SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ © • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ જેવા શબ્દોનો પારમાર્થિક તેમજ અતીન્દ્રિય અર્થ સમજવો સહેલો ન હોઈ ઉપર જણાવેલ પ્રાથમિક સ્થૂળ અર્થ જ બંધબેસતો થઈ શકે. પરંતુ ઉંમર અને સમજણશક્તિ વધવા સાથે પ્રથમ સમજાયેલ સ્થૂળ અર્થનું સંશોધન કે પરીક્ષણ ન થાય અને એ જ અર્થને વળગી રહેવામાં આવે તો શું પરિણામ આવે એ વિચારવું જરૂરી છે. એ અનિષ્ટ પરિણામ ધ્યાનમાં આવે તો તેનો ખરો અર્થ સમજવાની દિશામાં જવાની પ્રેરણા ઉદ્દભવે. હાથી આદિ શબ્દોના ચિત્ર ઉપરથી કલ્પેલ અર્થમાં પ્રત્યક્ષ દર્શનથી ઘટતો ફેરફાર અને સંશોધન થઈ તેનો યોગ્ય અર્થ સમજવામાં આવે છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એ આસ્તિક અને નાસ્તિક શબ્દોના, કાચી સમજણ વખતે, ધારેલ અર્થમાં પ્રત્યક્ષ દર્શનથી સુધારો કે સંશોધન કરવાનો અવકાશ નથી એ ખરું, છતાં ઉંમરલાયક થયા પછી અને બીજા વિષયોમાં પાકી સમજણ થયા પછી પણ જો શબ્દોનો એનો એ અર્થ ધારી રાખવામાં આવે તો સામાજિક વર્તમાન જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં ઘણી જ અસંગતિઓ, ત્રુટિઓ અને વિસંવાદો આવવા પામે છે. દાખલા તરીકે શરૂઆતના સ્થૂળ અર્થ પ્રમાણે જેને વ્યક્તિ પોતામાં સમ્યગ્દષ્ટિનું અસ્તિત્વ માનવામનાવવા તેમજ મિથ્યાદૃષ્ટિનો અભાવ સાબિત કરવા એટલું તો અવશ્ય કરશે કે જૈન સિવાયની બીજી કોઈ પણ પરંપરામાં પૂજાતા ઈશ્વર કે દેવને તે કુદેવ લેખશે, તે પરંપરાના ગુરુઓને કુગુરુ લેખશે, અને તે પરંપરાના આચાર-વિચારને અધર્મકુધર્મ લેખશે; એટલું જ નહિ, પણ એ વ્યક્તિ જેનપરંપરાનાં શાસ્ત્રો સિવાયનાં બીજાં બધાં જ શાસ્ત્રોને મિથ્યાશ્રુત કે કુશ્રુત લેખી તેને ત્યાજ્ય અને ઉપેક્ષણીય ગણશે. તે વ્યક્તિ એવા જૈનેતર શ્રતના પરિચયથી હંમેશાં અલગ રહેવાનો કાળજીપૂર્વક પ્રયત્ન કરશે. આનું પરિણામ એ જ આવે, અને આવેલું આજે પણ જોવાય છે, કે આવા સંસ્કારવાળી વ્યક્તિ બીજી રીતે ગમે તેટલી સમજણમાં આગળ વધી હોય, સામાજિક, આર્થિક, રાજકીય કે શૈક્ષણિક ક્ષેત્રમાં તે ગમે તેટલી પ્રતિષ્ઠિત હોય, છતાં આધ્યાત્મિક અને ધાર્મિક કહી શકાય એવાં શાસ્ત્રોની બાબતમાં તેની જિજ્ઞાસા અને સમજણની સીમા બહુ તો એણે માનેલ જૈન શાસ્ત્ર સુધી જ સીમિત રહેવાની. જૈન શ્રત સિવાયનું બીજું ધાર્મિક અને આધ્યાત્મિક શ્રુત ગમે તેટલું વિવિધ તેમજ ગમે તેટલું ઉપયોગી હોય તોપણ તેવી વ્યક્તિ એમાંથી કાંઈ લાભ ઉઠાવી શકશે નહિ, પોતાની જિજ્ઞાસાને સંતોષી શકશે નહિ અને પરિણામે અલ્પમાં બહુ માની લેવાની ટૂંકી સમજણ પોષાતી જ રહેશે. એવી વ્યક્તિ જિજ્ઞાસા અને બુદ્ધિના નાનામાં નાના ખૂણામાં મોટામાં મોટા સમજણના મહેલની લ્પનાથી રાચશે. સાંપ્રદાયિક સમજણ તે આનું જ નામ છે, અને તેનું પરિણામ જિજ્ઞાસા, સમજણ તેમજ વિવેકની અતિ સંકુચિતતા અને બીજાથી પોતાને સાવ જુદા અને ઊંચા માનવાની વૃત્તિમાં જ આવે છે. સામાજિક, રાજકીય અને આર્થિક જેવા વ્યવહારો સામાન્ય રીતે ઠીક ચાલતા હોય તો ઉપર ઉપરથી જોનારને એવી સાંપ્રદાયિક સંકુચિતતા બાધાકારક નહિ લાગે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy