SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ “નવતત્વ પ્રકરણ” ૪૯ તુરત વિનાશ પામે, આ દૃષ્ટાન્તોમાં જેમ કૃતનાશ અને અકૃતાગમ દોષો લાગતા નથી તેમ જ કર્મમાં પણ સમજવું. પ્રશ્ન-[૧૧૮] અન્યદર્શનશાસ્ત્રોમાં જીવપદાર્થ કેવો માનેલ છે? ઉત્તર- (૧) બૌધ્ધદર્શન -ચિસંતતિ તે આત્મા છે એમ માને છે. ચિસંતતિ એટલે જ્ઞાનધારા, પ્રતિસમયે અપૂર્વપણે ઉત્પન્ન થતું જ્ઞાન. એટલે જ એમના મતે આત્મા ક્ષણિક છે. (૨) સાંખ્યદર્શન – શુધ્ધ - બુધ્ધ - અકર્તા - અભોક્તા આત્મા માને છે. કારણ કે કર્તા ભોક્તા પ્રકૃતિ છે. (૩) ન્યાય - વૈશેષિકદર્શનો - વિશ્વવ્યાપી, નિત્ય, જ્ઞાનવાનું આત્મા માને છે. તેના ઈશ્વર અને જીવાત્મા એમ બે ભેદ માને છે. પરમાત્મા એક છે. અને જીવાત્મા અનંત છે. (૪) જૈન દર્શનકારો શરીરવ્યાપી, નિત્યાનિત્ય આત્મા માને છે. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય. (૫) ચાર્વાકદર્શન પૃથ્વી પાણી આદિ પંચ ભૂતાત્મક આત્મા માને છે. પૂર્વભવ અને પુનર્ભવ જેવું કંઈ જ નથી. પ્રશ્ન- [૧૧૯] જીવ એક ભવ પૂર્ણ કરીને બીજા ભવમાં જાય ત્યારે અહીંનું શરીર છોડીને જાય છે અને પરભવનું શરીર હજુ અપાય છે. તો શું તેને મુક્ત ન કહેવાય ? ઉત્તર- ઓ ભવનું સ્થૂલ (ઔદારિક વૈક્સિ) શરીર છોડીને જવા છતાં સૂક્ષ્મ (તેજસ કાર્મણ) શરીર સાથે રહે જ છે. તેથી સશરીરી જ છે. માટે મુક્ત કહેવાય નહીં. તથા તે સૂક્ષ્મ શરીરથી જ પરભવની પ્રાપ્તિ, પરભવનું શરીર, અને પારભવિક સંસારિક સામગ્રી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન- [૧૨૦] એક ભવથી બીજા ભવમાં જતાં જીવને કેટલો ટાઈમ લાગે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy