SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ દૃષ્ટિ એટલે દર્શન. દર્શનનો સામાન્ય અર્થ દેખવું' એવો છે. આંખથી જે જે બોધ થાય તેને “દેખવું' કે દર્શન’ એમ કહેવાય છે. પરંતુ આ સ્થળે દૃષ્ટિ કે દર્શનનો અર્થ ‘નેત્રજન્યબોધ' એટલો જ માત્ર નથી; અહીં તેનો અર્થ ઘણો વિશાળ છે. કોઈ પણ ઇન્દ્રિયથી થતું જ્ઞાન કે મનથી થતું જ્ઞાન એ બધું અહીં દષ્ટિ કે દર્શનરૂપે અભિપ્રેત છે. એટલું જ નહિ, પણ મનની મદદ વિના જો આત્માને જ્ઞાન શક્ય હોય તો તેવું જ્ઞાન પણ અહીં દૃષ્ટિ કે દર્શનરૂપે અભિપ્રેત છે. સારાંશ એ છે સમ્યગ્દષ્ટિ એટલે કોઈ પણ જાતનો સમ્યક્ બોધ અને મિથ્યાસૃષ્ટિ એટલે દરેક જાતનો મિથ્યા બોધ. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ જેવા શબ્દો બધી ધર્મપરંપરામાં પ્રચલિત છે. તેથી આપણે સૌ તેનાથી પરિચિત તો છીએ જ; તેમ છતાં તેના અર્થની સમજણમાં અનેક જાતના ભ્રમો પ્રવર્તે છે. જ્યારે આપણે જાગીને ભજન ગાઈએ છીએ કે : ‘ઊઠ, જાગ મુસાફિર, ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ ?” ત્યારે આપણે એ ભ્રમો નિવારવાની વાત કહીએ છીએ, નિદ્રાત્યાગની નહિ. ગીતામાં કહ્યું કે : या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । ત્યારે પણ એ જ કહેવામાં આવ્યું છે કે સંયમી અગર સાચી સમજ ધરાવનારો જ જાગે અને એ જ ભ્રમનિશાથી મુક્ત છે. દેહ ધારણ કરવો, શ્વાસોચ્છ્વાસ લેવો, જ્ઞાનેન્દ્રિયોથી જાણવું, કર્મેન્દ્રિયોંથી કામ કરવું, એટલું જ માત્ર જીવન નથી, પણ મનની અને ચેતનની જુદી જુદી ભૂમિકાઓમાં જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અનેક પ્રકારનાં સંવેદનો અનુભવવાં તે પણ જીવન છે. આવા વ્યાપક જીવનનાં પાસાં પણ અનેક છે. એ બધાં પાસાંને દોરવણી આપનાર અને જીવનને ચલાવનાર ‘દૃષ્ટિ’ છે. જો દૃષ્ટિ સાચી તો તેનાથી દોરવાતું જીવન ખોટ વિનાનું; અને જો દૃષ્ટિ ખોટી કે ભૂલભરેલી તો તેનાથી દોરવાતું જીવન ખોડખાંપણવાળું જ હોવાનું. તેથી એ વિચારવું પ્રાપ્ત થાય છે કે સાચી દૃષ્ટિ એટલે શું અને ખોટી દૃષ્ટિ એટલે શું ? આ વિચારીએ તે પહેલાં જાણી લેવું જરૂરી છે કે આપણે નાની ઉંમરથી કેવી રીતે શબ્દોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy