SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦૦ ૯ ફૂલ-આમ સ્તોકાલય અવધિદર્શન, આ છઉપયોગથી છઠ્ઠાણવડિયા અને મનઃપર્યવજ્ઞાનથી તુલ્ય છે. તે જ રીતે ઉત્કૃષ્ટ મનઃપર્યવજ્ઞાનીના અનંત પર્યાયો છે. તેજ રીતે મધ્યમ મનઃપર્યવજ્ઞાનીના અનંત પર્યાયો છે. તેમાં ચાર જ્ઞાન, ત્રણ દર્શન, આ સાત ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. કેવળજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. કેવળજ્ઞાની એક મનુષ્ય, કેવળ જ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવિડયા છે. (કેવળી સમુદ્દાત સમયે આત્મપ્રદેશો સંપૂર્ણ લોકવ્યાપી બને છે તેથી તે અવગાહનાથી ચૌઠાણવડિયા છે.) સ્થિતિથી તિકાણવડિયા છે.(કર્મભૂમિના મનુષ્યોને જ કેવળજ્ઞાન થાય છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષ છે તેથી તેમાં અસંખ્યાત ગુણ ન્યૂનાધિકતા થતી નથી.) વર્ણાદિ વીસ બોલથી છઠ્ઠાણવડિયા અને કેવળદર્શનથી પરસ્પર તુલ્ય છે. તે જ રીતે કેવળદર્શની મનુષ્યના અનંત પર્યાયો થાય છે. જઘન્ય વિભંગજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય વિભંગજ્ઞાની એક મનુષ્ય, જઘન્ય વિભગજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી તિકાણવડિયા છે, કારણ કે મનુષ્યો વિભંગજ્ઞાન સહિત ઉત્પન્ન થતા નથી, તેથી તેમાં અસંખ્યાતગુણ ન્યૂનાધિકતા થતી નથી. સ્થિતિથી તિાણવડિયા છે, કારણ કે યુગલિકોને વિભંગજ્ઞાન નથી. વર્ણાદિ વીસ બોલ તથા મતિ-શ્રુત અજ્ઞાન અને ત્રણ દર્શન, આ પાંચ ઉપયોગથી છઠ્ઠાણવડિયાછે. વિભંગજ્ઞાનથી તુલ્ય છે. તે જ રીતે ઉત્કૃષ્ટ વિભંગજ્ઞાનીના અનંત પર્યાયો થાય છે. તે જ રીતે મધ્યમ વિભંગજ્ઞાનીના અનંત પર્યાયો થાય છે, પરંતુ તેમાં ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, આ છ ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. જઘન્ય ચક્ષુદર્શની મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય ચક્ષુદર્શની એક મનુષ્ય, જઘન્ય ચક્ષુદર્શની બીજા મનુષ્યોથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહના અને સ્થિતિથી ચૌઠાણવડિયા છે, વર્ણાદિ વીસ બોલ તથા બેજ્ઞાન, બેદર્શન અનેઅચક્ષુદર્શનથી છઠ્ઠાણવડિયા, ચક્ષુદર્શનથી તુલ્ય છે.(જઘન્ય ચક્ષુદર્શનીને અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન હોતું નથી.) તે જ રીતે ઉત્કૃષ્ટ ચક્ષુદર્શનીના અનંત પર્યાયો થાય છે. તેમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને અચક્ષુદર્શન, અવધિદર્શન, આ આઠ ઉપયોગથી છઠ્ઠાણડિયા અને ચક્ષુદર્શનથી તુલ્ય છે. તે જ રીતે મધ્યમ ચક્ષુદર્શનીના પણ અનંત પર્યાયો થાય છે. તેમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન, આ દશ ઉપયોગથી છાણવડિયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy