SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 80 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો વર્ગણાના પરમાણુ-સમૂહ દ્વારા બનેલ છે. તદુપરાંત વિવિધ પ્રકારના વિચાર કરવામાં તેનો ઉપયોગ થાય છે. 8. કાર્પણ વર્ગણા:આ વર્ગણાના પરમાણુ સમૂહો શુભ અથવા અશુભ કર્મસ્વરૂપરૂપાંતર પામી, આત્માની સાથે જોડાઈ જાય છે અને તેનાથી કાર્મણ નામનું બીજું એક વિશિષ્ટ સૂક્ષ્મ શરીર નિર્માણ પામે છે. શ્રી અશોકકુમાર દત્તે, પોતાના બંને લેખમાં, રંગીન શક્તિકણોના સમૂહના મુખ્યત્વે ત્રણ રંગ બતાવ્યા છેઃ લાલ, પીળો અને ભૂરો. જ્યારે જૈન શાસ્ત્રકારોએ પુદ્ગલ દ્રવ્યના વર્ણનમાં, તેના મુખ્યત્વે પાંચ રંગ બતાવ્યા છે. સફેદ, લાલ, પીળો, નીલો(ભૂરો) અને કાળો. ચિત્રકામના વિષયમાં સફેદ અને કાળા રંગ સિવાય મુખ્ય ત્રણ રંગ બતાવ્યા છે? બાકીના રંગ આ ત્રણે રંગના સંયોજન દ્વારા બને છે. રંગીન છબીના છપાઈ કામમાં પણ લાલ, પીળો, ભૂરો અને કાળો રંગ વપરાય છે. ગંધના બે પ્રકાર છેઃ 1. સુગંધ 2. દુર્ગન્ધ રસના પાંચ પ્રકાર છે: 1. કડવો 2. તીખો 3. તૂરો 4. ખાટો 5. મધુર, ખારા રસની અહીં ગણતરી કરી નથી, પરંતુ ક્યાંક ક્યાંક ખારા રસને છઠ્ઠા રસ તરીકે ગ્રહણ કર્યો છે. સ્પર્શના આઠ પ્રકાર છે: 1. ગુરુ અથાત્ ભારે 2. લઘુ અર્થાત્ હળવો 3. મૃ/કોમળ 4. કર્કશ. 5. શીત/ઠંડો 6. ઉષ્ણ/ગરમ 7. સ્નિગ્ધ,ચીકણો 8. રુક્ષ અર્થાત્ લુખ્ખો એકલા સ્વતંત્ર પરમાણુમાં શીત અથવા ઉષ્ણ અને સ્નિગ્ધ અથવા રૂક્ષ, એમ બે પ્રકારના સ્પર્શ હોય છે. જ્યારે અનન્ત પરમાણુઓથી બનેલા પરમાણુ-સમૂહોમાં ક્યારેક પરસ્પર વિરોધી ન હોય તેવા ચાર સ્પર્શ હોય છે, તો કેટલાકમાં આઠે આઠ સ્પર્શ રહેલા હોય છે. ઉપર બતાવેલી આઠ પ્રકારની વર્ગણામાંથી પ્રથમ ચાર પ્રકારની વર્ગણાના પરમાણુ-સમૂહોમાં આઠે આઠ પ્રકારના સ્પર્શ હોય છે તો બાકીની ચાર વર્ગણાના પરમાણુ-સમૂહોમાં ચાર પ્રકારના સ્પર્શ હોય છે. આટલી પૂર્વભૂમિકા રૂપ, પુદ્ગલ દ્રવ્યની માહિતી મેળવ્યા પછી હવે આપણે શ્રી દત્તના અનુભવોનું વિશ્લેષણ કરીશું શંખના ધ્વનિમાં મોટાભાગે ભૂરા રંગના કણો નીકળતા દેખાતા હતા. હિન્દુ મંદિરોમાં સામાન્ય રીતે સાંજના આરતી સમયે શંખધ્વનિ કરવાનો રિવાજ છે. એમ કહેવાય છે કે શંખ ધ્વનિથી વાતાવરણની કલુષિતતા/અપવિત્રતા અને અશુભત્વ દૂર થાય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy