SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ i18 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ફૂટપટ્ટી અને પરિકરની મદદથી દોરી શકાય છે જ્યારે 1ની ચોક્કસ કિંમત જેટલી લંબાઈવાળી રેખા દોરવી શકય નથી. ગ્રીક ગણિતજ્ઞ આર્કિમિડીસે, વર્તુળના પરિઘનાં અનેક બિંદુઓને સ્પર્શ કરતાં બાહ્ય બહિર્મુખ બહુકોણ તથા તે જ વર્તુળના પરિઘ ઉપરનાં અનેક બિંદુઓને પરસ્પર જોડતાં આંતર બહિર્મુખ બહુકોણની મદદથી, તે બંને બહુકોણની બાજુઓની સંખ્યાને વધારતા વધારતા, જેટલી શક્ય બને તેટલી સંખ્યા વધારીને વર્તુળનાં વ્યાસ અને પરિઘ વચ્ચેનો ગુણોત્તર શોધવા પ્રયત્ન કર્યો હતો અને તેમાં તેને ઘણી સારી સફળતા મળી હતી.? આકમિડિસે 1ની ચોક્કસ કિંમત શોધવા પ્રયત્ન કર્યો ત્યારથી યુરોપમાં, ઘણા ઘણા ગણિતજ્ઞોએ ની કિંમત શોધવા માટે પ્રયત્નો કર્યા છે અને તે માટે વિવિધ સૂત્રો શોધ્યાં છે. તેમાં જર્મન ગણિતજ્ઞ અને તત્ત્વચિંતક જી. લીબ્લીટ્ઝ (G.Liebnitz) સ્વીસ ગણિતજ્ઞ એલ. યુલર (L. Euler), બ્રિટિશ ગણિતશાસ્ત્રી, જે. વૉલિસ (J. Wallis) અને લૉર્ડ બ્રોન્કર(Lord Brounker)નો સમાવેશ થાય છે. આ ચારેય ગણિતશાસ્ત્રીઓએ જણાવેલાં સૂત્રો અનુક્રમ પ્રમાણે નીચે આપેલાં છે. - +.વગેરે ...વગેરે ...વગેરે () -- 2) - 1 .xx A 1 3 3 -x-x-x 5 5 1 + 2 + 72 _3+ વગેરે ઉપર જણાવેલ ચારે ચાર પદ્ધતિઓમાં અનંત પદો આવે છે. પરંતુ આપણે તો ચોક્કસ સંખ્યામાં જ પદો લઈ તેની ગણતરી કરવા શક્તિમાન છીએ. તેથી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy