SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦ કે ફૂલ-આમ સ્તકાલય કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર– જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય સ્થિતિવાળો એક મનુષ્ય, જઘન્ય સ્થિતિવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ વીસ બોલ તથા બે અજ્ઞાન, બે દર્શન, આ ચાર ઉપયોગથી છઠ્ઠાણવડિયા છે.(મનુષ્યોમાં જઘન્ય સ્થિતિ સંમૂર્છાિમ મનુષ્યોને જ હોય છે. તેમાં સમ્યગ્દર્શન કે અવધિજ્ઞાનાદિ હોતા નથી.) ઉત્કૃષ્ટસ્થિતિવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળો એકમનુષ્ય, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી ચૌઠાણવડિયા, સ્થિતિથી તુલ્ય, વર્ણાદિ વીસ બોલ તથા બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન. આ છ ઉપયોગથી છઠ્ઠાણવડિયાં છે.(મનુષ્યોમાં ઉત્કૃષ્ટસ્થિતિ યુગલિકોને હોય છે. તેમાં સમ્યગ્દર્શન હોય છે પરંતુ અવધિજ્ઞાનાદિ નથી.) મધ્યમ સ્થિતિવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. મધ્યમ સ્થિતિવાળો એક મનુષ્ય, મધ્યમ સ્થિતિવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, આદશ ઉપયોગથી છઠ્ઠાણવડિયા, કેવળજ્ઞાન-કેવળ દર્શનથી તુલ્ય છે. પ્રશ્ન-૪૦ઃ જઘન્યાદિ ગુણ કાળા વર્ણવાળા મનુષ્યોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે? ઉત્તર– જઘન્ય ગુણ કાળા વર્ણવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય ગુણ કાળા વર્ણવાળો એકમનુષ્ય, જઘન્ય ગુણ કાળા વર્ણવાળા બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌહાણવડિયા, કાળાવર્ણથી તુલ્ય, શેષ વર્ણાદિ ૧૯ બોલ તથા ૧૦ ઉપયોગથી છઠ્ઠાણવડિયા અને કેવળજ્ઞાન-કેવળ દર્શનથી તુલ્ય છે. તે જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા વર્ણવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે. તે જ રીતે મધ્યમ ગુણ કાળા વર્ણવાળા મનુષ્યોના અનંત પર્યાયો છે, પરંતુ તેમાં વર્ણાદિ વિસે બોલમાં છઠ્ઠાણવડિયા છે. પ્રશ્ન-૪૧ઃ જઘન્યાદિજ્ઞાન-દર્શનવાળા મનુષ્યોના કેટલા પર્યાયો છે?તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર- જઘન્ય મતિજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે. જઘન્ય મતિજ્ઞાની એક મનુષ્ય, જઘન્ય મતિજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાથી અને સ્થિતિથી ચૌઠાણવડિયા, વર્ણાદિ વીસ બોલ તથા શ્રુતજ્ઞાન, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy