SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો પાંચ દ્રવ્ય, 1. જીવ, 2. ધર્મ (જે ગતિમાં સહાયક છે.) 3. અધર્મ (જે સ્થિરતામાં સહાયક છે) 4. આકાશ અને 5. પુદ્ગલ ને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે તો પણ દિગમ્બર જૈન દાર્શનિક આચાર્ય નેમિચંદ્ર પોતાના ગ્રંથ દ્રવ્યસંપ્ર'ની નિમ્નોક્ત ગાથામાં કહે છે કે લોકાકાશના જેટલા આકાશ પ્રદેશ છે તેટલા જ કાળના અણુઓ છે. 132 लोयायासपदेसे इक्किक्के जे ठिया हु इक्किक्का | रयणाणं रासी इव ते कालाणू असंखदव्वाणि ॥ વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વની દૃષ્ટિએ નિશ્ચયકાળ નિરપેક્ષ છે અને તે નિશ્ચયનય પ્રમાણે છે. જ્યારે વ્યવહારનયથી અવકાશના સંદર્ભમાં વિચારીએ તો નિશ્ચયકાળ સાપેક્ષ થઈ જાય છે. વર્તના રૂપ નિશ્ચય કાળ, સમગ્ર લોકમાં-બ્રહ્માંડમાં વ્યાપીને રહે છે એમ જૈન ગ્રંથો સ્વીકારે છે, કારણ કે તે વર્તના દ્રવ્યના વિવિધ પર્યાયો એટલે કે પર્યાયાન્તર સાથે સંબંધ ધરાવે છે અને જીવ દ્રવ્ય તથા અજીવ એવું પુદ્દગલ દ્રવ્ય સંપૂર્ણ બ્રહ્માંડ એટલે કે ચૌદે રાજલોકમાં વ્યાપ્ત છે. આ જ વાત આઇન્સ્ટાઇને કાળ-અવકાશ પરિમાણ (time space-continuum) દ્વારા સમજાવી છે. એનું સાદું ઉદાહરણ આ પ્રમાણે આપી શકાયઃ ધારો કે અવકાશમાં ૐ, વ, ∞ એવા ત્રણ બિંદુઓ એક સીધી લીટીમાં છે અને તેઓ વચ્ચે 30 લાખ, 30 લાખ કિમીનું અંતર છે એટલે કે 5 બિંદુથી વ બિંદુ 30 લાખ કિમી દૂર છે. વ બિંદુથી બિંદુ 30 લાખ કિમી દૂર છે અર્થાત્ અ બિંદુથી હ્ર બિંદુ વચ્ચેનું અંતર 60 લાખ કિમી છે. ← 30 લાખ કિમી કે 30 લાખ કિમી કે अ ब क હવે ધારો કે ઝૂ બિંદુ ઉપર એક પ્રકાશનો ઝબકારો થાય છે. આ પ્રકાશનો ઝબકારો 10 સેકંડ પછી વ બિંદુએ દેખાશે ત્યારે તેના મૂળ ઉદ્દગમ રૂપ દ્ગ બિંદુ માટે તે પ્રકાશનો ઝબકારો ભૂતકાળની ક્રિયા ગણાશે. જ્યારે વ બિંદુ માટે વર્તમાન કાળ ગણાશે. જ્યારે તે જ ક્રિયા બિંદુ માટે ભવિષ્યકાળની ક્રિયા ગણાય છે. આમ કાળ એ અવકાશના બિંદુઓ વચ્ચેનું અંતર છે એટલે અવકાશમાં બનતી બધી જ ક્રિયાઓ સાથે તે ક્રિયાના કાળનો પણ ઉલ્લેખ કરવો અનિવાર્ય બને છે. આમ સમય-અવકાશ પરિમાણ (timespace continuum) જેમ આધુનિક ભૌતિકશાસ્ત્રમાં અગત્યનું પરિમાણ છે તે જ રીતે પ્રાચીન જૈન ગ્રંથોમાં પણ તેનું ઘણું મહત્ત્વ છે અને નિશ્ચયકાળના સાપેક્ષ અને નિરપેક્ષ એવા બે વિભાગ કરી, સાપેક્ષ નિશ્ચયકાળમાં તેનો સમાવેશ કરી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy