SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 136 π = π = 256 81 355 113 = 3.1604938271 ...(3) 355 113 = 3.1415929...(4) આમાંથી પ્રથમ કિંમત ઘણી સ્થૂલ છે જેનો અત્યારે સ્વીકાર કરવામાં આવતો નથી. આ કિંમત ત્રિલોક્સાર ગ્રંથમાં બતાવવામાં આવી છે. બીજી કિંમત પણ ત્રિલોક્સારમાં મળે છે અને તે શ્વેતાંબર પરંપરામાં બધે જ સ્વીકાર્ય છે. ત્રીજી કિંમત પણ ત્રિલોક્સારમાં જ છે. જ્યારે ચોથી કિંમત શ્રી વીરસેનાચાર્યે ‘ધવલા'માં દર્શાવી છે. જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો આધુનિક ગણિતમાં ૪= 3.141592653 આવે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે વીરસેનાચાર્યે દર્શાવેલ ૪ની કિંમત દશાંશ ચિહ્ન પછી છ આંકડા સુધી બિલકુલ સાચી છે. Jain Education International જૈન પરંપરામાંની આવી વિભિન્ન કિંમતો અથવા તો વર્તુળનો પરિધ અને વર્તુળનું ક્ષેત્રફળ લાવવાની વિભિન્ન રીતો હોવાનું કોઈ ખાસ કારણ કે પ્રયોજન જણાવ્યું નથી પરંતુ આ અંગે વિચાર કરતાં એમ લાગે છે કે જૈનદર્શન તાત્ત્વિક રીતે અધ્યાત્મપ્રધાન છે અને તેનું અંતિમ લક્ષ્ય મોક્ષ જ છે. જ્યારે લોકનું સ્વરૂપ, આકાર વગેરે અધ્યાત્મભાવને વિકસાવવામાં કારણરૂપ હોવાથી, તેનું વર્ણન જૈનગ્રંથોમાં ઉપલબ્ધ છે તેના અનુસંધાનમાં પોતાનો આત્મા ક્યાં કેવી પરિસ્થિતિમાં અત્યારે છે, ભૂતકાળમાં કેવી પરિસ્થિતિમાં એ રહ્યો હશે અને ભવિષ્યમાં કેવી પરિસ્થિતિઓ પ્રાપ્ત થઈ શકે છે તે જાણવા માટે લોકનું સ્વરૂપ, નરકનું સ્વરૂપ, દેવોનું સ્વરૂપ તથા મનુષ્યલોક-અઢી દ્વીપ-જંબુદ્વીપ વગેરેનું સ્વરૂપ દર્શાવેલ છે. તેઓને આ જ્ઞાનનો અન્ય કોઈ ઉપયોગ ન હોવાથી-સામાન્ય લોકોને શક્ય તેટલી સરળ રીતે તેનો બોધ કરાવવા માટે - જુદા જુદા કાળે, જુદા જુદા પ્રકારનાં લોકોને અનુસરી, આવી જુદા જુદી રીતો પ્રયોજાઈ હોય એમ અનુમાન કરવું અસંગત નથી અને આ જ કારણે આજે ઉપલબ્ધ વિવિધ જૈનગ્રંથોમાં ૪નાં વિવિધ મૂલ્યો જોવાં મળે છે. 355 113 આચાર્ય શ્રી વીરસેન આપેલ ૪ની કિંમત, ભારતીય ગણિતશાસ્ત્રી શ્રી રામાનુજને જુદી રીતે શોધી બતાવી છે અને તેઓએ ગ્રીક ગણિતજ્ઞોએ સૂચવેલ 'squaring the cirlce' ના ફૂટપ્રશ્નોનો ઉકેલ શોધ્યો છે અને તેના નિષ્કર્ષરૂપે ની કિંમત આવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy