SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ pbapssbsp. ૯. ફૂલ-આમ સ્તોકાલય પ્રશ્ન-૪ : રૂપી અજીવપર્યાય કેટલા છે ? ઉત્તર– અનંત છે, કારણ કે અનંત પરમાણુ પુદ્ગલ છે. અનંત દ્વિપ્રદેશી સંધ યાવત્ અનંત દશ પ્રદેશીસ્કંધ છે, અનંત સંખ્યાત પ્રદેશી ધ, અનંત અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને અનંતા અનંત પ્રદેશી ધ છે. * ૪ પ્રશ્ન—પ : રૂપી અજીવ પર્યાયોનું કથન કેટલા પ્રકારે થાય છે ? ઉત્તર– પરમાણુથી અનંત પ્રદેશી સ્કંધ સુધીના પર્યાયોનું કથન વિવિધ પ્રકારે થાય છે– (૧) દ્રવ્યની અપેક્ષાએ– પરમાણુથી અનંત પ્રદેશી સ્કંધ સુધીના પર્યાયો. (૨) ક્ષેત્રની અપેક્ષાએ—એક પ્રદેશાવગાઢથી અસંખ્ય પ્રદેશાવગાઢ સુધીના પુદ્ગલોના પર્યાયો. (૩) કાલની અપેક્ષાએ એક સમયથી અસંખ્ય સમયની સ્થિતિવાળા પુદ્ગલોના પર્યાયો. (૪) ભાવની અપેક્ષાએ– એક થી અનંત ગુણયુક્ત ૨૦ બોલ સુધીના પુદ્ગલોના પર્યાયો (૫) દ્વિપ્રદેશીથી અનંત પ્રદેશી સ્કંધોની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષાએ પર્યાયો. (૬) દ્વિપ્રદેશીથી અનંત પ્રદેશી સ્કંધોની જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ પર્યાયો. (૭) દ્વિપ્રદેશીથી અનંત પ્રદેશી સ્કંધોના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ વર્ણાદિની અપેક્ષાએ પર્યાયો. (૮) જઘન્યાદિ પ્રદેશોની અપેક્ષાએ પર્યાયો. (૯) જઘન્યાદિ અવગાહનાની અપેક્ષાએ પર્યાયો. (૧૦) જઘન્યાદિ સ્થિતિની અપેક્ષાએ પર્યાયો. (૧૧)જઘન્યાદિ વર્ણાદિ ૨૦ બોલની અપેક્ષાએ પર્યાયો, આ રીતે ૧૧ પ્રકારે પર્યાયોનું કથન થાય છે. તેના કુલ ૧૦૭૬ આલાપક થાય છે. પ્રશ્ન—૬ઃ દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ આદિ પુદ્ગલના કેટલા પર્યાયો છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે ? : ઉત્તર– (૧) દ્રવ્યની અપેક્ષાએ – પરમાણુ પુદ્ગલના પર્યાયો અનંત છે– (૧) એક પરમાણુ પુદ્ગલ, બીજા પરમાણુ સાથે દ્રવ્યથી તુલ્ય છે. (૨)પ્રદેશથી તુલ્ય છે. (૩) અવગાહનાથી તુલ્ય છે. (૪) સ્થિતિથી ચૌટાણવડિયા છે. પરમાણુ પુદ્ગલની સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયની છે તેથી તેમાં— (૧) અસંખ્યાતમો ભાગ (૨) સંખ્યાતમો ભાગ (૩) સંખ્યાત ગુણ (૪) અસંખ્યાત ગુણ. આ ચાર સ્થાનથી હીનાધિકતા થઈ શકે છે. એક પરમાણુમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. અનેક પરમાણુની અપેક્ષાએ તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને શીત–ઉષ્ણ, સ્નિગ્ધ રૂક્ષ, આ ચાર સ્પર્શ હોય છે. તેમાં (૧) અનંતમો ભાગ (૨) અસંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતમો ભાગ (૪) સંખ્યાત ગુણ (૫) અસંખ્યાત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy