SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પંચકર્મગ્રન્યપરિશીલન એટલું જ નહિ પણ આ દેખાતા લોક સિવાય બીજા પણ શ્રેષ્ઠ કનિષ્ઠ લોક છે. તેઓ પુનર્જન્મવાદી અને પરલોકવાદી કહેવાતા હતા અને તેઓ જ પુનર્જન્મ અને પરલોકના કારણરૂપે કર્મતત્ત્વને સ્વીકારતા હતા. એમની દષ્ટિ એ હતી કે જો કર્મ ન હોય તો જન્મજન્માન્તર અને ઈહલોક-પરલોકનો સંબંધ ઘટી શકે નહિ. તેથી પુનર્જન્મની માન્યતાના આધાર ઉપર કર્મતત્ત્વનો સ્વીકાર આવશ્યક છે. આ જ કર્મવાદીઓ પોતાને પરલોક્યાદી તથા આસ્તિક કહેતા હતા. કર્મવાદીઓનાં મુખ્ય બે દળો રહ્યાં છે. એક તો એવું પ્રતિપાદન કરતું હતું કે કર્મનું ફળ જન્માન્તર અને પરલોક અવશ્ય છે, પરંતુ શ્રેષ્ઠ જન્મ અને શ્રેષ્ઠ પરલોના વાસ્તે કર્મ પણ શ્રેષ્ઠ જ જોઈએ. આ દળ પરલોકવાદી હોવાથી તથા શ્રેષ્ઠ લોકના, જે સ્વર્ગ શ્રેષ્ઠ લોક ગણાતું હતું તેના, સાધનરૂપે ધર્મનું પ્રતિપાદન કરતો હોવાથી ધર્મ-અર્થ-કામ એવા ત્રણ પુરુષાર્થોને જ માનતું હતું, તેની દષ્ટિમાં મોક્ષનું અલગ પુરુષાર્થરૂપે સ્થાન ન હતું. જ્યાં ક્યાંય પણ પ્રવર્તક ધર્મનો ઉલ્લેખ છે ત્યાં બધે તે આ ત્રિપુરુષાર્થવાદી દળના મન્તવ્યનો સૂચક છે. તેનું મન્તવ્ય છે કે ધર્મનું અર્થાત્ શુભ કર્મનું ફળ સ્વર્ગ છે અને અધર્મનું અર્થાત્ અશુભ કર્મનું ફળ નરકાદિ છે. ધર્મ-અધર્મ જ પુણ્ય-પાપ યા અદષ્ટ કહેવાય છે અને તેમના દ્વારા જન્મ-જન્માક્તરની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે જેનો ઉચ્છેદ શક્ય જ નથી. શક્ય એટલું જ છે કે જો સારો લોક અને અધિક સુખ પ્રાપ્ત કરવું હોય તો ધર્મ જ કર્તવ્ય છે. આ મત અનુસાર અધર્મ યા પાપ તો હેય છે, પરંતુ ધર્મ યા પુણ્ય હેય નથી. આ દળ સામાજિક વ્યવસ્થાનું સમર્થક હતું, તેથી તે સમાજમાન્ય શિષ્ટ અને વિહિત આચરણોથી ધર્મની ઉત્પત્તિ દર્શાવીને તથા નિન્જ આચરણોથી અધર્મની ઉત્પત્તિ દર્શાવીને બધી જાતની સામાજિક સુવ્યવસ્થાનો જ સંકેત કરતું હતું. તે જ દળ બ્રાહ્મણમાર્ગ, મીમાંસક અને કર્મકાંડી નામથી પ્રસિદ્ધ થયું. કર્મવાદીઓનું બીજું દળ ઉપર્યુક્ત દળથી તદ્દન વિરુદ્ધ દષ્ટિ ધરાવતું હતું તે માનતું હતું કે પુનર્જન્મનું કારણ કર્મ અવશ્ય છે, શિષ્ટસમ્મત અને વિહિત કર્મોના આચરણથી ધર્મ ઉત્પન્ન થઈને સ્વર્ગ પણ આપે છે, પરંતુ તે ધર્મ પણ અધર્મની જેમ જ હેય છે. આ દળના મત અનુસાર એક ચોથો સ્વતંત્ર પુરુષાર્થ પણ છે જે મોક્ષ કહેવાય છે. તેનું કહેવું અહીંના પ્રાચીન નિવર્તક ધર્મવાદીઓ આત્મા, કર્મ, મોક્ષ, ધ્યાન, યોગ, તપસ્યા આદિ - વિવિધ માર્ગ એ બધું માનતા હતા. તેઓ ન તો જન્મથી ચાતુર્વર્ય માનતા હતા કે ન તો ચાતુરાગ્રમ્યની નિયત વ્યવસ્યા. તેમના મત અનુસાર કોઈ પણ ધર્મકાર્યમાં પતિ માટે પત્નીનો સહચાર અનિવાર્ય ન હતો, ઊલટું ત્યાગમાં એકબીજાના સંબંધનો વિચ્છેદ થઈ જતો હતો. પ્રવર્તક ધર્મમાં નિવર્તક ધર્મથી બધું ઊલટું હતું. મહાભારત આદિ પ્રાચીન ગ્રન્થોમાં ગાઈથ્ય અને ત્યાગાશ્રમની પ્રધાનતાવાળા જે સંવાદો મળે છે તે ઉક્ત બન્ને ધર્મોના વિરોધના સૂચક છે. પ્રત્યેક નિવૃત્તિધર્મવાળા દર્શનના સૂત્રગ્રન્થોમાં મોક્ષને જ પુરુષાર્થ કહેલ છે જ્યારે યાજ્ઞિક માર્ગનાં બધાં વિધાનો સ્વર્ગલક્ષી દર્શાવાયાં છે. આગળ જઈને ઉત્તર કાળમાં અનેક અંશમાં તે બન્ને ધર્મોનો સમન્વય પણ થઈ ગયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy