SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ રાગાદિદોષોના જ્ઞાનાવરકત્વ અને કર્મજન્યનો પ્રશ્ન 2. બૌદ્ધ 1. સમ્યગ્દષ્ટિ 2. રાગાદિ ક્લેશોનાનાસનો પ્રારંભ 3. ભાવનાના બળે ક્લેશાવરણનો આત્યંતિક ક્ષય 4. ભાવનાના પ્રકર્ષથી શેયાવરણના સર્વથા નાશદ્વારા સર્વજ્ઞત્વ 3. સાંખ્યયોગ 1. વિવેકખ્યાતિ 2. પ્રસંખ્યાનનો અર્થાત્ સંપ્રજ્ઞાત સમાધિનો પ્રારંભ 3. અસંપ્રજ્ઞાત અર્થાત્ ધર્મમેઘ સમાધિ દ્વારા રાગાદિ ક્લેરાકર્મની આત્યંતિક નિવૃત્તિ 4. પ્રકાશાવરણનાના દ્વારા સર્વજ્ઞત્વ - 4 ન્યાયવૈશેષિક 1. સમ્યજ્ઞાન 2. રાગાદિદ્દાસનો પ્રારંભ 3. અસંપ્રજ્ઞાત અર્થાત્ ધર્મમેઘ સમાધિ દ્વારા રાગાદિ ક્લેરાકર્મની આત્યંતિક નિવૃત્તિ 4. સમાધિજન્ય ધર્મ દ્વારા સર્વજ્ઞત્વ 5. વેદાન્ત 1. સમ્યગ્દર્શન 2. રાગાદિદ્દાસનો પ્રારંભ 3. ભાવના-નિદિધ્યાસનના બળેક્લેશોનો ક્ષય 4. બ્રહ્મસાક્ષાત્કાર દ્વારા અજ્ઞાનાદિનો વિલય (4) રાગાદિદોષોના જ્ઞાનાવરકત્વ અને કર્મજન્યત્વનો પ્રશ્ન: [65] સર્વજ્ઞ જ્ઞાનની ઉત્પત્તિના ક્રમ સંબંધમાં જે તુલના ઉપર કરવામાં આવી છે તેનાથી સ્પષ્ટ છે કે રાગ, દ્વેષ આદિ જોશોને જ બધા દાર્શનિકો કેવલજ્ઞાનના આવરક માને છે. બધાના મતે કેવલજ્ઞાનની ઉત્પત્તિ ત્યારે જ સંભવે છે જ્યારે ઉક્ત રાગાદિ દોષોનો સર્વથા નાશ થાય. આ રીતે ઉપાધ્યાયજીએ રાગાદિ દોષોમાં સર્વસંમત કેવલજ્ઞાનાવરકત્વનું સમર્થન ક્યું છે અને પછી તેમણે રાગાદિ દોષોને કર્મજન્ય સ્થાપિત કર્યા છે. રાગ, દ્વેષ આદિ જે ચિત્તગત યા આત્મગત દોષ છે તેમનું મુખ્ય કારણ કર્મ અર્થાત્ જન્મજન્માન્તરમાં સંચિત આત્મગત દોષ જ છે. આવું સ્થાપન કરવામાં ઉપાધ્યાયજીનું તાત્પર્ય પુનર્જન્મવાદનો સ્વીકાર કરવાનું છે. ઉપાધ્યાયજી આસ્તિકદર્શનસંમત પુનર્જન્મવાદની પ્રક્રિયાનો આશ્રય લઈને જ કેવલજ્ઞાનની પ્રક્રિયાનો વિચાર કરે છે. તેથી જ આ પ્રસંગમાં તેમણે રાગાદિ દોષોને કર્મજન્ય યા પુનર્જન્મમૂલક ન માનનારાઓના મતોની સમીક્ષા પણ કરી છે. આવા મતો ત્રણ છે. એક મત [66] એ છે કે રાગકફજન્ય છે, દ્વેષ પિત્તજન્ય છે અને મોહ વાતજન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy