SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. ચક્ષુદર્શન-અચક્ષુદર્શનથી છઠ્ઠાણવડિયા અને મતિજ્ઞાનથી તુલ્ય છે.(જઘન્ય મતિજ્ઞાનીને અવધિજ્ઞાન કે મનઃપર્યવજ્ઞાન હોતું નથી. અવધિજ્ઞાન કે મનઃપર્યવજ્ઞાન પ્રગટ થાય, ત્યારે મતિજ્ઞાન મધ્યમ હોય છે.) [ ૪૧ ઉત્કૃષ્ટ મતિજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. ઉત્કૃષ્ટ મતિજ્ઞાની એક મનુષ્ય, ઉત્કૃષ્ટ મતિજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તિકાણવડિયા છે, કારણ કે યુગલિકોને ઉત્કૃષ્ટ મતિજ્ઞાન હોતું નથી. વર્ણાદિ વીસ બોલ તથા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિ દર્શન, આ છ ઉપયોગથી છઠ્ઠાણવડિયા તથા મતિજ્ઞાનથી તુલ્ય છે. મધ્યમ મતિજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. મધ્યમ મતિજ્ઞાની એક મનુષ્ય, મધ્યમ મતિજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા ચાર જ્ઞાન, ત્રણ દર્શન, આ સાત ઉપયોગથી છઠ્ઠાણવિડિયા છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની, મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાનીના પર્યાયો ક્રમશઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ મતિજ્ઞાનીની સમાન જાણવા. જયન્ય અવધિજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય અવધિજ્ઞાની એક મનુષ્ય, જઘન્ય અવધિજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવિડયા, સ્થિતિથી તિાણવડિયા(યુગલિકોને અવધિજ્ઞાન નથી.), વર્ણાદિ વીસ બોલ તથા મતિ, શ્રુત, મનઃપર્યવજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન આ છ ઉપયોગથી છઠ્ઠાણવડિયા, અવધિજ્ઞાનથી પરસ્પર તુલ્ય છે. તે જ રીતે મધ્યમ અવધિજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે પરંતુ તેમાં અવધિજ્ઞાન સહિત ચાર જ્ઞાન, ત્રણ દર્શન, આ સાત ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે. જઘન્ય મનઃપર્યવજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય મનઃપર્યવજ્ઞાની એક મનુષ્ય, જઘન્ય મનઃપર્યવજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી તિાણવડિયા છે.(મન:પર્યવજ્ઞાન કર્મભૂમિના નવ વર્ષથી લઈને ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા સંયત મનુષ્યોને જ થાય છે. નવ વર્ષના મનુષ્યની અવગાહના ઘણી વધી જાય છે. તેમજ કર્મભૂમિના મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના પણ ૫૦૦ ધનુષની જ હોય છે તેથી તેમાં અસંખ્યાત ગુણ ન્યૂનાધિકતા થતી નથી.યુગલિકોને મનઃપર્યવજ્ઞાન ન હોવાથી સ્થિતિથી પણ તિાણવડિયા જ થાય છે.) ન Jain Education International વર્ણાદિ વીસ બોલ તથા મતિ, શ્રુત, અવધિજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy