SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- સાધુસંતો પણ જો સર્વત્યાગથી પતિત થઈ આરંભસમારંભના રોગવાળા (ઘરબારી) બને તો તેઓ પણ મૂર્તિપૂજા અને મંદિર બનાવવાનું કામકાજ કરે જ છે. અને તે તેઓના હિત માટે પ્રશ્ન- [૨૫૯] “જિહાં પુષ્પપાંખડી દુહવાય, તિહાં નહીં જિનવરની આણ ” આવું વાક્ય સાંભળવા મળે છે તો તેનો અર્થ શું ? - ઉત્તર- આ વાક્ય પુષ્પપૂજાના નિષેધ માટે નથી. પરંતુ અવિવેકને દૂર કરવા માટે છે. પુષ્પોના અતિશય ઢગલા કરવામાં આવે, પગ નીચે ખુંદવામાં આવે, ભાવનાની વૃદ્ધિ કરતાં હિંસાની જ વૃધ્ધિ હોય, અતિશય અવિવેક હોય, તેને દૂર કરવા માટે છે. પરંતુ પુષ્પપૂજાના નિષેધ માટે નથી. અષ્ટપ્રકારી પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે. નાગદત્ત પુષ્પપૂજા કરતાં કેવળજ્ઞાન પામ્યા. અને વજસ્વામીએ વૈક્રિયલબ્ધિથી પુષ્પો લાવી આપ્યાનું વિધાન શાસ્ત્રોમાં મળે જ છે. પ્રશ્ન- [૨૬૦] શાસ્ત્રમાં હિંસા તો ત્યાજ્ય જ કહી છે. મંદિર બંધાવવામાં, અને મૂર્તિપૂજા કરવામાં પાણી અને પુષ્પાદિની હિંસા થવાની જ છે. તો તે કેમ કરાય ? ઉત્તરગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓને સર્વહિંસાના ત્યાગનાં પચ્ચકખાણ હોતાં જ નથી. માત્ર ત્રસજીવો-નિરપરાધી-અને નિરપેક્ષપણે હણવા નહીં એવું વ્રત હોય છે માટે સ્થાવરજીવોની જ્યણા છે. વળી સંસારિક ઘરદુકાન-વિગેરે બાંધવા-બંધાવવામાં જો હિંસા ચાલુ જ છે. તો ભાવિના પરિણામની શુધ્ધિના લાભ માટે આ હિંસા અત્યાજ્ય છે. સર્વથા હિંસાના ત્યાગી સાધુસંતો વિહાર કરતાં નદી આવે તો અપકાયની હિંસા હોવા છતાં નદી ઉતરે છે. અનેક ઘરે ગોચરી ફરવામાં વધારે હિંસા હોવા છતાં વધારે ઘેર ગોચરી ફરે તો આ ગૃહસ્થ આત્માઓ છે તેઓને સ્થાવરની હિંસા કરતાં પરિણામની વિશુદ્ધિ વધારે મુખ્ય હોય છે. પ્રશ્ન- [૨૬૧] જૈનોના બધા સંપ્રદાયો શું મૂર્તિ-મંદિર-અને પૂજા સ્વીકારે છે ? . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy