SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્યામ ૪૯ (5) ચાતુર્યામ બૌદ્ધ પિટકાન્તર્ગત દીઘનિકાય’ અને ‘સંયુત્તનિકાય'માં નિર્ચન્થોના મહાવ્રતોની ચર્ચા આવે છે. “દીધનિકાય'ના ‘સામખ્ખફલસુત્ત’માં શ્રેણિક-બિંબિસારના પુત્ર અજાતશત્રુકુણિકે જ્ઞાતપુત્ર મહાવીર સાથે થયેલી પોતાની મુલાકાતનું વર્ણન બુદ્ધ આગળ કર્યું છે જેમાં જ્ઞાતપુત્ર મહાવીરના મુખે કહેવડાવ્યું છે કે નિર્ઝન્ય ચાતુર્યામસંવરથી સંયત હોય છે, આવો નિર્ઝન્ય જ યતાત્મા અને સ્થિતાત્મા હોય છે. આ જ રીતે સંયુત્તનિકાયના દેવદત્ત સંયુત્ત’માં નિંક નામની વ્યક્તિ જ્ઞાતપુત્ર મહાવીરને લક્ષ્યમાં રાખીને બુદ્ધ આગળ કહે છે કે તે જ્ઞાતપુત્ર મહાવીર દયાલુ, કુશલ અને ચતુર્યામયુક્ત છે. આ બૌદ્ધ ઉલ્લેખોને આધારે આપણે એટલું તો જાણી શકીએ છીએ કે ખુદ બુદ્ધના સમયમાં અને તેના પછી પણ (બૌદ્ધ પિટકોએ અન્તિમ સ્વરૂપ ધારણ ક્યું ત્યાં સુધી પણ) બૌદ્ધ પરંપરા મહાવીરને અને મહાવીરના અન્ય નિગ્રન્થોને ચાતુર્યામયુક્ત સમજતી રહી. વાચક એ વાત જાણી લે કે યામનો અર્થ મહાવ્રત છે જે યોગશાસ્ત્ર (2.30) અનુસાર યમ પણ કહેવાય છે. મહાવીરની નિર્ગસ્થ પરંપરા આજ સુધી પાંચ મહાવ્રતધારી રહી છે અને પાંચ મહાવ્રતી તરીકે જ શાસ્ત્રમાં તથા વ્યવહારમાં પ્રસિદ્ધ છે. આવી સ્થિતિમાં બૌદ્ધ ગ્રન્થોમાં મહાવીર અને અન્ય નિર્ચન્થોનું ચતુર્મહાવ્રતધારી તરીકે જે કથન છે તેનો શું અર્થ છે? આ પ્રશ્ન આપોઆપ જ પેદા થાય છે. આનો ઉત્તર આપણને ઉપલબ્ધ જૈન આગમોમાંથી મળી જાય છે. ઉપલબ્ધ આગમોમાં ભાગ્યવશ અનેક એવા પ્રાચીન સ્તરો સુરક્ષિત રહી ગયા છે જે કેવળ મહાવીરકાલીન નિર્ઝન્ય પરંપરાની સ્થિતિ પર જ નહિ પણ પૂર્વવર્તી પાર્શ્વપત્યિક નિર્ઝન્ય પરંપરાની સ્થિતિ પર પણ સ્પષ્ટ પ્રકારનાખે છે. ભગવતી’ અને ‘ઉત્તરાધ્યયન’ જેવા જૈન આગમોમાં વર્ણન મળે છે કે પાર્શ્વપત્યિક નિર્ચન્થ જે ચાર મહાવ્રતયુક્ત હતા તેમનામાંથી અનેક મહાવીરનું શાસન સ્વીકારીને મહાવીર દ્વારા ઉપદિષ્ટ પાંચ મહાવ્રતોને ધારણ ક્યાં અને પ્રાચીન ચતુર્મહાવ્રતની પરંપરાને બદલી નાખી, જ્યારે કેટલાક એવા પણ પાશ્વપત્યિક નિર્ઝન્ય રહ્યા જેમણે પોતાની ચતુર્મહાવ્રતની પરંપરાને જ કાયમ રાખી. ચારના બદલે પાંચ મહાવ્રતોની સ્થાપના મહાવીરે શા માટે કરી અને ક્યારે કરી એ પણ એતિહાસિક સવાલ છે. શા માટે કરી એ પ્રશ્નનો જવાબ તો જૈન ગ્રન્થોદે છે પરંતુ ક્યારે કરી એ પ્રશ્નનો જવાબ જૈન ગ્રન્થો દેતા નથી. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ આ ચાર યામો અર્થાત્ મહાવ્રતોની પ્રતિષ્ઠા ભગવાન પાર્શ્વનાથે કરી હતી પરંતુ નિર્ઝન્ય પરંપરામાં ક્રમશઃ એવું શૈથિલ્ય આવી ગયું કે કેટલાક નિર્ઝન્ય અપરિગ્રહનો અર્થ સંગ્રહન કરવો એટલો જ કરીને સ્ત્રીઓનો સંગ્રહ કે પરિગ્રહ કર્યા વિના તેમનો સંપર્ક કરવાથી અપરિગ્રહનો ભંગ સમજતા ન હતા. આ શિથિલતાને દૂર 1. દીઘનિકાય, સુત્ત 2. સંયુત્તનિકાય, વોલ્યુમ 1, પૃ. 66. 2. ‘ઉત્થાન મહાવીરાંક (સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, મુંબઈ), પૃ. 46. 3. એજન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy