________________
૧૧૯
કેવલાન-દર્શનોપયોગના ભેઠાભેઠની ચર્ચા વિશેષ આચાર્યોનાં નામ સૂચવ્યાં છે. તેમણે પ્રથમ વિત્' રાબ્દથી યુગદ્વાદના પુરસ્કર્તા તરીકે સિદ્ધસેનનું નામ સૂચવ્યું છે. ત્યાર પછી ‘બન્ય’ શબ્દથી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને કમવાદના પુરસ્કર્તા તરીકે સૂચવ્યા છે અને બીજા અન્ય’ શબ્દથી વૃદ્ધાચાર્યને અભેદવાદના પુરસ્કર્તા તરીકે દર્શાવ્યા છે. હરિભદ્રસૂરિ પછી બારમી સદીના મલયગિરિસૂરિએ પણ નન્દીસૂત્ર ઉપર ટીકા લખી છે. તેમાં (પૃ. 134) તેમણે વાદોના પુરસ્કર્તાઓનાં નામ અંગે હરિભદ્રસૂરિના કથનનું જ અનુસરણ કર્યું છે. અહીં યાદ રાખવાની વાત એ છે કે વિશેષાવશ્યકની ઉપલબ્ધ બન્ને ટીકાઓમાં - બેમાંથી પહેલી આઠમીનવમી સદીના કોટ્યાચાર્યની છે અને બીજી બારમી સદીના માલધારી હેમચન્દ્રની છે - ત્રણે વાદોના પુરસ્કર્તા તરીકે કોઈ આચાર્યવિશેષના નામનો નિર્દેશ નથી.23 ઓછામાં ઓછું કોટ્યાચાર્યની સામે તો વિશેષાવાયકભાષ્યની જિનભદ્રીય સ્વપજ્ઞ વ્યાખ્યા મોજૂદ હતી જ. તેથી એ કહી શકાય કે તેમાં પણ ત્રણે વાદોના પુરસ્કર્તા તરીકે કોઈ વિશેષ આચાર્યનું નામ નહિ હોય, અન્યથા કોટ્યાચાર્ય તે જિનભદ્રીય સ્વોપજ્ઞ વ્યાખ્યામાંથી વિશેષ નામો પોતાની વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિમાં જરૂર લેત. આમ આપણે દેખીએ છીએ કે જિનભદ્રની એકમાત્ર વિરોષણવતીગત ગાથાઓની વ્યાખ્યા કરતી વખતે સૌપ્રથમ આચાર્ય હરિભદ્ર જ ત્રણેયવાદોના પુરસ્કર્તાઓનાં વિશેષ નામોનો ઉલ્લેખ કર્યો છે.
બીજી બાજુ આપણી સમક્ષ પ્રસ્તુત ત્રણે વાદોની ચર્ચા કરતો બીજો ગ્રન્થ સન્મતિત છે જે નિર્વિવાદ સિદ્ધસેન દિવાકરની કૃતિ છે, તેમાં દિવાકરજીએ ક્રમવાદનો પૂર્વપક્ષ તરીકે ઉલ્લેખ કરતી વખતે વિત’ એટલું જ કહ્યું છે. કોઈ વિશેષ નામનો નિર્દેશ કર્યો નથી. યુગાદ્વાદ અને અભેદવાદને રજૂ કરતી વખતે તેમણે વિત’ ‘ક’ જેવા શબ્દોનો પણ પ્રયોગ
ર્યો નથી. પરંતુ આપણે જ્યારે વિક્રમીય અગિયારમી સદીના આચાર્ય અભયદેવની ‘સન્મતિટીકાને દેખીએ છીએ ત્યારે ત્રણેયવાદોના પુરસ્કર્તાઓનાં નામ તેમાં આપણને સ્પષ્ટ મળે છે (પૂ. 608). અભયદેવ હરિભદ્રની જેમ કુમવાદના પુરસ્કર્તા તરીકે તો જિનભદ્ર ક્ષમાશ્રમણને જ દર્શાવે છે પરંતુ આગળનું તેમનું કથન હરિભદ્રના કથનથી જુદું પડે છે. હરિભદ્ર જ્યારે યુગપટ્વાદના પુરસ્કર્તા તરીકે આચાર્ય સિદ્ધસેનનું નામ સૂચવે છે ત્યારે અભયદેવ તેના પુરસ્કર્તા તરીકે આચાર્ય મલ્લવાદીનું નામ સૂચવે છે. હરિભદ્ર જ્યારે અભેદવાદના પુરસ્કર્તા તરીકે વૃદ્ધાચાર્યનું નામ સૂચવે છે ત્યારે અભયદેવ તેના પુરસ્કર્તા તરીકે આચાર્ય સિદ્ધસેનનું નામ સૂચવે છે. આમ બન્નેના કથનમાં જે ભેદ યા વિરોધ છે તેના ઉપર વિચાર કરવો જરૂરી છે.
ઉપરના વર્ણન ઉપરથી વાચકો એ તો સારી રીતે જાણી શક્યા હશે કે હરિભદ્ર તથા અભયદેવના કથનમાં ક્રમવાદના પુરસ્કર્તાના નામ બાબત કોઈ મતભેદ નથી. તેમનો મતભેદ યુગાદ્વાદ અને અભેદવાદના પુરસ્કર્તાઓનાં નામ અંગે છે. હવે પ્રશ્ન એ છે કે હરિભદ્ર અને 23. મલધારીએ અભેદપક્ષનું સમર્થક ‘ઋત્વિમેમપ્રતિદતમ્' ઇત્યાદિ પદ્ય સ્તુતિકારના
નામથી ઉદ્ધત કર્યું છે અને કહ્યું છે કે એવું માનવું યુક્તિયુક્ત નથી. આથી એટલું તો સ્પષ્ટ છે કે મલધારીએ સ્તુતિકારને અભેદવાદી માન્યા છે. જુઓ વિશેષાવાયકભાષ્ય ગાથા 3091 ઉપરની ટીકા. ઉક્ત પદ્યને કોટ્યાચાર્યે ‘કુર્જર' કહીને ઉદ્ધત કર્યું છે. પૃ. 87.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org