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ઉર પ્રદેશમાંથી, ગાંધાર સ્વર કંઠમાંથી, મધ્યમ સ્વર જીભના મધ્યભાગમાંથી, પંચમ સ્વર નાસિકા/નાકમાંથી, ધૈવત સ્વર દાંત અને ઓષ્ઠના સંયુક્ત પ્રયત્નથી ઉત્પન્ન થાય છે અને જે સ્વર પેદા થતાં ભ્રમર ખેંચાય તેને નિષાદ કહે છે.’21 આમ તો બેઇન્દ્રિય જીવોથી માંડીને સર્વ પંચેન્દ્રિય જીવો, જેઓને જીભ છે, તે સર્વ ધ્વનિ અવાજ ઉત્પન્ન કરી શકે છે. અલબત્ત, સૂક્ષ્મ બેઇન્દ્રિય જીવોના ધ્વનિ ઇન્ફ્રાસૉનિક કે અલ્ટ્રાસોનિક હોવાથી આપણે સાંભળી શકતા નથી, આ સર્વ જીવોના સ્વરો ઉપર્યુક્ત સાત સ્વરોમાંથી કોઈક એક અથવા જુદા જુદા સ્વરોના મિશ્રણ સ્વરૂપ હોઈ શકે છે, છતાં સૌથી વધુ નજીક અને સ્પષ્ટ હોય તેવા જીવોના સ્વરોને ઉપર કહેલ સાત સ્વરોના ઉદાહરણ તરીકે શાસ્ત્રકાર સ્વયં બતાવે છે. ‘“મોરનો સ્વર ષડ્જ, કૂકડાનો સ્વર ૠષભ, હંસનો સ્વર ગાંધાર, ગાય, બળદ અને ઘેટાંનો સ્વર મધ્યમ અને વસંત ઋતુ આવતાં કોયલનો મધુર ટહુકો તે પંચમ સ્વર, સારસ પક્ષીનો સ્વર ધૈવત અને ક્રૌંચ પક્ષીનો સ્વર નિષાદ હોય છે.’22 જુદા જુદા અજીવને આયિ અર્થાત્ વિવિધ પ્રકારના વાજિંત્ર વિશેષને આશ્રયિને ઉપર્યુક્ત સાતેય સ્વરોનાં ઉદાહરણ નીચે પ્રમાણે આપવામાં આવે છે. ‘“મૃદંગમાંથી ષડ્જ, ગોમુખીમાંથી ઋષભ, શંખમાંથી ગાંધાર, ઝાલરમાંથી મધ્યમ, ગોધિકા અર્થાત્ તબલાંમાંથી પંચમ, ઢોલક-પટહમાંથી ધૈવત અને મહાભેરીમાંથી નિષાદ સ્વર પેદા થાય છે.’23 આ સાતેય સ્વરોની જીવો ઉપર શી અસર થાય છે અને શું પ્રાપ્ત થઈ શકે છે ? તે બતાવતાં કહે છે કે જે મનુષ્યનો સ્વર ષડ્જ હોય અથવા તો મુખ્યત્વે ષડ્ઝ સ્વરની સાધના કરતો હોય, તે મનુષ્ય ધન - આજીવિકા સારી રીતે મેળવે છે અને મેળવેલ ધનનો નાશ થતો નથી. ગાય, પુત્ર, મિત્રો મળે છે તથા સ્ત્રીઓને તે પ્રિય થાય છે. જે મનુષ્યનો સ્વર ઋષભ હોય તે અથવા ઋષભ સ્વરની સાધના કરનાર મનુષ્ય ધન, સેનાપતિપણું વસ્ત્ર, સુગંધી પદાર્થો, અલંકાર, સ્ત્રીઓ તથા શયન- સુંદર શૈયા – પલંગ વગેરે પ્રાપ્ત કરે છે. જે મનુષ્યનો સ્વર ગાંધાર હોય અથવા ગાંધાર સ્વરની સાધના કરે તે મનુષ્ય ઉત્તમ પ્રકારની આજીવિકા મેળવનાર, કળાકાર અર્થાત્ વિવિધ કળાઓને જાણકાર ઉત્તમ પ્રકારનો કવિ અને વિવિધ પ્રકારનાં શાસ્ત્રોમાં પારંગત થાય છે. જે મનુષ્યનો મધ્યમ સ્વર હોય અથવા મધ્યમ સ્વરની સાધના કરતો હોય તે મનુષ્ય સુખી હોય છે. પોતે ખાય છે, પીએ છે અને બીજાને પણ ખવડાવે છે, પિવડાવે છે અર્થાત્ દાન આપનારો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy