SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ 175 ભારતીય શાસ્ત્રીય સંગીત અને તેનું વૈજ્ઞાનિક રહસ્ય સંગીત અંગે એક લેખ આવ્યો હતો. તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે વાતાવરણ (હવા) સંગીતના સૂરોથી શક્તિવાળું બને છે. (Airischarged with musicalions) અલબત્ત, તે લેખમાં લેખકે પાશ્ચાત્ય સંગીતના પોપ સંગીત કે ડિસ્કો સંગીતનું વર્ણન કર્યું હતું અને એ સંગીત દરમિયાન કેટલાકને વાતાવરણમાં રંગબેરંગી વિવિધ આકારો નૃત્ય કરતા દેખાતા હતા. અર્થાત્ તેઓને ધ્વનિના વર્ણ/રંગનો સાક્ષાત્કાર થયો હતો જૈન આગમ સાહિત્યના શ્રી અનુયોગદ્વાર સૂત્ર નામના આગમમાં સંગીતના સાત સ્વરોની વિસ્તૃત માહિતી નીચે પ્રમાણે આપવામાં આવી છે. “સાત પ્રકારનાં નામ કયાં કયાં છે ? સાત પ્રકારનાં નામ એટલે કે સાત પ્રકારના સ્વરો કહ્યા છે. તે આ પ્રમાણે છે. 1. ર૪, 2. રિષભ (ઋષભ), ૩. ગંધાર (ગાંધાર), 4. મધ્યમ, 5. પંચમ, 6. પૈવત અથવા રૈવત 7. નિષાદ. 1. નાસિકા, કંઠ, ઉર, તાળવું, જીભ અને દાંત. આ છ સ્થાનોમાંથી સંયુક્ત રીતે જ પ્રગટ થાય પેદા થાય તે જજ. 2. ઋષભ અર્થાત્ વૃષભ(બળદ)ની માફક જે વર્તે તે ઋષભ. ઋષભની સ્પષ્ટ વ્યાખ્યા કરતાં કહ્યું છે કે નાભિમાંથી ઉત્પન્ન થયેલ વાયુ કંઠ અને મસ્તકમાં અથડાઈ વૃષભની માફક ગર્જના કરે છે માટે તેને વૃષભ અથવા ઋષભ કહેવામાં આવે છે. ૩. જેમાં ગંધ હોય તે ગંધાર અથવા ગાંધાર અથવા જે ગંધનું વહન કરે તે ગાંધાર. નાભિમાંથી ઉત્પન્ન થયેલ વાયુ હૃદય અને કંઠમાં અથડાયેલ અને વિવિધ પ્રકારની ગંધ - સુગંધનું વહન કરનાર ગાંધાર સ્વર છે. 4. કાય એટલે શરીર તેની મધ્યમાં ઉત્પન્ન થનાર તે મધ્યમ. નાભિમાંથી ઉત્પન્ન થયેલ વાયુ ઉર અને હૃદયમાં થઈ પાછો નાભિપ્રદેશમાં આવતાં મહાનાદમાં પરિણમે છે, તેને મધ્યમ સ્વર કહે છે. 5. જજ વગેરે સ્વરોમાં જેનું સ્થાન પાંચમું છે તે પંચમ અથવા નાભિ, ઉર, હૃદય, કિંઠ અને મસ્તક, એ પાંચ સ્થાનમાં ઉત્પન્ન થાય તે પંચમ. 6. પૂર્વે કહેલા અને શેષ સ્વરોને પરસ્પર અભિસંધાન અથવા અનુસંધાન કરી આપનાર સ્વરને પૈવત અથવા રૈવત કહે છે. 7. જેમાં સ્વરો સાવ નજીક નજીક આવે/બેસે તે નિષાદ. આ સ્વર સર્વનો પરાભવ કરનાર છે, અને તેનો દેવતા સૂર્ય છે.” ઉપર્યુક્ત સાતે સ્વરોને ઉત્પન્ન થવાનાં વિશેષ/મુખ્ય સ્થાનોની માહિતી આપતાં શ્રી અનુયોગદ્વાર સૂત્રકાર કહે છે કે “પન્ન સ્વર જીભના અગ્રભાગમાંથી, ઋષભ સ્વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy