SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પર૦ સમાજ, ધર્મ અને સંસ્કૃતિ અનાદિ જીવનમાં શરીર એક નથી હોતું. પ્રતિક્ષણે તે બદલાય છે – એ વાત મનમાં ન લઈએ તોય જૂના શરીરનો સ્વીકાર આત્મજીવનમાં અનિવાર્ય છે. કપડાં શરીરને રક્ષણ આપે, પણ તે રક્ષણ આપે જ એવો એકાંત નથી. ઘણી વાર કપડાં ઊલટાં શરીરની વિકૃતિના કારણ બનવાથી ત્યાજ્ય બને છે; અને રક્ષણ આપે ત્યારેય શરી૨ ઉપર કપડાં કાંઈ એક ને એક નથી રહેતાં. શરીર પ્રમાણે કપડાં નાનાંમોટાં કરાવવાં અને બદલવાં પડે છે, એ વાત તો જાણીતી છે જ; પણ સરખા માપનું કપડું પણ મેલું જૂનું કે જંતુમય થતાં બદલવું પડે છે, સાફ કરવું પડે છે. તદ્દન કપડાં વિના પણ શરી૨ નીરોગ રહી શકે છે. ઊલટું એ સ્થિતિમાં વધારે નીરોગપણું અને સ્વાભાવિકપણું શાસ્ત્રમાં મનાયેલું છે. તેથી ઊલટું, કપડાનો સંભાર આરોગ્યનો નાશક અને બીજી અનેક રીતે નુકસાનકારક પણ સિદ્ધ થયો છે. ઘરેણાંને તો શરીરની રક્ષા કે પુષ્ટિ સાથે કશો જ સંબંધ નથી; એ તો માત્ર તરંગી અને ક્ષણે ક્ષણે બદલાતા શોખની ગણ્યાંગાંઠ્યાં લોકોની માનીતી વસ્તુ છે. કપડાં અને ઘરેણાં કરતાં જેનો આત્મા સાથે વધારે નિકટ સંબંધ છે અને જેનો સંબંધ અનિવાર્ય રીતે જીવનમાં આવશ્યક છે તે શરીરની બાબતમાં પણ ધ્યાન ખેંચવા જેવું છે. શરીરનાં અનેક અંગોમાં હ્રદય, મગજ, ફેફસાં જેવાં ધ્રુવ અંગો છે કે જેના અસ્તિત્વ ઉપર જ શરીરના અસ્તિત્વનો આધાર છે. એમાંથી કોઈ અંગ ગયું કે જીવન સમાપ્ત. પણ હાથ, પગ, કાન, નાક આદિ અગત્યનાં અંગો છતાં તે ધ્રુવ નથી. તેમાં બગાડ કે અનિવાર્ય દોષ ઉત્પન્ન થતાં તેના કાપમાં જ શરીરનું અસ્તિત્વ સમાયેલું છે. આત્મા, શરીર, તેનાં ધ્રુવ-અધ્રુવ અંગો, વસ્ત્રો, અલંકારો એ બધાનો પારસ્પરિક શો શો સંબંધ છે, તેઓ એકબીજાથી કેટલે દૂર અને કેટલે નજીક છે, કયું અનિવાર્ય રીતે જીવનમાં જરૂરી છે અને કયું નહિ, એ વિચાર જે કરી શકે તેને ધર્મતત્ત્વના આત્મા, તેના શરીર અને તેનાં વસ્ત્રાલંકાર રૂપ બાહ્ય વ્યવહારો વચ્ચેનો પારસ્પરિક સંબંધ, તેમનું બળાબળ અને તેમની કિંમત ભાગ્યે જ સમજાવવી પડે. ધર્મનાશની ખોટી બૂમ અત્યારે જ્યારે કોઈ ધર્મનાં કપડાં અને ઘરેણાંરૂપ બાહ્ય વ્યવહારોને બદલવા, તેમાં કમી કરવા, સુધારો કરવા અને નકામા હોય તેનો છેદ ઉડાડવાની વાત કરે છે ત્યારે એક વર્ગ બૂમ પાડી ઊઠે છે કે આ તો દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનો ઉચ્છેદ કરવાની વાત છે. આ વર્ગનું બુમરાણ એક બાળક અને યુવતી જેવું છે. બાળકના શરી૨ ઉપરનાં મેલાં અને નુકસાનકારક કપડાં ઉતારતાં તે મને મારી નાખ્યો’ એવી બૂમ પાડી ઊઠે છે. પોતાનું સૌંદર્ય પોષવાથી કે વારસાગત ચાલી આવતી ભાવનાથી સાચવી, વધારી અને સમારી રાખેલા વાળ, જ્યારે તેના મૂળમાં કોઈ ભારે સડાણ ઊભું થતાં કાપવામાં આવે અને તે વખતે પેલી યુવતી મને મારી નાખી' કે કાપી નાખો' એવી વાળ મોહ–વશ બૂમ પાડે, તેના જેવી બૂમ પેલા ધર્મરક્ષકોની નથી લાગતી શું ? પ્રશ્ન થશે www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy