SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 131 જંબુદ્વીપ(લઘુ)સંગ્રહણી અને આધુનિક વિજ્ઞાન પ્રમાણે કાળની સાપેક્ષતા જણાવી છે તે અને આ સદીના મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને બતાવેલ સમયની સાપેક્ષતા વગેરેમાં અદ્ભુત સામ્ય જોવા મળે છે. જૈનદર્શનમાં કાળના મુખ્ય બે પ્રકાર બતાવ્યા છે 1. વ્યવહારકાળ 2. નિશ્ચય કાળ. આઇન્સ્ટાઇન કહે છે-કાળ-વ્યવહારમાળ, રાત્રિ-દિવસ વગેરે રૂપ, કાળ માત્ર પૃથ્વી ઉપર છે કારણ કે પૃથ્વીની દૈનિક ગતિના લીધે રાત્રિ-દિવસ થાય છે. જૈન શાસ્ત્રકારો કહે છે કે રાત્રિ-દિવસ રૂપ વ્યવહાર કાળ માત્ર અઢી દ્વીપમાં (સમયક્ષેત્રમાં), જ્યાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે મેરુ પર્વતની આસપાસ ફરે છે ત્યાં છે. રાત્રિદિવસ એવા કાળના વિભાગ સૂર્ય-ચંદ્રનાં પરિભ્રમણના કારણે જ થાય છે. આઇન્સ્ટાઇન કહે છે, અવકાશમાં રાત્રિ-દિવસ જેવું કશું જ છે નહિ. જૈનગ્રંથો કહે છે અઢી દ્વીપની બહાર, જ્યાં સૂર્ય, ચંદ્ર વગેરે સ્થિર છે ત્યાં રાત્રિ-દિવસ જેવું કશું જ નથી. આમ છતાં, અઢી દ્વીપની બહાર રહેલા જીવો તથા દેવલોક અને નારકીના જીવોના આયુષ્યની ગણતરી અઢી-દ્વીપમાં થતાં રાત્રિ-દિવસ પ્રમાણે થાય છે. તે જ રીતે અવકાશમાં 80 કે 82 દિવસ સુધી રહેનાર અવકાશયાત્રીના આયુષ્યમાંથી 80 કે 82 દિવસ તો ઓછા થાય છે જ, પરંતુ ત્યાં તેને રાત્રિ-દિવસનો અનુભવ થતો નથી, એમ કહેવામાં આવે છે. દિગંબર જૈનગ્રંથોમાં જેમ આકાશ અને કાળને, એકબીજા સાથે સંપૂર્ણ સંકળાયેલાં બતાવ્યાં છે તેમ આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પણ આકાશના એક એક પ્રદેશમાં કાળા સમાયેલો છે એમ સ્વીકારાયું છે અને આઇન્સ્ટાઇને ત્રિપરિમાણીય દુનિયામાં કાળઅવકાશ (time-space continuum) નામનું ચોથું પરિમાણ ઉમેરી આપેલ છે. નિશ્ચયકાળ અંગે શ્રી ઉમાસ્વાતિજી લખે છેઃ વર્તનાપરિપામ: ક્રિયાપરત્વાપરત્વે હાની II 221 વર્તના પરિણામ, ક્રિયા, પરત્વ, અને અપરત્વના નિયામક કાળને નિશ્ચયકાળ કહે છે. અર્થાત્ જીવ-પુગલ વગેરેના અસ્તિત્વ તથા તેમાં થનાર પરિવર્તન અથવા અવસ્થાન્તર/પર્યાયાન્તર જ નિશ્ચય કાળ છે. નૈયાયિક સમ્પ્રદાય તથા વૈશેષિક દર્શનકાર પણ પ્રત્યેક ક્રિયાના અસમવાયી કારણ તરીકે કાળને માને છે. કાળને દ્રવ્ય માનવું કે નહિ તે અંગે જૈન દાર્શનિકોમાં મતભેદ છે. તેનો નિર્દેશ કરતાં તત્ત્વાર્થસૂત્રકાર શ્રી ઉમાસ્વાતિજી સ્વયં કહે છેઃ હાનિશ્ચયે ! 38|| અર્થાત્ કાળ પણ દ્રવ્ય છે એવું કોઈક આચાર્ય માને છે. દિગંબર ગ્રંથોમાં પંચાસ્તિકાય અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy