SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પંચકર્મગ્રન્યપરિશીલન સંમતિ દેતું નથી, જેમ કે - पजत्तस्स य उदये णियणियपज्जत्तिणिविदो होदि ।। નવ નીમપુછUT Tળવ્યત્તિકપુvજે તાવ 1200 જીવકાર્ડ સારાંશ એ કે દિગમ્બર સાહિત્યમાં પર્યાતનામકર્મના ઉદયવાળો જ શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિવૃત્તિઅપર્યાપ્ત’ શબ્દ દ્વારા અભિમત છે. પરંતુ શ્વેતામ્બર સાહિત્યમાં ‘કરણ શબ્દનો ‘રારીર, ઇન્દ્રિય આદિ પર્યાપ્તિઓ’ એટલો અર્થ કરાયેલો મળે છે, જેમ કે મન શરીરક્ષિીનિ’ લોકપ્રકાર સર્ગ 3 શ્લોક 10. તેથી શ્વેતામ્બર સંપ્રદાય અનુસાર જેણે શરીરપર્યાસિ પૂર્ણ કરી છે પરંતુ ઇન્દ્રિયપર્યામિ પૂર્ણ નથી કરી તેને પણ કરણપર્યાપ્ત કહી શકાય છે. અર્થાત્ શરીરરૂપ કરણ પૂર્ણ કરવાથી ‘કરણપર્યાપ્ત’ અને ઇન્દ્રિયરૂપ કરણ પૂર્ણ ન કરવાથી કરણઅપર્યાપ્ત’ કહી શકાય છે. આમ શ્વેતામ્બર સંપ્રદાયની દષ્ટિએ શરીરપર્યાપ્તિથી લઈને મન:પર્યાપ્તિ સુધી પૂર્વ પર્વ પર્યામિ પૂર્ણ થતાં કરણપર્યાપ્ત અને ઉત્તરોત્તર પર્યામિ પૂર્ણ ન થવાથી ‘કરણઅપર્યાપ્ત કહી શકીએ છીએ. પરંતુ જ્યારે જીવ સ્વયોગ્ય બધી જ પર્યાસિઓને પૂર્ણ કરી લે ત્યારે તેને ‘કરણઅપર્યાપ્ત ન કહી શકાય. કાર્યપર્યાતિનું સ્વરૂપ - પર્યામિ તે શક્તિ છે જેના દ્વારા જીવ આહાર, શ્વાસોશ્વાસ આદિના યોગ્ય પગલોને ગ્રહણ કરે છે અને ગૃહીત યુગલોને આહાર આદિ રૂપમાં પરિણત કરે છે. આવી શક્તિ જીવમાં પુદ્ગલોના ઉપચયથી બને છે. અર્થાત્ જેવી રીતે પેટના અંદરના ભાગમાં વર્તમાન પુદ્ગલોમાં એક જાતની શક્તિ હોય છે જેનાથી ખાધેલો આહાર ભિન્ન ભિન્ન રૂપમાં બદલાઈ જાય છે તેવી જ રીતે જન્મસ્થાનને પ્રાપ્ત કરનાર જીવના દ્વારા ગૃહીત યુગલોથી એવી શક્તિ બની જાય છે કે આહાર આદિ પુગલોને ખલ-રસ આદિ રૂપમાં પરિવર્તિત કરી નાખે છે. આ શક્તિ જ પર્યામિ છે. પર્યાતિજનક યુગલોમાંથી કેટલાક તો એવા હોય છે જે જન્મસ્થાનમાં આવેલા જીવ દ્વારા પ્રથમ સમયમાં જ ગૃહીત થઈને પૂર્વગૃહીત યુગલોના સંસર્ગથી તદ્રુપ બની જાય છે. મર્યભેદના આધારે પર્યાતિના છ ભેદ છે – (1) આહારપર્યાતિ, (2) શરીરપર્યામિ, (3) ઇન્દ્રિય પર્યાપ્તિ, (4) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, (5) ભાષાપર્યાપ્તિ અને (6) મન:પર્યાપ્તિ. તેમની વ્યાખ્યા પ્રથમ કર્મગ્રન્થની ઓગણપચાસમી ગાથાના ભાવાર્થમાં (પૃ. 97) જોઈ લેવી જોઈએ આ છ પર્યાસિઓમાંથી પહેલી ચાર પર્યાસિઓના અધિકારી જીવો એકેન્દ્રિય જ છે. દીક્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંક્ષિપંચેન્દ્રિય જીવો મન પર્યાસિ સિવાય બાકીની પાંચ પર્યાસિઓના અધિકારી છે. સંક્ષિપંચેન્દ્રિય જીવો છએ છ પર્યાતિઓના અધિકારી છે. આ વિષયની ગાથા શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત બૃહત્સંગ્રહણીમાં છે आहारसरीरिंदियपज्जत्ती आणपाणभासमणो । વાર પર છ િય ફિવિાતનીf 1349 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy