________________
કેવલજ્ઞાન-દર્શનોપયોગના ભેઠાભેદની ચર્ચા
૧૧૭ માનનારાઓનું મોટું આગમિક દળ હતું જે આગમનાં અનેક વાક્યો ટાંકીને એ દર્શાવતા હતા કે યૌગપઘપક્ષનું જૈન આગમ દ્વારા ક્યારેય સમર્થન કરી શાકાતું નથી. જો કે દારૂઆતમાં યૌગપઘપક્ષ તર્કબળના આધાર ઉપર જ પ્રતિષ્ઠિત થયેલો જણાય છે પરંતુ સંપ્રદાયની સ્થિતિ જ એવી હતી કે યૌગપઘપક્ષને માનનારાઓ જ્યાં સુધી પોતાના યૌગપઘપક્ષનું આગમિક વાક્યો દ્વારા સમર્થન ન કરે અને આગમિક વાક્યોથી જ કમપક્ષને માનનારાઓને જવાબ ન આપે ત્યાં સુધી તેમનાયૌગપઘપક્ષનો સંપ્રદાયમાં આદર થવો શક્ય ન હતો. આવી સ્થિતિને પામી જઈને યૌગપઘપક્ષના સમર્થક તાર્કિક વિદ્વાનો પણ આગમિક વાક્યોનો આધાર પોતાના પક્ષ માટે લેવા લાગ્યા તથા પોતાની દલીલોને આગમિક વાક્યોમાંથી ફલિત કરવા લાગ્યા. આ રીતે શ્વેતામ્બર પરંપરામાંકમપક્ષ તથા યૌગપદ્યપક્ષનું આગમાશ્રિત ખંડનમંડન ચાલતું જ હતું ત્યાં તો વચમાં કોઈને અભેદપક્ષસૂક્યો. આવી સૂઝવાળા તાર્કિકો યોગપઘપક્ષવાળાઓને કહેવા લાગ્યા કે જો મપક્ષમાં ત્રુટિ છે તો તમે યૌગપઘપક્ષવાળાઓ પણ તે ત્રુટિથી બચી શતા નથી. એમ કહીને તેઓએ યૌગપઘપક્ષમાં પણ અસર્વજ્ઞત્વ આદિ દોષો દર્શાવ્યા અને પોતાના અભેદપક્ષનું સમર્થન રારૂ કર્યું. એમાં તો સંદેહ નથી જ કે એક વાર કમપક્ષ છોડીને જે યોગપદ્યપક્ષને માને તે જો સીધો તબળનો આશ્રય લે તો તેને અભેદપક્ષ પર ન છૂટકે આવવું જ પડે. અભેદપક્ષની સૂઝ ધરાવનારાઓએ સીધા તર્કબળથી અભેદપક્ષને ઉપસ્થિત કરીને કમપક્ષ તથા યૌગપઘપક્ષનો નિરાસ તો કર્યો પરંતુ શરૂઆતમાં સાંપ્રદાયિક લોકો તેમની વાતને આગમિક વાક્યોના સમર્થન વિના કેવી રીતે સ્વીકારે? આ મુશ્કેલીને દૂર કરવા માટે અભેદપક્ષવાળાઓએ આગમિક પરિભાષાઓનો નવો અર્થ કરવાનું પણ સારૂ કર્યું અને તેમણે પોતાના અભેદપક્ષને તર્કબળથી ઉપપન કરીને પણ છેવટે આગમિક પરિભાષાઓના ઢાંચામાં ઢાળી દીધો. ક્રમ, યૌગપઘ અને અભેદ પક્ષોના ઉપર્યુક્ત વિકાસની પ્રક્રિયા ઓછામાં ઓછું 150 વર્ષ સુધી શ્વેતામ્બર પરંપરામાં એકધારી ચાલતી રહી અને પ્રત્યેક પક્ષના સમર્થક ધુરંધર વિદ્વાનો થતા રહ્યા અને ગ્રન્થો પણ રચાતા રહ્યા. ક્રમવાદ વિરુદ્ધ જૈનેતર પરંપરા તરફથી આક્ષેપ થયા હોય કે જેન પરંપરાના આન્તરિક ચિન્તનમાંથી જ આક્ષેપ થવા લાગ્યા હોય- બેમાંથી ભલેને ગમે તે હોય - પરંતુ તેનું પરિણામ તો છેવટે કમશઃ યૌગપઘપક્ષ તથા અભેદપક્ષની સ્થાપનામાં જ આવ્યું જેની વ્યવસ્થિત ચર્ચા જિનભદ્રની ઉપલબ્ધ વિશેષણવતી અને વિશેષાવશ્યકભાષ્ય નામની બન્ને કૃતિઓમાં આપણને જોવા મળે છે.
u021 ઉપાધ્યાયજીએ જે ત્રણ વિપ્રતિપત્તિઓ દેખાડી છે તેમનો એતિહાસિક વિકાસ અને ઉપર દર્શાવી ગયા. હવે ઉક્ત વિપ્રતિપત્તિઓના પુરસ્કર્તા તરીકે જે ત્રણ આચાર્યોને ઉપાધ્યાયજીએ રજૂ કર્યા છે તેમના વિષયમાં કંઈક વિચાર કરવો જરૂરી છે. ઉપાધ્યાયજીએ ક્રમપક્ષના પુરસ્કર્તા તરીકે જિનભદ્ર ક્ષમાશ્રમણને, યુગપપક્ષના પુરસ્કર્તા તરીકે મલ્લવાદીને અને અભેદપક્ષના પુરસ્કર્તા તરીકે સિદ્ધસેન દિવાકરને નિર્દેશ્યા છે. સાથે સાથે જ તેમણે મલયગિરિના કથન સાથે થતી અસંગતિનો તાર્કિક દષ્ટિએ પરિહાર પણ કર્યો છે. અસંગતિ આ આવે છે - જ્યારે ઉપાધ્યાયજી સિદ્ધસેન દિવાકરને અભેદપક્ષના પુરસ્કર્તા તરીકે દર્શાવે છે ત્યારે શ્રીમલયગિરિ સિદ્ધસેન દિવાકરને યુગપતૃપક્ષના પુરસ્કર્તા તરીકે રજૂ કરે છે. 20 ઉપાધ્યાયજીએ અસંગતિનો પરિહાર એમ કહીને ર્યો છે કે 20. જુઓનંદીટીકા, પૃ.134.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org