SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સામિષ-નિરામિષઆહાર અંતર રહેવું અનિવાર્ય છે. માંસ-મસ્ય આદિનો વ્યવહાર કરનારી જાતિઓ કે વ્યક્તિઓ એકાએક નિગ્રંન્યસંઘમાં સામેલ થતાવેંત જ પોતાના બધા જ જૂના સંસ્કારો બદલી નાખે એ સર્વત્ર સંભવ નથી. પ્રચારક નિર્ઝન્ય તપસ્વી પણ સંઘમાં ભરતી થનારી નવી જાતિઓ તથા વ્યક્તિઓના સંસ્કાર તેમની રુચિ અને શક્તિ અનુસાર જ બદલવા ઠીક સમજતા હતા, જેમ આજકાલના પ્રચારક પણ પોતપોતાના ઉદ્દેશ્ય માટે તેવું જ કરે છે. એક વાર નિર્ગન્ધસંઘમાં દાખલ થઈ ગયેલા અને તેના સિદ્ધાન્તાનુસાર જીવનવ્યવહાર બનાવી લેનારાઓની જે સંતતિ થાય છે તેને તો નિગ્રંન્યસંઘાનુકૂલ સંસ્કાર જન્મસિદ્ધ હોય છે પરંતુ સંઘમાં નવા ભરતી થયેલાઓના નિર્ઝન્યસંઘાનુકુલ સંસ્કાર જન્મસિદ્ધ નહોતાં પ્રયત્નસાધ્ય હોય છે. જન્મસિદ્ધ અને પ્રયત્નસાધ્ય સંસ્કારોની વચ્ચે અંતર એ હોય છે કે એક તો પ્રયત્ન વિના અને વિશેષ તાલીમ વિના જ જન્મથી ચાલતા આવે છે જ્યારે બીજા બુદ્ધિપૂર્વક પ્રયત્નથી ધીરે ધીરે આવે છે. બીજા અર્થાત્ પ્રયત્નસાધ્ય સંસ્કારની અવસ્થા જ સંક્રમકાલ છે. કોઈ એ ન સમજે કે નિર્ઝન્યસંઘના બધા અનુયાયી અનાદિકાળથી જન્મસિદ્ધ સંસ્કાર લઈને જ ચાલ્યા આવે છે. નિર્ઝન્યસંઘનો ઇતિહાસ કહે છે કે આ સંઘે અનેક જાતિઓ અને વ્યક્તિઓને નિર્ગન્ધસંઘની દીક્ષા આપી હતી. આ જ કારણે મધ્યકાલની જેમ પ્રાચીનકાળમાં આપણને એક જ કુટુંબમાં નિર્ઝન્યસંઘના અનુયાયીઓ અને ઇતિર બૌદ્ધ આદિ શ્રમણ તથા બ્રાહ્મણ સંપ્રદાયના અનુયાયીઓ જોવા મળે છે. વિરોષ તો શું આપણે ઇતિહાસમાંથી એ પણ જાણીએ છીએ કે પતિ નિર્ઝન્યસંઘનું અંગ છે તો પત્ની ઇતર ધર્મની અનુયાયિની છે. જેવો આજનો નિર્ઝન્યસંઘ માત્ર જન્મસિદ્ધ દેખાય છે તેવો તે મધ્યકાલ અને પ્રાચીનકાળમાં નહતો. તે સમયે પ્રચારક નિર્ચન્જ પોતાના સંઘની વૃદ્ધિ અને વિસ્તાર કરવામાં લાગેલા હતા, તેથી તે સમયે એ સંભવ હતો કે એક જ કુટુંબમાં કોઈ નિરામિષભોજી નિર્ચન્ય ઉપાસક હોય તો સાથે સાથે જ અન્ય સામિષભોજી બીજો ધર્માનુયાયી પણ હોય. એક જ કુટુંબની આવી નિરામિષસામિષભોજનની મિશ્રિત વ્યવસ્થામાં પણ નિર્ગન્ધશ્રમણોને ભિક્ષા માટે જવું પડતું હતું. આપવાદિક સ્થિતિ એ સિવાય કોઈ કોઈ સાહસિક નિન્ય પ્રચારક નવા નવા પ્રદેશોમાં પોતાનું નિરામિષભોજનનો તથા અહિંસાનો પ્રચાર કરવાનું ધ્યેય લઈને જતા હતા જ્યાં તેમને પાકા અનુયાયીઓ મળે તે પહેલાં મોજૂદ ખાનપાનની વ્યવસ્થામાંથી ભિક્ષા લઈને ચલાવી લેવું પડતું હતું. ક્યારેક ક્યારેક એવા પણ રોગ આદિ સંકટો ઉપસ્થિત થતા હતા જે વખતે સુવૈદ્યોની સલાહ અનુસાર નિર્ઝન્યોને ખાનપાનમાં અપવાદમાર્ગને ગ્રહણ કરવો પડતો હતો. આ અને આના જેવી અનેક પરિસ્થિતિઓ પ્રાચીન નિર્ગન્ધસંઘના ઇતિહાસમાં વર્ણવાયેલી છે. આ પરિસ્થિતિઓમાં નિરામિષભોજનના અને અહિંસાના પ્રચારના ધ્યેયનું આત્યંતિક ધ્યાન રાખવા છતાં પણ ક્યારેક ક્યારેક નિર્ગસ્થ પોતાના એષણીય અને કથ્ય આહારની મર્યાદાને સખતપણે પાળતા હોવા છતાં માંસ-મસ્યાદિનું ગ્રહણ કરતા હોય તો કોઈ અચરજની વાત નથી. આપણે જ્યારે આચારાંગ અને દશવૈકાલિક આદિ આગમોનાં સામિષઆહારસૂચક 16. ઉપાસકદશાંગ, અ. 8. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy