SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ભારતની ભૂમિ એટલે સંત-ત્યાગી મહાત્માઓની ભૂમિ. આ ભૂમિ ઉપર જૈન-જૈનેતર અનેક જ્ઞાની-મહાજ્ઞાની-ચારિત્રવાન પુરુષો થયા છે. જેઓની અનુપમ પવિત્ર વાણીના વરસાદથી ભીંજાયેલી આ ભૂમિ ઉપર જૈન-જૈનેતર ધર્મના સંસ્કારોનાં બીજ ઉંડા વવાયેલાં છે. જેના પ્રતાપે આવા કલિયુગમાં અને ભૌતિક સુખના વાતાવરણમાં પણ સંસારને અસાર જાણી તેનો ત્યાગ કરી સાધુ-સંત-સંન્યાસી અને યોગી થનારા મહાત્માઓ જોવા મળે છે. જૈન સમાજમાં પણ નાની બાલ્યવયમાં આજે પણ સારા પ્રમાણમાં દીક્ષા ગ્રહણ કરતા આત્માઓ દૃષ્ટિગોચર થાય છે. નાની બાલ્યવયમાં દીક્ષા ગ્રહણ કરનારા મહાત્માઓનું ચિત્ત પવિત્રનિખાલસ-વિષયવાસના રહિત હોવાથી જૈન આગમ સાહિત્યનું સુંદર જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના વૈરાગ્યને ઉત્કૃષ્ટ કક્ષાનો બનાવી નિરતિચાર ચારિત્ર પાળી શકે છે. આવા લઘુદીક્ષિત આત્માઓ જ મહાન આચાર્યો શાસનપ્રભાવકો અને સાહિત્યકારો થયા છે. તેથી સુંદર ચારિત્ર, પવિત્ર સમ્યજ્ઞાન અને પરમાત્મા પ્રત્યેની રૂચિ જ જીવનને ધન્ય બનાવે છે. ઉત્તમ રુચિ અને ઉત્તમ ચારિત્ર પ્રાપ્ત કરવા માટે જૈન આગમોનું તથા જૈન શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું અત્યન્ત આવશ્યક છે. દિન-પ્રતિદિન જ્ઞાન ભુલાતું જાય છે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસો તો દૂર રહો, પરંતુ પ્રાથમિક અભ્યાસ પણ લુપ્ત પ્રાય થતો દેખાય છે. જાણે જ્ઞાનની આવશ્યકતા જ ન હોય તેવા ભાવો ભારતમાં જણાય છે. જ્યારે લંડન-અમેરિકા આદિ અન્ય દેશોમાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ભુખ વધતી જાય છે. ત્યાં જઈ વસેલા ભાઈ-બહેનો જૈન ધર્મનાં પુસ્તકોનું સતત વાંચન-અભ્યાસ-મનન-ચિંતન કરતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે જ તે દેશમાં છેલ્લા પાંચ-દશ વર્ષથી જૈન ધર્મના જુદા જુદા ફિરકાઓના વક્તાઓ ત્યાં આવી પ્રજાને જૈન ધર્મના સિધ્ધાન્તો સમજાવે છે. દિગંબર સંપ્રદાય, સ્થાનકવાસી, તેરાપથી અને મૂર્તિપૂજક સંપ્રદાય તથા શ્રી કાનજીસ્વામી, શ્રીમદ્ રાજચંદ્રજી અને શ્રી દાદા ભગવાનના અનુયાયી ભક્તવર્ગો ત્યાં આવી વિવિધ રીતે તત્ત્વજ્ઞાન આપવા દ્વારા જૈન ધર્મનો પ્રચાર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy