SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ ધોરણે કાયમી નિમણૂક કરવી જોઈએ. જેથી હસ્તપ્રતને કોઈ નુકસાન ન પહોંચે. (૩) હસ્તપ્રત કે એની ઝેરોક્ષ નકલ મળે તેવી વ્યવસ્થા જે તે ગ્રંથભંડારનું કાર્યાલય સવારના બે કે ત્રણ કલાક અને શક્ય હોય તો સાંજે પણ બે કલાક ખુલ્લું રહે અને તે સમય દરમ્યાન હસ્તપ્રત જરૂરિયાતવાળાને વિદ્યાર્થી કે વિદ્વાન કે સંશોધકને) તે સહેલાઈથી જોવા મળે કે એની ઝેરોક્ષ નકલ મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ અંગે મધ્યસ્થ સમિતિએ જે તે ભંડારના ટ્રસ્ટી કે વ્યવસ્થાપકને મળીને વ્યવસ્થા ગોઠવવી જોઈએ. મધ્યસ્થ સમિતિ હસ્તપ્રત સહેલાઈ મળી રહે તે માટે જરૂર જણાય તો દરમ્યાન થાય. આમ આ રીતે હસ્તપ્રત ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરી શકાય. આમ કરવાની તાકીદી જરૂર છે. તે એટલા માટે કે (૧) આ હસ્તપ્રતો કે જેમાં આપણાં સાહિત્ય, સંસ્કૃતિ અને ઇતિહાસની સામગ્રી વિપુલ પ્રમાણમાં ભરી પડી છે તે સચવાઈ જાય. એનો નાશ થતો અટકે. આ આપણો અમૂલ્ય સંસ્કારવારસો છે. આ રાષ્ટ્રીય વારસાનું જતન કરવું તે આપણા સૌ કોઈની પ્રાથમિક ફરજ છે. . (૨) પ્રાચીન-મધ્યકાલીન અપ્રકાશિત હસ્તપ્રતને સંપાદિત-સંશોધિત કરી પ્રગટ કરવા ઈચ્છુક વિદ્વાનોને જે હસ્તપ્રત પર સંશોધન કરવું હશે તે માટે સાધન-સામગ્રી હાથવગી થશે. આમ થશે તો આ પ્રકારનાં સંશોધન-સંપાદનમાં વેગ આવશે. ઉપર જણાવેલ કાર્ય માટે સારી એવી આર્થિક જરૂરિયાત ઊભી થાય તેમ છે તો તે માટે મધ્યસ્થ સમિતિએ ભંડોળ ઊભું કરવું જોઈએ. આ માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે યુ. જી. સી. પાસેથી ગ્રાંટ મેળવી શકાય. આણંદજી કલ્યાણજીની પેઢી કે અન્ય જૈન સંસ્થા કે ટ્રસ્ટ પાસેથી પણ આર્થિક સહાય મેળવી શકાય. શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાને પણ આમાં સાંકળી શકાય. આપણા આદરણીય જૈન મુનિઓ-સાધુઓનો પણ આમાં સહકાર લઈ આર્થિક ભંડોળ ઊભું કરી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy