SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કાળચક્ર અને કૉસ્મિક કૅલેન્ડર ત્રેતા - ” 300 33 - વર્ષ દ્વાપર 200 વર્ષ કળિ− ’ 3000 વર્ષ 300 વર્ષ 2000 વર્ષ 200 વર્ષ 100 વર્ષ 1000 વર્ષ 100 વર્ષ ટીકાકારોની માન્યતા પ્રમાણે આ સંખ્યા દેવવર્ષની છે અને તે દરેક દેવવર્ષમાં 360 માનવ વર્ષ હોય છે. આ ચારેય યુગ મળીને એક દેવયુગ થાય છે અને આવા 1,000 દેવયુગ મળી બ્રહ્માનો એક દિવસ થાય છે. 33 00°-00-00"-45" Jain Education International 19 22 13 17 37 જૈન સિદ્ધાંતની ગણતરી અને ઉપર બતાવેલી મનુસ્મૃતિના પ્રથમ અધ્યાયની ગણતરી બંને લગભગ મળતી આવે છે. ફક્ત જૈન સિદ્ધાંતના ચોથા, પાંચમા અને છઠ્ઠા આરાની સંયુક્ત વર્ષ સંખ્યા 1 કોડાકોડી સાગરોપમ છે. જ્યારે કળિયુગની વર્ષ સંખ્યા 100 વર્ષ સંધ્યા, 1,000 વર્ષ મુખ્ય ભાગ, 100 વર્ષ સંધ્યાંશ છે. જૈનધર્મમાં હંમેશાં ત્રેસઠ મહાપુરુષોની મુખ્યતા હોય છે. એટલે તેઓનાં જીવનચરિત્રો લખાયેલાં છે અને આજે પણ ઉપલબ્ધ છે. તેઓનાં જન્મસમય વગેરે જૈન શાસ્ત્રો માટે અગત્યનાં જણાય છે અને તેમાંય 24 તીર્થંકરો મુખ્ય હોય છે. તેઓનાં જન્મ, નિર્વાણ વગેરે ચોક્કસ સમયના આંતરે જ થતાં હોય છે. એટલે જૈન શાસ્ત્રોમાં કાળચક્રમાં તેમના જન્મ વગેરેને મુખ્યતા આપેલી છે. એટલે આપણે પણ કાળચક્રના બનાવોના સમયગાળા માટે તથા તે સમયના મનુષ્યોનાં શરીર અને આયુષ્ય વગેરે માટે તેઓને જ મુખ્ય ગણીશું. જોકે એ ચોવીસ તીર્થંકરોમાંથી ત્રેવીસ તીર્થંકરો અંતિમ અને પ્રથમ 1 કોડાકોડી સાગરોપમમાં જ થયેલા છે, અને અવસર્પિણીમાં પ્રથમ અને ઉત્સર્પિણીમાં અંતિમ તીર્થંકર અનુક્રમે તે પહેલાં અને તે પછી થોડાં કરોડ વર્ષે થયેલા હોય છે. 147 000-00-00"-01"" ચક્ર(circle)માં કુલ 360 અંશ હોય છે. એટલે કાળચક્રના પણ 360 અંશ તથા તેની કળા, વિકળા, પ્રતિવિકળારૂપ ભાગ કરી તેમાં ક્યા અંશમાં શું બન્યું તે દર્શાવવામાં આવે છે. કાળચક્રના પ્રથમ 180° ઉત્સર્પિણીના છે અને પછીના 180° અવસર્પિણાના છે. અત્યંત વિકટ જીવન પરિસ્થિતિ. મનુષ્યો તથા પ્રાણીઓનાં ભૂગર્ભ આવાસ-૨હેઠાણ અને તેમાં ક્રમે કરીને શુભ વર્ણ, ગંધ તથા આયુષ્ય અને સંઘયણ બળમાં થોડી થોડી વૃદ્ધિ. મનુષ્યો સંપૂર્ણ માંસાહારી (પ્રથમ આરો) સામાન્ય દુ:ખમય જીવન, તેમાં પ્રથમ સાત સાત દિવસ સુધી પાણી, દૂધ-અમૃતનો સતત વરસાદ, યોગ્ય વાતાવરણનું નિર્માણ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy