SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્થકારનું તાત્પર્ય તથા તેમની સ્વપજ્ઞવિચારણા ૧૨૧ પરંપરામાં મલવાદી નામના કેટલાય આચાર્યો થયા મનાય છે પરંતુ યુગપઢાદના પુરસ્કર્તા તરીકે અભયદેવ દ્વારા નિર્દિષ્ટ મદ્વવાદીતે જવાદિમુખ્ય સંભવે છે જેમનોરચેલો દ્વાદશાનિયચક્ર' ગ્રન્થ છે અને જેમણે દિવાકરના સન્મતિતર્ક પર પણ ટીકા લખી હતી જે ટીકા ઉપલબ્ધ નથી. જો કે દ્વાદરારનયચક્ર અખંડ ઉપલબ્ધ નથી પણ તેસિંહગણી ક્ષમાશ્રમણકૃત ટીકા સાથે ખંડિત પ્રતિરૂપે મળે છે. હમણાં અમે તે પૂરા સટીક નયચકનું અવલોકન કરીને જોયું તો તેમાં ક્યાંય પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનના વિષયમાં પ્રચલિત ઉપર્યુક્ત વાદો પર થોડી પણ ચર્ચા મળી નહિ. જો કે સન્મતિતર્કની મલ્લવાદીકૃત ટીકા ઉપલબ્ધ નથી પરંતુ જ્યારે મલ્લવાદી અભેદસમર્થક દિવાકરના ગ્રન્થ પર ટીકા લખે ત્યારે એ કેવી રીતે માની શકાય કે તેમણે દિવાકરના ગ્રન્થની વ્યાખ્યા લખતી વખતે તેમાં તેમના વિરુદ્ધ પોતાનો યુગ૫ત્પક્ષકોઈક રીતે સ્થાપ્યો હોય. આવી રીતે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે એ નથી કહી શકતા કે યુગપાદના પુરસ્કર્તા તરીકે મલ્લવાદીના અભયદેવે કરેલા ઉલ્લેખનો આધાર નયચક્ર કે તેમની સન્મતિટીકામાં રહ્યો હશે. જો અભયદેવનો ઉક્ત ઉલ્લેખાંશ અભ્રાન્ત અને સાધાર હોય તો વધુમાં વધુ આપણે એ જ કલ્પના કરી શકીએ કે મલ્લવાદીનો કોઈ અન્ય યુગપલ્પસમર્થક નાનોમોટો ગ્રન્થ અભયદેવની સામે રહ્યો હશે અથવા એવા મન્તવ્યવાળો કોઈ ઉલ્લેખતેમને મળ્યો હશે. અસ્તુ. જે હો તે, પરંતુ અત્યારે આપણી સામે આટલી વસ્તુ નિશ્ચિત છે કે અન્ય વાદોનું ખંડન કરીને ક્રમવાદનું સમર્થન કરનારું તથા અન્ય વાદોનું ખંડન કરીને અભેદવાદનું સમર્થન કરનારું સ્વતન્ત્રસાહિત્યમોજૂદ છે જે અનુક્રમે જિનભદ્રગણિ અને સિદ્ધસેન દિવાકરે રચેલું છે. અન્યવાદોનું ખંડન કરીને એકમાત્ર યુગપાઠનું છેવટે સ્થાપન કરનારો કોઈ સ્વતંત્ર ગ્રન્ય જો હોય તો તે શ્વેતામ્બર પરંપરામાં નથી પરંતુ દિગમ્બર પરંપરામાં છે. (10) ગ્રન્યકારનું તાત્પર્ય તથા તેમની સ્વોપલ્લવિચારણા ઉપાધ્યાયજી દ્વારા નિર્દિષ્ટ વિપ્રતિપત્તિઓના પુરસ્કર્તાઓ અંગે જે કંઈ કહેવું હતું તેને સમાપ્ત કરીને અન્તમાં બે વાતો કહેવી છે: (ક) ઉક્ત ત્રણ વાદોના રહસ્યને દર્શાવવા માટે ઉપાધ્યાયજીએ જિનભદ્રગણિના કોઈક ગ્રન્થને લઈને જ્ઞાનબિન્દુમાં તેની વ્યાખ્યા કેમ ન કરી અને દિવાકરના સન્મતિતર્કગત ઉક્ત વાદવાળા ભાગને લઈને તેની વ્યાખ્યા કેમ ન કરી? અમને આ પસંદગીનું કારણ એ જણાય છે કે ઉપાધ્યાયજીને ત્રણે વાદોના રહસ્યને પોતાની દષ્ટિએ પ્રગટ કરવું અભિમત હતું તેમ છતાં તેમની તાર્કિક બુદ્ધિનો વધુ ઝોક અવશ્ય અભેદવાદની તરફ રહ્યો છે. જ્ઞાનબિન્દુમાં પહેલાં પણ જ્યાં મતિયુતના અને અવધિમનઃ પર્યાયના અભેદનો પ્રશ્ન આવ્યો ત્યાં તેમણે બહુ ખૂબીથી દિવાકરના અભેદમતનું સમર્થન કર્યું છે. એ સૂચવે છે કે ઉપાધ્યાયજીનું પોતાનું મુખ્ય તાત્પર્ય અભેદપક્ષનું જ છે. અહીં એ પણ ધ્યાનમાં રહે કે સન્મતિના જ્ઞાનકાર્ડની ગાથાઓની વ્યાખ્યાકરતી વખતે ઉપાધ્યાયજીએ કેટલાંય સ્થાને પૂર્વવ્યાખ્યાકાર અભયદેવના વિવરણની સમાલોચના કરી છે અને તેમાં ત્રુટિઓ દર્શાવીને તે સ્થાને તેમણે પોતે જ નવીન રીતે વ્યાખ્યાન પણ કર્યું છે.25 24. ૩ ૪ વારિપુશેન શ્રીમઝુવાદિનાન્મતો અનેકાન્તજયપતાકાટીકા, પૃ. 116. 25. જુઓ જ્ઞાનબિજુની કંડિકાઓ 104,105, 106, 110. 148, 165. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy