SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થકર્મગ્રન્થપરિશીલન ૬૯ ધર્માનુસારી આદિ ઉક્ત પાંચ અવસ્થાઓનું વર્ણન મઝિમનિકાયમાં બહુ સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે. તેમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જેવી રીતે તત્કાલજાત વત્સ, કંઈક મોટો પણ દુર્બલ વત્સ, પ્રૌઢ વત્સ, હળને જોતવા લાયક બળવાન બળદ અને પૂર્ણ વૃષભ ઉત્તરોત્તર અલ્પ અલ્પ શ્રમથી ગંગા નદીનો ત્રાંસો પ્રવાહ પાર કરે છે તેવી જ રીતે ધર્માનુસારી આદિ ઉક્ત પાંચ પ્રકારના આત્માઓ પણ મારના અર્થાત્ કામના વેગને ઉત્તરોત્તર અલ્પ અલ્પ શ્રમથી જીતી શકે છે.61 બૌદ્ધ શાસ્ત્રમાં દસ સંયોજનાઓને અર્થાત્ બંધનોને વર્ણવવામાં આવ્યાં છે.62 તેમાં પાંચ ‘ઓરંભાગીય’ અને પાંચ ‘ઉદ્ભભાગીય’ કહેવાય છે. પહેલી ત્રણ સંયોજનાઓનો ક્ષય થતાં સોતાપન્નઅવસ્થા પ્રાપ્ત થાય છે. તે પછી રાગ, દ્વેષ અને મોહ શિથિલ થતાં સકઠાગામીઅવસ્થા પ્રાપ્ત થાય છે. પાંચ ઓરંભાગીય સંયોજનાઓનો નાશ થતાં ઔપપત્તિક અનાવૃત્તિધર્મા અર્થાત્ અનાગામી અવસ્થા પ્રાપ્ત થાય છે અને દસે દસ સંયોજનાઓનો નારા થઈ જતાં અરા પદ મળે છે. આ વર્ણન જૈનશાસ્ત્રગત કર્મપ્રકૃતિઓના ક્ષયના વર્ણન જેવું છે. સોતાપન્ન આદિ ઉક્ત ચાર અવસ્થાઓનો વિચાર ચોથાથી લઈને ચૌદમા સુધીનાં ગુણસ્થાનોના વિચાર સાથે મળતો આવે છે અથવા એમ કહો કે ઉક્ત ચાર અવસ્થાઓ ચતુર્થ આદિ ગુણસ્થાનોનો સંક્ષેપમાત્ર છે. જેમ જૈનશાસ્ત્રમાં લબ્ધિનું તથા યોગદર્શનમાં યોગવિભૂતિનું વર્ણન છે તેમ બૌદ્ધશાસ્ત્રમાં પણ આધ્યાત્મિક વિકાસકાલીન સિદ્ધિઓનું વર્ણન છે જે સિદ્ધિઓને તેમાં ‘અભિજ્ઞા’ કહે છે. આવી અભિજ્ઞાઓ છ છે, તેમનામાંથી પાંચને લૌકિક અને એકને લોકોત્તર કહી છે.63 બૌદ્ધશાસ્ત્રમાં બોધિસત્ત્વનું જે લક્ષણ છે“ તે જ જૈનશાસ્ત્ર અનુસાર સમ્યગ્દષ્ટિનું લક્ષણ છે. જે સમ્યગ્દષ્ટિ હોય છે તે જો ગૃહસ્થના આરંભ-સમારંભ આદિ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે તો પણ તેની વૃત્તિ તસલોહપદન્યાસવત્ અર્થાત્ તપાવેલ લોઢા ઉપર મૂકવામાં આવતા પગ સમાન સમ્પૂ યા પાપભીરુ હોય છે. બૌદ્ધશાસ્ત્રમાં પણ બોધિસત્ત્વનું એવું જ સ્વરૂપ માનીને તેને કાયપાતી અર્થાત્ શરીરમાત્રથી (ચિત્તથી નહિ) સાંસારિક પ્રવૃત્તિમાં પડનારો કહ્યો છે.65 તે ચિત્તપાતી નથી હોતો. 61. જુઓ પૃષ્ઠ 156. 62. (1) સક્કાયઢિદ્ઘિ, (2) વિચિક્ચ્છા, (3) સીલબ્બત પરાભાસ, (4) કામરોગ, (5) પટીઘ, (6) રૂપરાગ, (7) અરૂપરાગ, (8) માન, (9) ઉદ્ધૃચ્ચ અન (10) અવિજ્જા. મરાઠીભાષાન્તરિત દીનિકાય, પૃ. 175 ટિપ્પણી. 63. જુઓ મરાઠીભાષાન્તરિત મઝિમનિકાય, પૃ. 156. 64. ાયપાતિન વેદ વોધિસત્ત્વા પરોતિમ્ । ન વિત્તપાતિનસ્તાનવેતવત્રાપિ યુત્તિમંત્ ||271॥ યોગબિન્દુ. 65. વં ચ યત્વી વોધિસત્વસ્ય તક્ષળમ્ । વિષર્થમાળ સન્નીત્યા ત—ત્રોપપદ્યતે ॥10॥ तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि । ત્યુ: ાયપાત્યેવ ચિત્તપાતી ન સ મૃતઃ ||11|| સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy