SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ • ૮૯ સફેદ વસ્તુને પીળી સમજે ને જ્યાં જ્યાં જાય ત્યાં શંખ પીળો છે એમ કહે, તો તેની બાળકો સુધ્ધાં હાંસી કરે. એટલે એ માણસ સહેલાઈથી પોતાનો ભ્રમ સમજી જાય છે ને શંખને પીળો દેખવા છતાં એ તો સફેદ જ છે એવી વિચારપૂર્વક દઢ માન્યતા ધરાવતો થઈ જાય છે. એ જ ન્યાય બીજી બાધેન્દ્રિયની બાબતમાં પણ લાગુ પડે છે. પણ અતીન્દ્રિય વસ્તુની સમજણ બાબતમાં સુધારાનું કામ તેટલું સરળ નથી. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એ શબ્દો ચકલા અને ઘોડા આદિ શબ્દોની પેઠે ઇન્દ્રિયગમ્ય વસ્તુને લાગુ નથી પડતા, પણ મનોગમ્ય કે અતીન્દ્રિય ભાવોને સ્પર્શ કરે છે. એટલે તે શબ્દોના ખરા અર્થ તરફ જવાનું કે વારસાથી પ્રથમ ધારેલ અર્થમાં સુધારો, ફેરફાર કે વૃદ્ધિ કરવાનું કામ બહુ જ અઘરું હોઈ વિવેક અને પ્રયત્નસાધ્ય છે. નેત્ર, કાન આદિ બાહ્ય ઇન્દ્રિયો અને અંતર-ઈન્દ્રિય મન એ બેની રચનામાં તેમજ કાર્યશક્તિમાં બહુ જ મોટું અંતર છે. બાહ્ય ઇન્દ્રિયો જે વસ્તુ તેની સામે વર્તમાન હોય કે તેની સાથે સંબંધમાં આવે તેને જ જાણી શકે. જે વસ્તુ દૂર હોય, અતિદૂર હોય, અતીત હોય કે ભાવી હોય કે સૂક્ષ્મ હોય તેને બાહ્ય ઇન્દ્રિય જાણી ન શકે; પણ મનની મર્યાદાની જુદી છે. એ તો “શ્રોત્ર શ્રોત્રમ્” “રક્ષપક્ષ' છે. અર્થાત મન એ બધી ઇન્દ્રિયોનો રાજા છે. દરેક ઈન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય તે બધું મનની મદદથી થાય છે, અને છેવટે મન જ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય દ્વારા થતા બધા જ અનુભવોનું સમાલોચન, પરીક્ષણ અને પૃથક્કરણ કરી તેમાંથી સત્ય તારવે છે. એટલું જ નહિ પણ મન ઇન્દ્રિયની મર્યાદામાં ન હોય તેવા વૈકાલિક અને દૂરવર્તી તેમજ સૂક્ષ્મ વિષયોને પણ અવગાહે છે. માત્ર જન્મથી મરણ સુધીના કાળપટને સ્પર્શતા અનુભવોને જ નહિ, પણ તેથીયે વધારે અતીત અને અનાગત જીવનના અનુભવો અને કલ્પનાઓને પણ મન ઘણી વાર સ્પર્શે છે. મનનો વિષયપ્રદેશ વધારે સૂક્ષ્મ પણ છે. તેથી મનોગમ્ય વિષયદેશને સ્પર્શતા શબ્દોના અર્થની સાચી સમજણનું કામ પણ જટિલ હોઈ વધારે પુરુષાર્થની અપેક્ષા રાખે છે. હવે આપણે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ તેમજ તેના સમાનાર્થક આસ્તિક, નાસ્તિક જેવા શબ્દોને લઈ તેના અર્થની સમજણ વિષે વિચાર કરીએ. ઉક્ત શબ્દો બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ ત્રણ પરંપરાઓ અને દરેક પરંપરાના અંતર્ગત નાનામોટા બધા ફિરકાઓમાં જાણીતા છે. જો કોઈ વ્યક્તિ જૈન પંરપરામાં જન્મી અને ઊછળી હોય તો તેને છેક નાની ઉંમરથી એ શબ્દોના અર્થ વિષે એવી સમજણ આપવામાં આવી હોય છે કે ભગવાન મહાવીર જેવા પુરષોને સદેવ લેખે માનવા, જૈન ગુરુઓને સુગુરુ લેખે ધારવા અને જૈન પરંપરાગત આચાર-વિચારોને સ્વીકારવા તે સમ્યગ્દષ્ટિ; આથી વિરુદ્ધ જે કાંઈ હોય તેને સ્વીકારવું તે મિથ્યાષ્ટિ. કહેવાની જરૂર નથી કે નાની ઉંમરમાં વ્યક્તિની સમજણશક્તિ ઊંડી ન હોવાથી તેને માટે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy