SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ 146 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો (15) " 5 " " " સસ્તનવંશી પ્રાણીઓનો વિકાસ શરૂ (16) " 1 " " " - આદિમાનવ અથવા માનવપશુ (Hominids)ની પ્રથમ ઉત્પત્તિ. ઉપર જણાવ્યા પ્રમાણેના સમયગાળા જેવા જ સમયગાળા જૈન કોસ્મોલૉજિમાં આવે છે અને તે પ્રાચીન જૈન આગમો તથા અન્ય ગ્રંથોમાં વર્ણવાયેલ છે. તે આ પ્રમાણે છે. જૈન સિદ્ધાંતના આધારે કાળચક્રના મુખ્ય બે ભાગ છે, જેને જૈન પરિભાષામાં ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણી કાળ કહેવામાં આવે છે. આમાં અવસર્પિણી કાળ તે જ આપણા આધુનિક કૉસ્મિક કેલેન્ડરનો સમય છે. આ અવસર્પિણી કાળના મુખ્ય છે ભાગ છે, જેને આરા કહેવામાં આવે છે. શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે પ્રથમ આરાનું નામ સુષમ-સુષમ છે. અને તેનો કાળ 4 કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. એટલે કે 4.0 x 10 સાગરોપમ અને એક સાગરોપમ એટલે 10 કોડાકોડી પલ્યોપમ અથવા 10 પલ્યોપમ. ટૂંકમાં પ્રથમ સુષમ-સુષમ આરાનું કાળમાન 4.0 X 109 પલ્યોપમ જેટલાં વર્ષો થાય છે. જો કે પલ્યોપમ એ સમયના મોટા માપમાં નાનામાં નાનું માપ છે અને એક પલ્યોપમમાં આવતાં વર્ષોની સંખ્યા ચોક્કસ હોવા છતાં સ્પષ્ટ થવી મુશ્કેલ છે અને તે આંકડામાં બતાવવી શક્ય નથી એટલે શાસ્ત્રકારોએ પણ આગમશાસ્ત્રોમાં પલ્યોપમનાં વર્ષોની સંખ્યાના જવાબમાં અસંખ્યાતા વર્ષો જણાવ્યાં છે. એટલે તે વધુ સંશોધન માગી લે છે. પ્રથમ આરા પછી દ્વિતીય આરાનું નામ સુષમ છે. તેનાં વર્ષોની સંખ્યા 3.0 x 10 પલ્યોપમ છે. ત્રીજા આરાનું નામ સુષમ-દુઃષમ છે અને તેનાં વર્ષોની સંખ્યા 2 x 109 પલ્યોપમ છે. ચોથા આરાનું નામ દુઃષમ-સુષમ છે, તેનાં વર્ષોની સંખ્યા 42,000 વર્ષ ઓછાં એવાં 1 x 105 પલ્યોપમ જેટલાં વર્ષો છે. પાંચમા આરાનું નામ દુઃષમ છે. તેનાં વર્ષો 21,000 છે. છઠ્ઠા આરાનું નામ દુઃષમ દુઃષમ છે. તેનાં વર્ષો પણ 21,000 છે. આમ અવસર્પિણીનો કુલ સમય 100 પલ્યોપમ જેટલાં વર્ષો છે. આનાથી ઊલટા ક્રમે ઉત્સર્પિણીનો સમય હોય છે એટલે બંને ભેગા થઈ એક કાળચક્રમાં કુલ 2.0 x 100 પલ્યોપમ જેટલાં વર્ષો થાય છે. ભારતીય સંસ્કૃતિના જૈનેતર ગ્રંથોમાં પણ આના જેવું વર્ણન મળે છે. મનુસ્મૃતિ અને તેના ટીકાકારો જગતના જીવનકાળને કૃત, ત્રેતા, દ્વાપર અને કળિ એમ ચાર ભાગમાં વહેંચે છે અને તેનાં વર્ષોની સંખ્યા નીચે પ્રમાણે છે. દરેક યુગના પ્રારંભમાં સંધ્યા અને અંતમાં સંધ્યાંશ હોય છે. કૃત-સંધ્યા 400 વર્ષ, મુખ્યભાગ 4000 વર્ષ સંધ્યાંશ – 400 વર્ષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy