SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જ્ઞાનબિન્દુનું પરિશીલન અહીં વિચારણીય વાતો બે છે - એક તો એ કે મનઃ પર્યાયજ્ઞાનના વિષય અંગે જેના વાલ્મયમાં જે બે પક્ષ દેખાય છે તેનો સ્પષ્ટ અર્થ શું એ નથી કે પાછલા વર્ણનકારી સાહિત્ય યુગમાં ગ્રન્થકારો પ્રાચીન આધ્યાત્મિક વાતોનું તાર્કિક વર્ણનતો કરતા હતા પણ આધ્યાત્મિક અનુભવનો યુગ વીતી ગયો હતો. બીજી વિચારણીય વાત એ છે કે યોગભાષ્ય, મજુઝિમનિકાય અને વિશેષાવયભાષ્યમાં મળતું એમ્પત્ય સ્વતન્ત્રચિન્તનનું પરિણામ છે કે પછી એકની બીજા ઉપર અસર પણ છે? જેન વાલ્મયમાં અવધિ અને મન:પર્યાયનું જે કંઈ વર્ણન છે તે બધાનો ઉપયોગ કરીને ઉપાધ્યાયજીએ જ્ઞાનબિન્દુમાં તે બન્ને જ્ઞાનોનું એવું સુપરિષ્કૃત લક્ષણ ક્યું છે અને લક્ષણગત પ્રત્યેક વિરોષણનું એવું બુદ્ધિગમ્ય પ્રયોજન દર્શાવ્યું છે કે અન્ય કોઈ ગ્રન્થમાં તેવું મળતું નથી. ઉપાધ્યાયજીએ લક્ષણવિચાર તો ઉક્ત અને જ્ઞાનોનો ભેદ માનીને જ છે પરંતુ સાથે સાથે જ તેમણે ઉક્ત બન્ને જ્ઞાનોનો ભેદન માનનારી સિદ્ધસેન દિવાકરની દષ્ટિનું સમર્થન પણ[5556] ખૂબ માર્મિક રીતે ક્યું છે. 4. કેવલજ્ઞાનની ચર્ચા [57] અવધિ અને મન પર્યાય જ્ઞાનની ચર્ચા પૂરી કર્યા પછીઉપાધ્યાયજીએ કેવલજ્ઞાનની ચર્ચા શરૂ કરી છે જે ગ્રન્થના અન્ત સુધી ચાલે છે અને ગ્રન્થની સમાપ્તિ સાથે પૂરી થાય છે. પ્રસ્તુત ગ્રન્થમાં અન્ય જ્ઞાનોની અપેક્ષાએ કેવલજ્ઞાનની જ ચર્ચા અધિક વિસ્તૃત છે, મતિ આદિ ચાર પૂર્વવર્તી જ્ઞાનોની ચર્ચાએ ગ્રન્થનો જેટલો ભાગ રોક્યો છે તેનાથી બમણામાં કંઈક ઓછો ભાગ એકલા કેવલજ્ઞાનની ચર્ચાએ રોક્યો છે. આ ચર્ચામાં જ અનેક પ્રમેયો ઉપર ઉપાધ્યાયજીએ વિચાર કર્યો છે, તેમનામાંથી નીચે જણાવેલા વિચારો પર અહીં કેટલોક વિચાર પ્રદર્શિત કરવા ઈષ્ટ છે - (1) કેવલજ્ઞાનના અસ્તિત્વની સાધયુક્તિ. (2) કેવલજ્ઞાનના સ્વરૂપનું પરિસ્કૃત લક્ષણ. (3) કેવલજ્ઞાનનાં ઉત્પાદક કારણોનો પ્રશ્ન. (4) રાગાદિ દોષોના જ્ઞાનાવરકત્વ તથા કર્મજન્યત્વનો પ્રશ્ન. (5) નૈરાગ્ય આદિ ભાવનાઓનું નિરૂપણ તથા નૈરાગ્યભાવનાનો નિરાસ. (6) બ્રહ્મજ્ઞાનનો નિરાસ. (7) શ્રુતિ અને સ્મૃતિઓનું જૈન મતાનુકૂલ વ્યાખ્યાન. (8) કેટલાંક જ્ઞાતવ્ય જૈન મન્તવ્યોનું સ્થાન. (9) કેવલજ્ઞાન અને કેવલદર્શનના ક્રમ તથા ભેદભેદ અંગે પૂર્વાચાર્યોમાં પક્ષભેદ. (10) ગ્રન્થકારનું તાત્પર્ય તથા તેમની સ્વોપજ્ઞ વિચારણા. (1) કેવલજ્ઞાનના અસ્તિત્વની સાધક યુક્તિઃ [58] ભારતીય તત્ત્વચિન્તકોમાંથી જે આધ્યાત્મિક શક્તિવાદી છે તેમનામાં પણ આધ્યાત્મિક શક્તિજન્ય જ્ઞાનની બાબતમાં સંપૂર્ણ એકમચનથી. આધ્યાત્મિક શક્તિજન્ય જ્ઞાન સંક્ષેપમાં બે પ્રકારનું મનાયું છે. એક તો તે જે ઇન્દ્રિયાગમ્ય એવા સૂક્ષ્મ મૂર્ત પદાર્થોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy