SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલજ્ઞાન-દર્શનોપયોગના ભેદાભેદની ચર્ચા ૧૧૫ 16 યુગપત્ પક્ષનો ઉલ્લેખ કર્યો છે. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કુન્દકુન્દ, પૂજ્યપાદ અને સમન્તભદ્ર આ ત્રણેયે પોતાનો અભિમત યોગપદ્યપક્ષ દર્શાવ્યો છે પરંતુ તેમાંથી કોઈએ પણ યૌગપદ્યવિરોધી ક્રમિકપક્ષ યા અભેદપક્ષનું ખંડન કર્યું નથી. તેવી જ રીતે અમને શ્રી કુન્દકુન્દથી સમન્તભદ્ર સુધીના કોઈ પણ દિગમ્બરાચાર્યની એવી કોઈ કૃતિ ઉપલબ્ધ થઈ નથી જેમાં ક્રમિકપક્ષ યા અભેદપક્ષનું ખંડન કરવામાં આવ્યું હોય. આવું ખંડન આપણને સૌપ્રથમ અકલંકની કૃતિઓમાં મળે છે. ભટ્ટ અકલંકે સમન્તભદ્રીય આપ્તમીમાંસા ઉપરની પોતાની ‘અષ્ટાતી’ વ્યાખ્યામાં યોગપદ્યપક્ષનું સ્થાપન કરતી વખતે ક્રમિક પક્ષનું સંક્ષિપ્ત પણ સ્પષ્ટ ખંડન કર્યું છે અને પોતાના ‘રાજવાર્તિક’ ભાષ્યમાં” તો ક્રમપક્ષને માનનારાઓને સર્વજ્ઞનિન્દક કહીને તે પક્ષની અગ્રાહ્યતાની તરફ સંકેત કર્યો છે. તથા તે જ રાજવાર્તિકમાં બીજે સ્થાને (6.10.14-16) તેમણે અભેદ પક્ષની અગ્રાહ્યતા તરફ પણ સ્પષ્ટ ઇશારો કર્યો છે. અકલંકે અભેદપક્ષના સમર્થક સિદ્ધસેન દિવાકરના સન્મતિતર્ક નામના ગ્રન્થમાં મળતી દિવાકરની અભેદવિષયક નવીન વ્યાખ્યાનો (સન્મતિ 2.25) રાન્દરાઃ ઉલ્લેખ કરીને તેનો જવાબ એવી રીતે આપ્યો છે કે જેનાથી પોતાને અભિમત યુગપત્ત્પક્ષ ઉપર કોઈ દોષ ન આવે અને તેનું સમર્થન પણ થાય. આમ આપણે પૂરા દિગમ્બર વાડ્મયને લઈને જ્યારે જોઈએ છીએ ત્યારે નિષ્કર્ષ એ જ નીકળે છે કે દિગમ્બર પરંપરા એક માત્ર યોગપદ્યપક્ષને જ માનતી આવી છે અને તેમાં અકલંક પહેલાં કોઈએ પણ ક્રમિક પક્ષ યા અભેદપક્ષનું ખંડન કર્યું નથી, કેવળ પોતાના પક્ષનો નિર્દેશ માત્ર કર્યો છે. હવે આપણે શ્વેતામ્બરીય વાડ્મય તરફ દષ્ટિપાત કરીએ. અમે ઉપર કહી ગયા છીએ કે તત્ત્વાર્થભાષ્યના પૂર્વવર્તી ઉપલબ્ધ આગમિક સાહિત્યમાંથી સીધે સીધો કેવળ ક્રમપક્ષ જ ફલિત થાય છે જ્યારે તત્ત્વાર્થભાષ્યના ઉલ્લેખથી યુગપત્પક્ષનો બોધ થાય છે. ઉમાસ્વાતિ અને જિનભદ્ર ક્ષમાશ્રમણ બન્ને વચ્ચે ઓછામાં ઓછું સો વર્ષનું અંતર છે. આટલા મોટા સમયગાળામાં રચાયેલો કોઈ એવો શ્વેતામ્બરીય ગ્રન્થ આજ ઉપલબ્ધ નથી જેમાં યોગપદ્યપક્ષ તથા અભેદ પક્ષની ચર્ચા યા પરસ્પર ખંડનમંડન હોય.18 પરંતુ જ્યારે આપણે વિક્રમીય સાતમી સદીમાં થયેલા જિનભદ્ર ક્ષમાશ્રમણની ઉપલબ્ધ બે કૃતિઓને જોઈએ 15. તત્ત્વજ્ઞાન પ્રમાાં તે યુગપત્ સર્વમાસનમ્। માવિ અ યજ્ઞાનું સ્યાદ્વાનયસંસ્કૃતમ્ ॥ 101 ॥ 16. तज्ज्ञानदर्शनयोः क्रमवृत्तौ हि सर्वज्ञत्वं कादाचित्कं स्यात् । कुतस्तत्सिद्धिरिति चेत् સામાન્યવિશેષવિષયયોવિતાવળયો_વત્ પ્રતિમા ાયોાત્ પ્રતિવન્ધાન્તામાવાત્। અષ્ટરાતીઅષ્ટસહસ્રી, પૃ. 281. 17. રાજવાર્તિક, 6.13.8. 18. નિર્યુક્તિમાં‘સન્નÆ વેવતિાવિ(પાનાન્તર‘સા’)નુવંોનસ્થિ વઓ' (ગાથા979)આ અંશ મળેછે જે સ્પષ્ટપણેકેવલીમાંમાનવામાં આવતાયોગપદ્યપક્ષનોજ પ્રતિવાદ કરેછે. અમે પહેલાં એક સ્થાને એસંભાવના પ્રકટરી છેકે નિયુક્તિનોઅમુક ભાગતત્ત્વાર્થભાષ્યની પછીનો પણ સંભવ છે. જો આ સંભાવના બરાબર હોય તો નિર્યુક્તિનો ઉક્ત અંશ જે યૌગપદ્યપક્ષનો પ્રતિવાદ કરેછે તે પણ તત્ત્વાર્થભાષ્યનાયૌગપઘપ્રતિપાદક મન્તવ્યનોવિરોધ કરતોહોય એવી સંભાવનાકરીશકાય. જેહોતે, પરંતુ એટલુંતોસ્પષ્ટછેકેશ્રીજિનભદ્રગણિની પહેલાંયૌગપદ્યપક્ષનું ખંડન આપણને એક માત્ર નિયુક્તિના ઉક્ત અંશ સિવાયબીજે ક્યાંય આજ મળતુંનથી, અને નિર્યુક્તિમાં અભેદપક્ષના ખંડનનો તો ઇશારો પણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy