SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અશોકકુમાર દત્તનો રંગીન શક્તિકણોનો... 81 તેનું સમર્થન શ્રી દત્તના ઉપયુક્ત અનુભવથી સત્ય ઠરે છે. તે જ રીતે મંદિરનો ઘંટ, જે પિરામિડ આકારનો હોય છે, તેના ઘંટનાદમાં પણ ભૂરા કણો જ નીકળે છે. પિરામિડ અને પિરામિડ આકારનાં ઘુમ્મટવાળાં મંદિરો અને મકાનોમાં, તેની ટોચથી લઈને તેના પાયા(તળીયા) સુધીની ઊંચાઈના એક તૃતીયાંશ ભાગ સુધીની ઊંચાઈ કરતાં વધારે ભાગ સુધી ભૂરા શક્તિકણોનો ખજાનો હોય છે જે સૌથી વધુ શક્તિશાળી હોવાની સંભાવના છે; અને તેથી પિરામિડમાં તેના તળિયાથી એક તૃતીયાંશ ભાગ જેટલે ઊંચે અને પિરામિડની ટોચ(apex)ની બરાબર નીચે રાખવામાં આવેલ ફળ-ફૂલ વગેરે લાંબા સમય સુધી તાજાં જ રહે છે, અને તેનું શુષ્કીકરણ (dehydration) થાય છે, પરંતુ સડો થતો નથી. આ અંગે પશ્ચિમમાં ઘણાં સંશોધનો થયાં છે અને તેનાં પુસ્તકો પણ લેખાયેલાં છે.12 શ્રી દત્તનો પિરામિડ અંગેનો અનુભવ આ વાતનું સમર્થન કરે છે. જૈન ધર્મશાસ્ત્રો પુદ્ગલ શબ્દની વ્યાખ્યા આપતાં કહે છે. ‘પૂવૃત્તિ પત્નતિ કૃતિ પુત્ત્તત: ' અર્થાત્ જેમાં પૂરણ (fusion) અને ગલન(fission)ની પ્રક્રિયા સતત ચાલુ જ રહેતી હોય, તેને પુદ્ગલ કહેવામાં આવે છે.' શ્રી દત્તનો એવો અનુભવ છે કે સમગ્ર સૃષ્ટિમાંના જડ અને ચેતન, બધા જ પદાર્થોમાંથી લાલ, પીળા અને વાદળી, ત્રણે પ્રકારના કણો સતત નીકળતા જ રહે છે અર્થાત્ તેઓએ પોતાના ચર્મચક્ષુઓની વિશિષ્ટ શક્તિ દ્વારા જડ પૌદ્ગલિક પદાર્થોમાં થતી ગલનની પ્રક્રિયા અર્થાત્ પદાર્થમાંથી પરમાણુઓનું છૂટા પડવું (disintegration) જોયું છે. તેમાં પૂરણ કરતાં ગલનની પ્રક્રિયા વધુ થતી હોવાથી તેનો તેઓને અનુભવ થયો છે. પરંતુ એ જ પદાર્થોને જ્યારે પિરામિડ, ફ્રિઝ કે એવા કોઈ વિશિષ્ટ વાતાવરણમાં મૂકવામાં આવે છે ત્યારે ગલનની પ્રક્રિયા ઓછી થઈ જાય છે અને ભૂરા શક્તિકણોના ગ્રહણ સ્વરૂપ પૂરણની પ્રક્રિયા વધી જાય છે. માનવશરીરમાં પણ પૂરણ અને ગલનની પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે.“ જેનો સ્પષ્ટ અનુભવ તેઓને થાય છે. જે સંપૂર્ણ રીતે જૈન ધર્મશાસ્ત્રોમાં જણાવેલ સિદ્ધાંતોને સમર્થન આપે છે. શ્રી દત્તના જણાવ્યા પ્રમાણે લાલ કણોમાં સૌથી ઓછી શક્તિ હોય છે અને ભૂરા કણોમાં સૌથી વધુ શક્તિ હોય છે. આધુનિક વિજ્ઞાન પણ આ વાતને સ્વીકરે છે. ત્રિપાર્શ્વ કાચ (prism)માંથી પસાર થયેલ સૂર્યના કિરણનું સાત રંગોમાં વિભાજન થાય છે ત્યારે તેમાંથી મળતા વર્ણપટ(colour spectrum)માં, લાલ કિરણ અર્થાત્ કણોની કંપસંખ્યા/આવૃત્તિ સૌથી ઓછી હોય છે અને જાંબલી રંગના કિરણ અર્થાત્ કણોની કંપસંખ્યા સૌથી વધુ હોય છે અને ભૌતિકશાસ્ત્ર(physics)ના નિયમ પ્રમાણે જે કિરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy