SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ 134 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો થતા ફેરફાર તથા સંયોજન, સડન અને વિઘટનના કારણ સ્વરૂપ અનિવાર્યપણે થતી આંતરિક પ્રક્રિયાઓનાં કારણે તે પદાર્થોના માળખા(structure)માં થતાં પરિવર્તનોમાંથી પ્રગટે છે. જૈનદર્શન પ્રમાણે, અવકાશ એક અને અખંડ દ્રવ્ય છે અને તે નિષ્ક્રિય છે પરંતુ પુગલ (matter) ગતિશીલ છે અને સંપૂર્ણ લોકમાં (બ્રહ્માંડમાં) વ્યાપ્ત છે. તેથી ઉપરના વૈજ્ઞાનિક ખ્યાલોમાં “અવકાશ'ના સ્થાને “પુદ્ગલ મૂકવાથી તે બધા જ ખ્યાલો જૈનદર્શન સંમત બની જશે. જંબુદ્વીપલઘુસંગ્રહણીમાં આવતું ગણિત જંબુદ્વીપ સંગ્રહણી સૂત્રમાં કોઈ ખાસ વિશિષ્ટ પ્રકારનું ગણિત આવતું નથી. ફક્ત 1,00,000 યોજનના વ્યાસવાળા જંબુદ્વીપનો પરિધિ (circumference of Jambudvipa) અને ગણિતપદ એટલે કે ક્ષેત્રફળ (area of Jambudvipa) કઈ રીતે કાઢવું તે બતાવેલ છે. જંબુદ્વીપનો પરિધિ કાઢવા માટે જંબુદ્વીપના વ્યાસ(વિષ્કમ્મ)નો વર્ગ કરી તેને 10 વડે ગુણી તેનું વર્ગમૂળ કાઢવું. અને તે જ જંબુદ્વીપનો પરિધિ ગણાય છે. તેને સૂત્રાત્મક રીતે નીચે પ્રમાણે લખી શકાય. પરિધિ - Wio (વિષ્કસ્મ) ....(1) આધુનિક ગણિતશાસ્ત્રમાં વર્તુળનો પરિધિ કાઢવા માટે નીચેનું સૂત્ર વપરાય છે. પરિધિ =2 ત્રિજ્યા.. ...(2) સૂત્ર-1 અને સૂત્ર-2 સરખાવતાં = 10 આવે છે. એટલે x= 31622776 લગભગ આવે. ઉપરની રીત પ્રમાણે કાઢેલ જંબુદ્વીપના પરિધિને વિષ્કસ્મ(વ્યાસ)ના ચોથા ભાગ એટલે કે ત્રિજ્યાના અડધા ભાગ વડે ગુણતાં ગણિતપદ એટલે કે ક્ષેત્રફળ આવે છે અને તે સૂત્રાત્મક રીતે નીચે પ્રમાણે લખી શકાય. વર્તુળનું ક્ષેત્રફળ = પરિધ x વિષ્કન્મ | 4 એટલે કે =/10વિકમ વિઝભ્ય વિષ્કન્મ x વિષ્ફન્મ - so વિનય વિષમ , Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy