SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા કરણ કરવા તરફની મનોવૃત્તિ, વસ્તુઓના અભેદને કરવા વાળી બુદ્ધિ તે સંગ્રહ નય કહેવાય છે. જેમ કે પૃથ્વી-પાણી-અગ્નિ-પવન કે વનસ્પતિ ભલે પરસ્પર જુદા-જુદા સ્વરૂપ અને સ્વભાવવાળા છે તો પણ તે સર્વે એકેન્દ્રિય જીવો છે. પશુ-પક્ષી મત્સ્ય-સર્પ-સિંહાદિ ભલે હો પરંતુ તે સર્વે પંચેન્દ્રિય તિર્યંચ છે. પ્રશ્ન- [૨૩૦] સંગ્રહ નયના ભેદો કેટલા અને કયા કયા ? ઉત્તર- સંગ્રહનયના બે ભેદ છે. સામાન્ય સંગ્રહનય અને વિશેષ સંગ્રહનય (૧) જે સમસ્ત વસ્તુઓનું એકીકરણ કરે તે સામાન્ય સંગ્રહનય. જેમ કે જીવ અને અજીવ ભલે હોય પરંતુ પદાર્થ પણે તે એક છે. (૨) જે અમુક મર્યાદિત વસ્તુઓનું જ એકીકરણ કરે તે વિશેષ સંગ્રહનય. જેમ કે એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય કે પંચેન્દ્રિય ભલે હોય પરંતુ તે બધા જીવ પણે એક છે. (અહીં જીવ માત્રનું એકીકરણ કરવામાં આવ્યું છે.) પ્રશ્ન- [૩૧] વ્યવહાર નય એટલે શું ? ઉત્તર- કોઈ પણ વસ્તુનું જે પૃથક્કરણ કરે, સંગ્રહનયે એકત્રિત કરેલી વસ્તુઓનો જે ભેદ કરે, વસ્તુને છુટી પાડે તે વ્યવહાર નય. જેમ કે જીવોના બે ભેદ ત્રસ અને સ્થાવર, વળી ત્રસના ચાર ભેદ બેઇન્દ્રિય, તેઈન્દ્રિય વિગેરે- આ વ્યવહાર નય ત્રિકાળગ્રાહી છે. શેઠનો છોકરો ભાવિમાં શેઠ થવાનો છે તેથી આજે પણ શેઠ કહે. જે પ્રધાનપદથી નિવૃત્ત હોય તેને પણ માજીપ્રધાન તરીકે સ્વીકારે, જે ભાવિમાં સાધુ થવાના હોય તેને પણ ભક્તિનું પાત્ર માને, જેણે પહેલાં સાધુપણું પાળ્યું હોય તેના દેહને પણ ભક્તિનું સ્થાન માને ઈત્યાદિ. પ્રશ્ન- [૨૩૨] ઋજુ સૂત્ર નય એટલે શું ? ઉત્તર- જ્યારે વસ્તુના સ્વરૂપનો માત્ર વર્તમાનકાળ જ સ્વીકારવામાં આવે. ભૂત-ભાવિ કાળને ગૌણ કરવામાં આવે ત્યારે તેને જાસૂત્ર નય કહેવાય છે. જેમ કે જે હાલ શેઠ છે તેને જ શેઠ કહેવાય, જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy