SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સામિષ-નિરામિષઆહાર ૧૯ નવો ફિકો ફૂલીફાલી શકતો નથી. તેમાં પણ જો પ્રાચીન શાસ્ત્રોમાં નવા આંદોલન વિરુદ્ધ પ્રમાણો ભરેલાં હોય તો નવા આન્દોલનને આગળ કૂચ કરવામાં ઘણી મોટી બાધાઓનો સામનો કરવો પડે છે. પ્રાચીન નિર્પ્રન્થ આગમોમાં તથા ઉત્તરકાલીન અન્ય સાહિત્યમાં મૂર્તિપૂજા અને પ્રતીકોપાસનાના સૂચક અનેક ઉલ્લેખો મોજૂદ છે - આવી સ્થિતિમાં વિરુદ્ધ ઉલ્લેખવાળા આગમોને માનીને મૂર્તિપૂજાવિરોધનું સમર્થન કેવી રીતે કરી શકાય ? મૂર્તિપૂજાનો વિરોધ પરિસ્થિતિમાં આવી ગયો હતો, આન્દોલન ચાલુ હતું, પ્રાચીન વિરુદ્ધ ઉલ્લેખો બાધક બની રહ્યા હતા - આ મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા માટે નવા મૂર્તિપૂજાવિરોધી ફિરકાએ પેલા ઐતિહાસિક માર્ગનું અવલંબન લીધું જેનું અવલંબન સામિયનિરામિષ ભોજનના વિરોધનો પરિહાર કરવા માટે પહેલાં પણ નિગ્રન્થ મુનિઓએ લીધું હતું. અર્થાત્ મૂર્તિપૂજાના વિરોધીઓએ ચૈત્ય, પ્રતિમા, જિનગૃહ આદિ મૂર્તિસૂચક પાઠોનો અર્થ જ બદલી નાખવાનું શરૂ કરી દીધું. આ રીતે આપણે શ્વેતામ્બર ફિરકામાં જ દેખીએ છીએ કે એક ફિરકો જે પાઠોનો મૂર્તિપરક અર્થ કરે છે તે જ પાઠોનો બીજો ફિકો અન્યાન્ય અર્થ કરીને મૂર્તિપૂજાના વિરોધી પોતાના પક્ષનું સમર્થન કરે છે. વાચકો સરળતાથી સમજી શક્યા હો કે પ્રાચીન પાઠરૂપ એક જ ડીંટામાં - વૃન્તમાં પરિસ્થિતિભેદે કેવાં અનેક ફળો લાગે છે. આગમોની પ્રાચીનતા સામિષ આહારના સૂચક પાઠોનો વનસ્પતિપરક અર્થ કરનારાઓનો આશય તો બૂરો ન હતો. હા, ઉત્સર્ગ-અપવાદના સ્વરૂપનું જ્ઞાન તથા ઐતિહાસિકતાની વફાદારી તેમનામાં અવય ઓછી હતી. અસલ અર્થને વળગી રહેનારાઓનું માનસ સનાતન અને રૂઢિગામી અવરય હતું પરંતુ સાથે સાથે જ તે માનસમાં ઉત્સર્ગ-અપવાદના સ્વરૂપનું વિસ્તૃત જ્ઞાન તથા ઐતિહાસિકતાની વફાદારી બંને પર્યાપ્ત હતાં. આ ચર્ચા ઉપરથી એ સરળતાથી જાણી શકાય છે કે આગમોનું ક્લેવર કેટલું પ્રાચીન છે. જો આગમ, ભગવાન મહાવીરથી અનેક શતાબ્દીઓ પછી કોઈ એક ફિરકા દ્વારા રચાયાં હોત તો તેમનામાં આવાં સામિષ આહારગ્રહણનાં સૂચક સૂત્રો આવવાનું કોઈ જ કારણ ન હતું, કેમ કે તે જમાના પહેલેથી જ આખી નિગ્રન્થપરંપરા નિરપવાદરૂપે નિરામિષભોજી બની ચૂકી હતી અને માંસ-મસ્ત્યાદિનો ત્યાગ કુલધર્મ જ બની ગયો હતો. ભલા કોણ એવો હોય જે વર્તમાન નિરામિષ ભોજનની નિરપવાદ વ્યવસ્થામાં આવાં સામિષઆહારસૂચક સૂત્રો બનાવીને આગમોમાં દાખલ કરી દે અને પોતાની પરંપરાના અહિંસામૂલક જીવનવ્યવહારની ઠેકડી બીજાઓ ઉડાવે એવી સ્થિતિ જાણીજોઈને ઊભી કરે. આખા ભારતવર્ષનાં જુદાં જુદાં અસલ માનવદળોનો અને વખતોવખત આવીને વસનારાં નવાં નવાં માનવદળોનો ઇતિહાસ આપણે જોઈએ છીએ તો એક વાત નિર્વિવાદ પણે જાણવા મળે છે કે ભારતવાસી પ્રત્યેક ધર્મસંપ્રદાય નિરામિષ ભોજનની તરફ કંઈક ને કંઈક આગળ વધ્યો છે. આ ઇતિહાસનાં પાનાં જેટલાં પ્રાચીન તેટલો જ વધુ તે પાનાંઓમાં સામિષ આહાર અને ધર્મ્યુ પશુવધ જોવા મળે છે. આવી સ્થિતિમાં આગમોમાં આવતાં સામિષાહારસૂચક સૂત્રો નિર્પ્રન્થપરંપરાના પ્રાચીન સ્તરને જ સૂચિત કરે છે જે કોઈ નેકોઈ રીતે આગમોમાં સુરક્ષિત રહી ગયો છે. કેવળ આ આધારે પણ આગમોની પ્રાચીનતા અનાયાસ જ ધ્યાનમાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy