SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યસમ્મઠાય અર્થભેદની મીમાંસા પહેલાં આપણે બે પ્રશ્નો ઉપર વિચાર કરી લઈએ તો સારું રહેશે. એક તો એ કે અખાદ્યવિષયક સમજવામાં આવતાં સૂત્રોના વનસ્પતિ અને માંસ-મસ્યાદિ એવા જે બે અર્થ પ્રાચીન સમયથી વ્યાખ્યાકારોમાં દેખાય છે તેમાંથી ક્યો અર્થ પાછળથી કરાવા લાગ્યો? બીજો પ્રશ્ન એ છે કે પહેલા અર્થના હોવા છતાં કઈ એવી સ્થિતિ પેદા થઈ કે જેથી બીજો અર્થ કરવાની આવશ્યકતા પડી, યા એવો અર્થ કરવા તરફ તત્કાલીન વ્યાખ્યાકારોને ધ્યાન દેવું પડ્યું? કોઈ પણ બુદ્ધિમાન એ તો વિચારી જ ન શકે કે સૂત્રોની રચનાના સમયે રચનાકારને વનસ્પતિ અને માંસ-મસ્યાદિ બને અર્થ અભિપ્રેત હોવા જોઈએ. નિશ્ચિત અર્થનાં બોધક સૂત્ર પરસ્પર વિરોધી એવા બે અર્થોનો બોધકરાવે અને જિજ્ઞાસુઓને સાયયા ભ્રમમાં નાખે એતો સંભવ જ નથી. એટલે એ જ માનવું પડે છે કે રચનાના સમયે તે સુત્રોનો કોઈ એક જ અર્થ સૂત્રકારને અભિપ્રેત હતો. કયો અર્થ અભિપ્રેત હતો એટલું જ વિચારવાનું બાકી રહે છે. જો આપણે માની લઈએ કે રચનાના સમયે સૂત્રોનો વનસ્પતિપરક અર્થ હતો તો આપણે એ ન છૂટકે માનવું પડે કે માંસ-મસ્યાધિરૂપ અર્થ પાછળથી કરાવા લાગ્યો. આવી પરિસ્થિતિમાં નિર્ગન્ધસંઘની બાબતમાં એ પણ વિચારવું પડે કે શું કોઈ એવી ઘટના ઘટી હતી કે આપત્તિવશ નિર્ગન્ધસંઘ માંસ-મસ્યાદિનું પણ ગ્રહણ કરવા લાગ્યો હોય અને તેનું સમર્થન પેલા સૂત્રોથી કરતો હોય. ઇતિહાસ કહે છે કે નિર્ગન્ધસંઘમાં કોઈ પણ એવું નાનુંમોટું દળનથી થયું જેણે આપત્તિકાળમાં કરવામાં આવેલા માંસ-મસ્યાદિના ગ્રહણનું સમર્થન વનસ્પતિબોધક સૂત્રોનો માંસ-મસ્યાદિ અર્થ કરીને કર્યું હોય. અલબત્ત, નિર્ઝન્યસંઘના લાંબા ઇતિહાસમાં આપત્તિ અને અપવાદના હજારો પ્રસંગો આવ્યો છે પરંતુ કોઈ નિર્ઝન્યદળે આપવાદિક સ્થિતિનું સમર્થન કરવા માટે પોતાના મૂળ સિદ્ધાન્ત અહિંસાથી દૂર થઈને સૂત્રોનો બિલકુલ વિરુદ્ધ અર્થ કર્યો નથી. બધા નિન્ય અપવાદનું અપવાદરૂપે જુદું જ વર્ણન કરતા આવ્યા છે. આ વાતની સાક્ષી છેદસૂત્રોમાં પદે પદે મળે છે. નિર્ગન્ધસંઘનું બંધારણ પણ એવું રહ્યું છે કે કોઈ આવા વિકૃત અર્થને સૂત્રોની વ્યાખ્યામાં પછીથી સ્થાન તો તે નિર્ગન્ધસંઘનું અંગ રહી શકે જ નહિ. એટલે એ જ માનવું પડે છે કે રચનાકાળે સૂત્રોનો અસલ અર્થ માંસ-મસ્યાદિ જ હતો અને પાછળથી વનસ્પતિઅર્થ પણ કરાવા લાગ્યો. આવું કેમ કરાવા લાગ્યું? આ જ બીજો પ્રશ્ન હવે આપણી સામે આવે છે. સંઘની નિમણપ્રક્રિયા નિગ્રંન્યસંઘના નિર્માણની પ્રક્રિયા તો અનેક શતાબ્દી પહેલેથી ભારતવર્ષમાં ધીરે ધીરે પણ સતત ચાલુ હતી. આ પ્રક્રિયાનો મુખ્ય આધાર અહિંસા, સંયમ અને તપ જ પહેલેથી રહ્યો છે. અનેક નાનીમોટી જાતિઓ અને છૂટીછવાઈ વ્યક્તિઓ તે આધારથી આકર્ષાઈને નિર્ઝન્યસંઘમાં સમ્મિલિત થતી રહી છે. જ્યારે કોઈ નવું દળકે નવી વ્યક્તિઓ સંઘમાં પ્રવેશ કરે છે ત્યારે તેના માટે તે સંમકલ હોય છે. સંઘમાં સ્થિર થયેલ દળ તથા વ્યક્તિ અને સંઘમાં નવો પ્રવેશ કરનાર દલ તથા વ્યક્તિની વચ્ચે અમુક સમય સુધી આહાર-વિહારાદિમાં ઓછુંવતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy