SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ સુરેશ દલાલે કાવ્યરસ પીરસતાં જે એક આહ્લાદક વાતાવરણ ઊભું કર્યું હતું એની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે એમણે મીરાં મરણ પામે તો કેવી રીતે મરણ પામે એનું એક કલ્પનાચિત્ર આલેખતું સ્વરચિત કાવ્ય રજૂ કર્યું. એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ. ઘૂંઘટપટની ઘૂઘરિયાળી વાત ગગનમાં ધૂપ થઈ એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ. મોરપિચ્છનો રંગ શરીરે ભયો ભયો થઈ વહેતો મુરલીનો એક સૂર મીટમાં થીર થઈને રહેતો યમુનાજલની કુંજગલીમાં મીરાં ચૂપ થઈ. એક દિવસ તો. Aristocratic Simplicityને એમણે મીરાંની વિશિષ્ટતા ગણાવી. અતિથિવિશેષ શ્રી જયસુખભાઈનું વક્તવ્ય ઃ તે પછી બીજા અતિથિવિશેષ અને શ્રી મોહનલાલ દ. દેશાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈ દેશાઈનો પરિચય શ્રી જયંતભાઈ કોઠારીએ આપ્યો હતો. શ્રી જયસુખભાઈએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે, એમના પિતાશ્રીના અવસાન સમયે એમની વય ૧૪ વર્ષની હતી. પિતાશ્રીની આ પ્રકારની વિદ્વત્તાનો પોતાને સાચો ખ્યાલ નહોતો. એમનો વિદ્વાન તરીકેનો ખરો પરિચય એમને જયંતભાઈએ કરાવ્યો. એ જાણીને એમનું હૈયું ભરાઈ આવેલું. એ પછી શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા એમના પિતાશ્રીના નામના ફંડમાંથી એમનાં કેટલાંક કામો થતાં રહે એવો પ્રસ્તાવ એમણે સંસ્થા પાસે મૂક્યો. એમના પિતાશ્રીનું લેખિત સાહિત્ય પુનઃ પ્રકાશનમાં લાવવા માટે જયંતભાઈએ અથાગ મહેનત કરી છે એ માટે જયંતભાઈ પ્રત્યે એમણે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી. તેમજ મોહનભાઈના વર્ષો પહેલાં લખાયેલા એક અપ્રકાશિત ગ્રંથ જૈન અને બૌદ્ધ મત'નું સંપાદન હાલ કાન્તિભાઈ બી. શાહ સંભાળી રહ્યા છે તે અંગે પણ એમણે ઋણસ્વીકાર કર્યો. સંપાદક શ્રી જયંત કોઠારીનું વક્તવ્ય : તે પછી જૈન ગૂર્જર કવિઓ'ની સંશોધિત આવૃત્તિના સંપાદક જયંત કોઠારીએ રજૂ કરેલું વક્તવ્ય, આ ભગીરથ કામમાં જેમની જેમની સહાય એમને પ્રાપ્ત થઈ હતી તેમના પ્રત્યેની આભારની લાગણી વ્યક્ત કરનારું હતું. સૌ પ્રથમ ઋણસ્વીકાર કર્યો એમણે ગુજરાતી સાહિત્ય પરિષદનો. પરિષદના ગુજરાતી સાહિત્યકોશના કામમાં જો એમને જોડાવાનું ન થયું હોત તો મોહનલાલ દેશાઈના જૈન ગૂર્જર કવિઓ” ગ્રંથનો આવો પરિચય થયો હોત કે કેમ એ પ્રશ્ન હતો. જયંતભાઈએ કહ્યું કે “આ ગ્રંથ કેટલો મોટો સાહિત્યિક દસ્તાવેજ છે ! ‘આ ગ્રંથ જે વાપરે એને જ ખબર પડે કે એ કેવડું ગંજાવર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy