SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ‘જૈન ગૂર્જર કવિઓ’ ભાયાણીસાહેબનાં ભાષાંતરોનો આવશ્યક લાભ લીધો છે. પણ, પોતે જ્યાં જુદા પડે ત્યાં સ્પષ્ટ ચર્ચા પણ કરે છે. (પૃ.૧૦૩) છેલ્લાં પ્રકરણોમાંનું એક છે ‘પ્રાચીન ગુજરાતી સુભાષિતો'નું. (પૃ.૧૭૪) એ આખુંય કાવ્યરસસિક્ત છે. આપણે ત્યાંના સૂક્તિસંગ્રહોના ઉલ્લેખો મળે છે. એમાંથી ૫૦૦ જેટલી સૂક્તિઓ મળી આવે. એ ભાતભાતના વિષયો પર ને સ્વરૂપે પણ અનેકવિધ છે. ક્યાંક અનુભવબિન્દુઓ છે : એક બહુમૂલો સંદર્ભ-ભંડાર જઈ ધમ્મમ્બર સંભલી અનુ નયણે નિદ્દ ન માઇ, વાત કરંતા માણુસહ ઝાકિ રયણિ વિહાઇ. (૧૭૬) (જ્યાં ધર્માક્ષર સાંભળી ને નયણે નિંદ ન માય; જણ જો ચડેલ વાતમાં તો પલકે રાત કપાય.) ‘મૃત્યુ'ને મથાળે (ખોટી રીતે !) મૂકેલું બોધવચન ઃ નમી ન મૂકઇ બેસણું, હસી ન પૂછઇ વત્ત, તેહ ઘરિ કિમ ન જાઇએ, રે હઇડા નિસત્ત. (૧૦૭) (નમીને ના આસન મૂકે, હસી ન પૂછે વાત, Jain Education International ૨૭ એ ઘર કેમ ન જાઈએ? રે પૈડા નિઃસત્ત્વ.) અહીં બીજી પંક્તિના પૂર્વાર્ધમાં જે ‘ન’ છે તેનો કાકુ કેવો હશે ? એ નકારવાચક હોય તો અર્થ ભાગ્યે જ બેસે. આવકાર જ્યાં ન મળે ત્યાં વળી જવું શું ? એમ પ્રશ્ન બને. ન મૂકતાં, ને પછી પ્રશ્ન રાખતાં, ‘એવે ઘેર પણ કેમ ન જવું ?' એવો અર્થ થાય જે લોક અભિપ્રત નથી લાગતો. ગ્રંથકારે ‘કિમ'નો ‘કોઈ રીતે’એવો અર્થ આપી સંગતિ કરી છે, પણ ‘ન’ ખોટો લખાઈ ગયો હોય એવી સંભાવના પણ સ્વીકારવા જેવી લાગે છે. લોકઅભિપ્રેત લાગતો નથી. સૂચિઓના અર્થોમાં ક્યાંકક્યાંક મુશ્કેલીઓ હજીયે રહી ગઈ છે. છતાં ભાષાઇતિહાસનો આ ભાગ આખો, એટલેકે આખોય દસમો ગ્રંથ રસપ્રદ ને માહિતીસભર છે. આ દસ ગ્રંથ આપીને જયન્તભાઈએ ગુજરાતી ભાષાસાહિત્યને ન્યાલ કરી દીધું છે. મધ્યકાલીન સાહિત્યનાં અભ્યાસ માટેનાં સાધનો હાથવગાં કરી આપી, વિદ્વજ્જનોને એમણે સાબદા તો કર્યા છે. હવે દડો કોના કૉર્ટમાં છે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy