SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 85 શ્રી અશોકકુમાર દત્તનો રંગીન શક્તિકણોનો.. સંશોધન થવું જરૂરી જણાય છે અને તેમના આ અનુભવો, તથા આવા જ પ્રકારના બીજાંઓને થતા અનુભવ, સંશોધનનું એક નવું ક્ષેત્ર ખોલી આપે છે. તેઓનું એક વિધાન/અનુભવ તો જૈને કર્મવાદ(Jain Karma Philosophy)ને આશ્ચર્યજનક રીતે પ્રતિબિમ્બિત કરે છે. તેઓ કહે છે કે જે શક્તિકણો આ શક્તિધૂચના ઘેરામાં આવી જાય છે, તેને સૂક્ષ્મ શરીર ભોજનના રૂપમાં ગ્રહણ કરે છે. આ વિધાનનું સ્કૂલ દૃષ્ટિએ અને સૂક્ષ્મ દૃષ્ટિએ, એમ બંને પ્રકારે વિશ્લેષણ કરવું જરૂરી છે. પૂલદૃષ્ટિએ જૈનદાર્શનિકોએ ચાર પ્રકારનો આહાર બતાવ્યો છે. 1. ક્વલાહાર 2. પ્રક્ષેપાહાર 3. લોમાહાર 4. ઓજાહાર, 1. કોળિયારૂપે રાંધેલું અનાજ વગેરે મુખદ્વારા ખાવું તે ક્વલાહાર, 2. મોં દ્વારા આહાર લેવાની શક્યતા ન હોય ત્યારે છિદ્ર પાડીને અથવા તો ઈજેક્શન વગેરે વડે સીધા જ લોહીમાં શક્તિદાયક પદાર્થો કે ઔષધ વગેરે આપવા તે પ્રક્ષેપાહાર, 3. વાતાવરણમાં રહેલ આહાર-પાણીના સૂક્ષ્મ પરમાણુઓને રૂંવાડાં વડે ગ્રહણ કરે તે લોકાહાર, 4. ગર્ભસ્થશિશુ માતા-પિતાના શુક્ર-શોણિતનો આહાર કરે તે ઓજાહાર.. સૂક્ષ્મદૃષ્ટિએ જૈન કર્મસિદ્ધાંત પ્રમાણે આ આત્મા/જીવ જેટલા આકાશ પ્રદેશમાં રહેલો હોય તેનાથી અનન્તર આકાશ પ્રદેશમાં રહેલ કર્મ-પરમાણુ અર્થાત્ કાર્પણ વર્ગણાના પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરે છે અને આત્મા તેને પોતાના કામણ શરીરમાં ભેળવી દે છે. આ પછી તે આત્માની સાથે કથંચિત્ અભેદ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. શ્રીદત્તના અનુભવમાં શું લોકાહાર અભિપ્રેત છે? કે પછી આ સૂક્ષ્મદ્રષ્ટિએ જણાવેલ કાર્મણ વર્ગણાનું અભિપ્રેત છે ? તેની સમજ પડતી નથી. કદાચ આવી ભેદરેખા દોરવાની તેમને કલ્પના આવી ન હોય કારણ કે જૈન કર્મસિદ્ધાંતના અભ્યાસ વિના પોતાના અનુભવનું આવું વિશ્લેષણ કે વર્ગીકરણ કરવું અશક્ય જણાય છે. આ શક્તિધૂચ અંગે તેઓ કહે છે કે જેમ શક્તિધૂચનો ઘેરાવો મોટો તેમ. શક્તિષ્ણોને ગ્રહણ કરવાની અને તેને બહાર નકામા-વેડફાઈ જતા બહાર નીકળી જતા રોકવાની ક્ષમતા પણ વધુ હોય છે. કદાચ આ અંગે એવું કહી શકાય કે જેમ જેમ જીવોની ઉન્નતિ વધુ તેમ તેમ તેઓનું આ શક્તિધૂચ અર્થાત્ આભામંડળ વધુ ને વધુ મોટું, શુદ્ધ અને સ્પષ્ટ થતું જાય છે. માટે જ દૈવી તત્ત્વો અર્થાત્ દેવી-દેવતા તથા તીર્થંકર પરમાત્મા દેવાધિદેવનું આભામંડળ શુદ્ધ, સ્પષ્ટ અને નજરે જોઈ શકાય તેવું હોય છે. જડ પદાર્થોમાં પણ આવું આભામંડળ હોઈ શકે, પરંતુ તે સજીવ પદાર્થના આભામંડળ જેવું સ્થિર અથવા આધ્યાત્મિક ઉત્ક્રાંતિ પ્રમાણે વિકાસ પામતું હોતું નથી. તે તો દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે, નિસ્તેજ થતું જાય છે. દેવોમાં પણ તેઓનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy