SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ અભ્યાસી ભાગ્યે જ આથી જુદું કહેશે. જો જૈન ધર્મ એ વિશાળ હિંદુ ધર્મની એક શાખા કે ફાંટો જ છે તો પછી હિંદુ સમાજથી જૈન સમાજ જુદો છે એમ માનવાને કશો જ આધાર રહેતો નથી. ક્યારેક દેશના નામથી, ક્યારેક શાસ્ત્રના નામથી તો ક્યારેક ધર્મપ્રવર્તક પુરુષ કે તેના વિશેષ ગુણથી એમ અનેક રીતે એક સમાજથી બીજા સમાજનો ભેદ ઓળખવામાં આવે છે. હિંદુ સમાજ એ વ્યવહાર દેશસાપેક્ષ છે, જ્યારે વૈદિક, બૌદ્ધ કે જેને એ વ્યવહાર વસ્તુસાપેક્ષ છે. હિંદુ શબ્દ મૂળે તો સિંધુ નદીનો સૂચક છે. જે પરદેશી લોકો શરૂઆતમાં સિંધના પ્રદેશ સુધી આવ્યા તેમણે ત્યાં સુધીના કે તેની આસપાસના લોકોને પણ હિંદુ શબ્દથી વ્યવહાર્યા. જેમ બંગ લડે છે એ વાક્યમાં બંગ'નો અર્થ બંગવાસી છે તેમજ ‘હિંદુ એટલે અમુક પ્રદેશના નિવાસીઓ એ અર્થ પણ છે. આગળ જતાં દેશાંતરમાં એ જ હિંદુ શબ્દ વિશાળ અર્થમાં વ્યવહત થયો. મુસલમાનો સિંધુથી આગળ વધી શરૂઆતમાં દરિયા કિનારે કિનારે અને પછી અંદરના ભાગમાં જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમણે એ હિંદુ શબ્દ બધા જ પ્રદેશ માટે વાપર્યો અને આગળ જતાં અરબી-ફારસી સાહિત્યમાં હિંદુનો વિશાળ અર્થમાં ઉપયોગ થયો છે. આર્યાવર્તની સીમા પણ હંમેશાં એકસરખી નથી રહી. ક્યારેક અફઘાનીસ્તાનમાં પણ આર્યો હતા. મુસલમાનોએ એ દેશનો કબજો લીધો અને એ દેશ મુસ્લિમ થઈ ગયો; અને કાલની જ વાત છે કે જે સિંધુ ઉપરથી આપણે હિંદુ હોવાનો દાવો કરીએ છીએ તે સિંધુનો પ્રદેશ પણ હવે હિંદુસ્તાનમાં નથી. આ વસ્તુ એ સૂચવે છે કે નામ એ જ રહે છે, પણ એની અર્થમર્યાદા વધે અને ઘટે છે. હિંદુ શબ્દથી ઠેઠ પૂર્વમાં આસામ અને ઉત્તરમાં હિમાલય તેમજ દક્ષિણમાં કન્યાકુમારી એ બધો પ્રદેશ સમજાય છે; તે હિંદુસ્તાન પણ કહેવાય છે. આ પ્રદેશમાં જે ઋષિઓ અને ધર્મપ્રવર્તકો થયા, તેમણે શાસ્ત્રો લખ્યાં કે વિચાર્યા, જે તીર્થો બંધાયાં, તે બધાંને એક શબ્દમાં કહેવાં હોય તો “હિંદુ ધર્મ' શબ્દથી જ કહી શકાય. હા એ માટે – બીજો પ્રાચીન શબ્દ છે અને તે છે “આર્ય ધર્મ એ શબ્દ. હિંદુ ધર્મને અનુસરનારી સેંકડો જાતિઓ હતી અને છે. તેના પેટા ભેદો પણ તેટલા જ છે. તે બધા ભલે પોતાને જુદા જુદા નામથી ઓળખાવે; તેમ છતાં તે બધા જ મૂળે એક હિંદુ ધર્મના વર્તુળમાં આવે છે. અંદરોઅંદર તેમના આચાર કે વિચાર ગમે તેટલા ફંટાતા હોય તેમ છતાં તેમની અંદર એક અખંડ સંવાદિતાનો સૂર છે. તે સૂર તેમને ખ્રિસ્તી, ઇસ્લામ અને જરથોસ્તી ધર્મથી જુદા પાડે છે. આ જ કારણે જ્યારે આપણે હિંદુ ધર્મ કહીએ છીએ ત્યારે હિંદુસ્તાનમાં જ અત્યારે લાંબા કાળથી રહેલા ખ્રિસ્તી, ઇસ્લામ કે જરથોસ્તી ધર્મને જુદા સમજીએ છીએ. આ દેશની અનેક જાતિઓ ખ્રિસ્તી થઈ, મુસલમાન થઈ, પણ તેમનું મુખ આર્યાવર્તને તીર્થ માનવા તરફ કે આર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy